બોલો... અધિકારીએ ખેતીની જમીન વગરના લોકોને 24.90 કરોડ રૂપિયા અતિવૃષ્ટિ વળતર આપી દીધું

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં બહાર આવેલા રૂ. 24,90,77,811ના અતિવૃષ્ટિ ગ્રાન્ટ કૌભાંડમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ ગ્રાન્ટનો હેતુ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો હતો. આ કેસમાં મુખ્ય આરોપીની જાલના આર્થિક ગુના શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ આશિષ પ્રમોદ કુમાર પૈઠણકર તરીકે થઈ છે, જે 45 વર્ષનો છે. તે ઘનસાંવાંગી તાલુકા કચેરીમાં સહાયક મહેસૂલ અધિકારી તરીકે કામ કરતો હતો.

અંબડ અને ઘનસાંવંગી તાલુકામાં ખેડૂતોને અતિ વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારપછી, સરકારે ચાર અલગ-અલગ નિર્ણયો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો માટે ગ્રાન્ટની જાહેરાત કરી હતી. જો કે, સંબંધિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ગ્રાન્ટ યાદીમાં મોટી સંખ્યામાં નકલી લાભાર્થીઓનો સમાવેશ કર્યો, જેમના નામે કોઈ જમીન પણ નહોતી.

Jalna Mastermind Arrested
timesofindia.indiatimes.com

આરોપીઓએ આ કાલ્પનિક નામો હેઠળ મળેલી સરકારી ગ્રાન્ટ ઉપાડીને સરકારી ભંડોળમાંથી રૂ. 24.90 કરોડથી વધુની ઉચાપત કરી હતી. આ બાબત અંગે ફરિયાદ મળ્યા પછી, તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી.

સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં સરકારી ભંડોળનો વ્યાપક ઉચાપત થયાનો ખુલાસો થયો હતો. ત્યારપછી, અંબડ પોલીસ સ્ટેશનમાં 22 તહસીલદારો, તહસીલ કચેરીના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના પાંચ કર્મચારીઓ અને જિલ્લા કલેક્ટર કચેરીના એક કર્મચારી સહિત 28 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન, અન્ય આરોપીઓના નામ પણ બહાર આવ્યા હતા. ગુનો નોંધાતાની સાથે જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસથી બચવા માટે, તેઓ સતત તેમના મોબાઇલ ફોન અને સ્થળ બદલતા રહ્યા, સોશિયલ મીડિયાથી દૂર રહ્યા, અને કેટલાક તો વિવિધ ધાર્મિક સ્થળોએ છુપાઈને પણ રહેવા લાગ્યા.

Jalna Mastermind Arrested
divyamarathi.bhaskar.com

મુખ્ય આરોપી, આશિષ પૈઠણકર, છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો અને આગોતરા જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન, આર્થિક ગુના શાખાને આરોપીના જાલનામાં આગમનની ખાનગી માહિતી મળી હતી. ટેકનિકલ વિશ્લેષણના આધારે, આર્થિક ગુના શાખાની ટીમે તેનું લોકેશન શોધી કાઢ્યું અને તેની ધરપકડ કરી.

અત્યાર સુધીમાં, આ ગ્રાન્ટ કૌભાંડમાં કુલ 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ હજુ પણ ફરાર છે. ફરાર આરોપીઓની શોધ ચાલુ છે. કૌભાંડની રકમ મેળવવા માટે, કેટલાક આરોપીઓની મિલકતો સ્થગિત કરવામાં આવી છે, અને અન્યના બેંક ખાતા સ્થગિત કરવામાં આવ્યા છે. આરોપીઓના મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ મામલે અંબડ સેશન્સ કોર્ટ અને બોમ્બે હાઇકોર્ટની છત્રપતિ સંભાજીનગર બેન્ચમાં દાખલ કરાયેલી તમામ આગોતરા જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે. જાલનામાં આર્થિક ગુના શાખા દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

About The Author

Top News

આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર...
National 
આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2026ના રોજ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (...
Education 
IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

જે હોસ્પિટલોનું કામ જીવ બચાવવાનું છે, તે હોસ્પિટલો પોતે જ એટલી બેહાલ થઈ ગઈ છે કે માનવતા દરરોજ તેમના...
National 
સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોએ ગૃહના...
National 
રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.