મહારાષ્ટ્રમાં BJP એ દાવો કર્યો કે, 'મતદાન પહેલાં જ અમારા 100 કાઉન્સિલરો જીતી ગયા...'

મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પરિષદની ચૂંટણી માટે મતદાન 2 ડિસેમ્બરે થવાનું છે, પરંતુ BJPએ દાવો કર્યો છે કે, તેના 100 કાઉન્સિલરો બિનહરીફ જીતી ચુક્યા છે. મહારાષ્ટ્ર BJP પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદી અને CM દેવેન્દ્ર ફડણવીસના સક્ષમ નેતૃત્વને કારણે જ શક્ય બન્યું છે. ચવ્હાણે ઉમેર્યું કે, ત્રણ મ્યુનિસિપલ કાઉન્સિલોમાં પણ BJPના ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે.

22 નવેમ્બરના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.

Maharashtra Nikay Chunav
navbharattimes.indiatimes.com

રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું કે, 100 કાઉન્સિલરોમાંથી 4 દરિયાકાંઠાના કોંકણ પ્રદેશના, 49 ઉત્તર મહારાષ્ટ્રના, 41 પશ્ચિમ મહારાષ્ટ્રના અને 3-3 મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશના છે. મહારાષ્ટ્રમાં 246 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 42 નગર પરિષદો માટે મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ચૂંટણી શરૂ થાય તે પહેલાં જ ઘણા વિપક્ષી ઉમેદવારો મેદાનમાંથી ખસી ગયા હતા.

વિરોધ પક્ષોનો આરોપ છે કે, BJPની વંશીય રાજનીતિની પરંપરા હવે પાયાના સ્તરની ચૂંટણીઓ સુધી પહોંચી ગઈ છે અને નેતાઓના સંબંધીઓ માટે બિનહરીફ જીત સુનિશ્ચિત કરવા માટે પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હતું. જામનેરમાં, કોંગ્રેસના ઉમેદવાર રૂપાલી લાલવાણી અને બે NCP ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજનના પત્ની સાધના મહાજનને નગર પરિષદના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા.

Maharashtra Nikay Chunav
khabargaon.com

વિપક્ષી ઉમેદવાર શરયુ ભાવસારનું નામાંકન નકારવામાં આવ્યા પછી માર્કેટિંગ મંત્રી જયકુમાર રાવલની માતા નયન કુંવર રાવલને ધુળે જિલ્લાના ડોંડાઈચા-વરવડે નગર પરિષદના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભાવસારનો આરોપ છે કે, મંત્રીના દબાણ હેઠળ નામાંકન નકારી કાઢવામાં આવ્યું હતું.

ચીખલદરા નગર પરિષદમાં CM દેવેન્દ્ર ફડણવીસના પિતરાઈ ભાઈ અલ્હડ કલોટી દ્વારા બીજી એક મહત્વપૂર્ણ બિનહરીફ જીત પ્રાપ્ત થઈ.

Maharashtra Nikay Chunav
abplive.com

અમરાવતી જિલ્લાના કોંગ્રેસના નેતા યશોમતી ઠાકુરે આરોપ લગાવ્યો કે, હરીફ ઉમેદવારોને ધમકી આપવામાં આવી હતી અને તેમને ઉમેદવારી પાછી ખેંચવા માટે લાલચ આપવામાં આવી હતી. શ્રમ મંત્રી આકાશ ફુંડકર, કાપડ મંત્રી સંજય સાવરકર, મંત્રી અશોક ઉઇકે, ભૂતપૂર્વ સાંસદ રામદાસ તડસ, ધારાસભ્ય મંગેશ ચવ્હાણ અને ધારાસભ્ય પ્રકાશ ભારસાકલે સહિત અનેક મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોના સંબંધીઓ કાં તો મેદાનમાં છે અથવા સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓમાં પદો માટે બિનહરીફ ચૂંટાઈ ગયા છે.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.