લદ્દાખમાં ચીની સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

લદ્દાખ ક્ષેત્રમાં ચીનની ખૂબ જ વધુ આર્થિક અને રણનીતિક જરૂરિયાત છે અને આ જ કારણ છે કે તે આક્રામક રીતે પોતાની સેનાને તહેનાત કરી રહ્યું છે જેથી તે ભારત તરફથી વધુ ક્ષેત્રો પર દાવો કરવા માટે વાડાબંધી વિનાના સ્થળો પર દબદબો કાયમ કરી શકે. આ વાત એક ઉચ્ચસ્તરીય બેઠકમાં વિતરિત કરવામાં આવેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવી છે, જેમા કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં પૂર્વી લદ્દાખમાં ભારત-ચીનના સૈનિકોમાં હજુ વધુ ઝડપો થઈ શકે છે. આ પહેલા એ ખુલાસો થયો હતો કે ભારતે 65માં એવા 26 પેટ્રોલિંગ પોઈન્ટ પર પોતાના નિયંત્રણો ગુમાવી દીધા છે, જ્યાં BSFનું પેટ્રોલિંગ નહોતું થઈ રહ્યું.

ગત અઠવાડિયે થયેલી પોલીસ મહાનિદેશકો/ પોલીસ મહાનિરીક્ષકોની બેઠકમાં ભારતીય પોલીસ સેવા (IPS)ના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંબંધિત દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, દેશની સરહદ રક્ષા રણનીતિને ભવિષ્ય માટે આર્થિક પ્રોત્સાહનની સાથે એક નવો અર્થ અને ઉદ્દેશ્ય અપાવો જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું કે, રણનીતિને ક્ષેત્ર-વિશિષ્ટ બનાવવામાં આવવું જોઈએ. ઉદાહરણ માટે તુરતુક અથવા સિયાચિન સેક્ટર અને દૌલત બેગ ઓલ્ડી અથવા દેપસાંગ મેદાનમાં સીમા પર્યટનને આક્રામકરીતે પ્રોત્સાહન આપવામાં આવી શકે છે.

દૌલત બેગ ઓલ્ડીમાં કારાકોરમ દર્રા વિશે દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, તેનો ભારતના રેશમ માર્ગના ઈતિહાસ સાથે એક પ્રાચીન સંબંધ છે અને ઘરેલૂં પર્યટકો માટે ક્ષેત્ર ખોલવાથી તેના દૂર સ્થિત હોવાનો વિચાર પૂર્ણ થશે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, દર્રા પર સાહસિક અભિયાનોને ફરીથી શરૂ કરવામાં આવી શકે છે અને ટ્રેકિંગ અને લાંબી પદયાત્રાના ક્ષેત્રોને સીમિત રીતે ખોલવામાં આવી શકે છે. તેમા કહેવામાં આવ્યું છે કે, પૂર્વી સીમા ક્ષેત્રમાં ચીનની ખૂબ જ વધુ આર્થિક અને રણનીતિક આવશ્યકતા છે અને તે આક્રામકરીતે પોતાની સેનાની તહેનાતી કરી રહ્યું છે. જેથી, તે ભારત તરફથી પેટ્રોલિંગ પોઈન્ટ્સ દ્વારા ચિન્હિત વાડાબંધી વિનાના ક્ષેત્રો પર દાવો જતાવવા માટે દબદબો કાયમ કરી શકે.

ત્રણ દિવસીય વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને દેશના આશરે 350 ટોચના પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ડેમચોકમાં નાના કૈલાશ પર્વતને પૂજા-અર્ચના કરવા માટે પર્યટકો માટે ખોલવામાં આવી શકે છે અને તેનાથી એ ધર્મપરાયણ હિંદુઓ માટે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળી શકે છે જે માનસરોવર યાત્રા પર નથી જઈ શકતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.