મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીને લઇને AAP સાંસદ સંજય સિંહની મોટી જાહેરાત

આમ આદમી પાર્ટી (AAP)ના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે મોટી જાહેરાત કરી છે. તેમની આ જાહેરાત મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઇને છે. તેમણે કહ્યું હતું કે, AAP મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી નહીં લડે. સાથે જ તેમણે કહ્યું કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઠબંધન સહયોગી INDIA બ્લોક માટે પ્રચાર કરશે. તેમણે આ નિર્ણયો પાછળ પાર્ટીની પૂરી રણનીતિ બાબતે પણ જણાવ્યું હતું.

AAPના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે, પાર્ટી ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી કેમ લડી રહી નથી. સંજય સિંહે કહ્યું કે, દેશનું લોકતંત્ર, બાબા સાહેબના સંવિધાન, દેશને નફરત અને ગુંડાગર્દીની રાજનીતિથી AAPની પ્રાથમિકતા બચાવવાની છે. તેમના માટે ભાજપને આ રાજ્યોમાં હરાવવી જરૂરી છે. સંજય સિંહે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ INDIA ગઠબંધન માટે પ્રચાર કરશે. AAP દિલ્હીમાં પ્રચંડ બહુમતથી જીતશે.

સાથે જ સંજય સિંહે હરિયાણામાં ચૂંટણી હરાવવાને લઇને કોંગ્રેસને લઇને મોટી સલાહ આપી છે. તેમણે કહ્યું કે, હરિયાણા ચૂંટણી પર ચર્ચા કરવાનો કોઇ વિષય નથી. અમે અંતિમ સમય સુધી ઇચ્છતા હતા કે સમજૂતી થાય અને 4 સીટો સુધી વાત થઇ ગઇ હતી અને પછી કોંગ્રેસે ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે થશે, જ્યારે બધી 288 સીટો માટે મતગણતરી 23 નવેમ્બરે થશે. 2019ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 105, અવિભાજિત શિવસેનાએ 56 અને કોંગ્રેસે 44 સીટો જીતી હતી. 2014માં ભાજપે 122 સીટો, શિવસેનાએ 63 અને કોંગ્રેસે 42 સીટો જીતી હતી.

Related Posts

Top News

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

તમિલનાડુમાં 2026માં એનડીએ સરકાર: 'દારૂની બેફામ રેલમછેલ' અને 'ભ્રષ્ટાચારની આંધી' પર લગામની આશા

તમિલનાડુમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ)ના નેતૃત્વમાં 2026માં સરકાર રચાવાની સંભાવનાને લઈને એક નિવેદને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે....
Politics 
તમિલનાડુમાં 2026માં એનડીએ સરકાર: 'દારૂની બેફામ રેલમછેલ' અને 'ભ્રષ્ટાચારની આંધી' પર લગામની આશા

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.