મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીને લઇને AAP સાંસદ સંજય સિંહની મોટી જાહેરાત

આમ આદમી પાર્ટી (AAP)ના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે મોટી જાહેરાત કરી છે. તેમની આ જાહેરાત મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઇને છે. તેમણે કહ્યું હતું કે, AAP મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી નહીં લડે. સાથે જ તેમણે કહ્યું કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઠબંધન સહયોગી INDIA બ્લોક માટે પ્રચાર કરશે. તેમણે આ નિર્ણયો પાછળ પાર્ટીની પૂરી રણનીતિ બાબતે પણ જણાવ્યું હતું.

AAPના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે, પાર્ટી ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી કેમ લડી રહી નથી. સંજય સિંહે કહ્યું કે, દેશનું લોકતંત્ર, બાબા સાહેબના સંવિધાન, દેશને નફરત અને ગુંડાગર્દીની રાજનીતિથી AAPની પ્રાથમિકતા બચાવવાની છે. તેમના માટે ભાજપને આ રાજ્યોમાં હરાવવી જરૂરી છે. સંજય સિંહે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ INDIA ગઠબંધન માટે પ્રચાર કરશે. AAP દિલ્હીમાં પ્રચંડ બહુમતથી જીતશે.

સાથે જ સંજય સિંહે હરિયાણામાં ચૂંટણી હરાવવાને લઇને કોંગ્રેસને લઇને મોટી સલાહ આપી છે. તેમણે કહ્યું કે, હરિયાણા ચૂંટણી પર ચર્ચા કરવાનો કોઇ વિષય નથી. અમે અંતિમ સમય સુધી ઇચ્છતા હતા કે સમજૂતી થાય અને 4 સીટો સુધી વાત થઇ ગઇ હતી અને પછી કોંગ્રેસે ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે થશે, જ્યારે બધી 288 સીટો માટે મતગણતરી 23 નવેમ્બરે થશે. 2019ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 105, અવિભાજિત શિવસેનાએ 56 અને કોંગ્રેસે 44 સીટો જીતી હતી. 2014માં ભાજપે 122 સીટો, શિવસેનાએ 63 અને કોંગ્રેસે 42 સીટો જીતી હતી.

Related Posts

Top News

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.