દિલ્હીથી સિડની જઈ રહેલા વિમાનમાં યાત્રિયો ફંગોળાવા માંડ્યા, દાખલ કરવા પડ્યા

એર ઇન્ડિયાના વિમાન સાથે મંગળવારે એક મોટી દુર્ઘટના બની શકતી હતી. દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના સિડની જઈ રહેલું એર ઇન્ડિયાનું એક વિમાન જ્યારે ઊંચાઈ પર હતું તો તેનો સામનો હવાના ભારે ઝોંકા સાથે થયો. હવાનો ઝોંકો (એર ટર્બુલન્સ) એટલો ફાસ્ટ હતો કે યાત્રી વિમાનમાં આમથી તેમ ફંગોળાવા માંડ્યા. વિમાન ફંગોળાવા માંડ્યું જેના કારણે ઘણા યાત્રિઓને ઈજા પહોંચી. વિમાન સિડની એરપોર્ટ પર પહોંચતા ઇજાગ્રસ્ત યાત્રિઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી. સારી વાત એ રહી કે, કોઈપણ યાત્રિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ ના કરવા પડ્યા. ટર્બુલન્સના કારણ અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી.

વિમાન કંપનીઓની નિયામક સંસ્થા DGCAએ મંગળારે ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે, આ ઘટના મંગળવાર (16 મે, 2023) ના રોજ ઉડાન દરમિયાન બની હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત યાત્રિઓને સિડની એરપોર્ટ પર પહોંચવા પર મેડકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. DGCAના જણાવ્યા અનુસાર, કોઈપણ યાત્રિ એટલું ગંભીરરીતે ઈજાગ્રસ્ત નહોતું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.

DGCAએ જણાવ્યું છે કે, એર ઇન્ડિયાની B-787-800 એરક્રાફ્ટ VT-ANY ફ્લાઇટ નંબર AI-302ના રૂપમાં દિલ્હીથી સિડની જઈ રહી હતી. આ દરમિયાન હવામાં વિમાન ઝડપથી એર ટર્બુલન્સમાં ફસાઈ ગયું. આ દરમિયાન વિમાનમાં સવાર સાત યાત્રિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. યાત્રા દરમિયાન ઘણા યાત્રિઓએ પગમાં મોચ આવવાની ફરિયાદ કરી. તેના પર વિમાનમાં સાથે હાજર ડૉક્ટર અને નર્સે તેમને પ્રાથમિક સારવાર આપી હતી. વિમાનના ચાલક દળના સભ્યોએ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી. વિમાન જે ટર્બુલન્સનો શિકાર થયુ તે એટલું ઘાતક હતું કે સિડની એરપોર્ટ પર યાત્રિઓએ ઘણી ઈજાઓની ફરિયાદ કરી હતી. સિડનીમાં એર ઇન્ડિયાના એરપોર્ટ મેનેજરે યાત્રિઓને ચિકિત્સકીય સુવિધા ઉપલબ્ધ કરાવી. મામલાની જાણકારી મળતા જ DGCAના મહાનિદેશકે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. અત્યારસુધી આ મામલામાં એર ઇન્ડિયા તરફથી કોઈપણ પ્રકારનું નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં નાગપુરથી મુંબઈ જઈ રહેલા એર ઇન્ડિયાના એક વિમાનમાં વીંછીએ એક યાત્રિને ડંખ માર દીધો હતો. વિમાનોમાં જીવિત પક્ષીઓ અને ઉંદરો મળી આવવાના કિસ્સા તો અગાઉ ઘણા સામે આવી ચુક્યા છે પરંતુ, એક યાત્રિને વીંછીએ ડંખ મારવાની આ એક દુર્લભ ઘટના હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.