પંજાબમાં AAP સરકારને ઝટકો, કોર્ટે કેબિનેટ મિનિસ્ટરને બે વર્ષની સજા સંભળાવી

આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટો ઝટકો લાગ્યો છે. પંજાબની આપ સરકારના કેબિનેટ મંત્રીને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને ભગવત માન સરકારના કેબિનેટ મંત્રી અમન અરોરાને 2 વર્ષની કોર્ટે સજા સંભળાવી છે. આ કેસ 2008નો છે, જેમાં 15 વર્ષ બાદ સજા થઈ છે. મંત્રી સિવાય અન્ય 8 લોકોને પણ કોર્ટે સજા સંભળાવી છે.

રિપોર્ટ મુજબ અમન અરોરાનો પોતાના જીજા રાજેન્દ્ર દીપાની સાથે પારિવારિક ઝઘડો હતો, જેને લઈને 2008મા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અકાળી દળના નેતા રાજેન્દ્ર દીપાએ કહ્યું- ફેસલો ભલે મોડો મોડો આવ્યો, પરંતુ આવ્યો ખરો અને અમે આનું સ્વાગત કરીએ છીએ.

2008મા અમન અરોરાના બનેવી અને અકાળી દળના નેતા રાજિંદર દીપાએ આ લોકો સામે ઘરમાં ઘૂસીને મારપીટ કરવાનો કેસ નોંધાવ્યો હતો. આની વિરુદ્ધ IPC 452, IPC 323, IPC 148, IPC 149 અંતર્ગત  FIR નોંધવામાં આવી હતી. આ મામલે કોર્ટે ગુરુવારના રોજ સજા સંભળાવી હતી.

અમન અરોરા સંગરુરના સુનામથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. અરોરાએ 2022ની ચૂંટણીમાં પોતાના નજીકના પ્રતિદ્ધંદ્ધિ કોંગ્રેસના જસવિંદર સિંહ ધીમાનને 75277 મતોથી હરાવ્યા હતા. તેઓ ધારાસભ્ય બન્યા બાદ પંજાબના મંત્રીમંડળમાં શામેલ થયા હતા અને તેમને આવાસ શહેરી વિકાસ અને લોકસંપર્ક જેવા મોટા બે વિભાગ આપવામાં આવ્યા હતા. જો કે થોડા મહિના બાદ માર્ચમાં ભગવંત માને મંત્રીમંડળમાં ફેરફાર કર્યા હતા, જ્યાં અરોરાનું કદ નાનું કરી દેવામાં આવ્યું હતું અને તેમની પાસેથી બંને મોટા વિભાગ પાછા લઈને તેમને ન્યૂ એનર્જી રિસોર્સિસ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, ગર્વનન્સ રિફોર્મ્સ એમ્પ્લોઇમેન્ટ જનરેશન જેવા વિભાગ આપવામાં આવ્યા હતા.

Top News

રિંકુ સાથે સગાઇ કરનાર પ્રિયા સરોજની સામે ઝૂકે છે લોકો

ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર અને IPL 2025માં KKRની ટીમમાં રમનારા રીંકુ સિંહની 8 જૂન, રવિવારે લખનૌમાં ઉત્તર પ્રદેશના...
National 
રિંકુ સાથે સગાઇ કરનાર પ્રિયા સરોજની સામે ઝૂકે છે લોકો

અનુરાગ કશ્યપે સાસૂ-વહુની સિરિયલ અંગે એવું શું કહ્યું કે એકતા કપૂરે અનુરાગને મૂર્ખ કહી દીધો

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ છોડવાથી લઈને OTT પ્લેટફોર્મ પરના પ્રશ્નો સુધી સમાચારમાં છવાયેલો રહે છે. જોકે...
Entertainment 
અનુરાગ કશ્યપે સાસૂ-વહુની સિરિયલ અંગે એવું શું કહ્યું કે એકતા કપૂરે અનુરાગને મૂર્ખ કહી દીધો

કુમાર મંગલમ બિરલાને USISPF ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત: ભારત માટે ગૌરવની ક્ષણ

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાને યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (USISPF) દ્વારા...
Business 
કુમાર મંગલમ બિરલાને USISPF ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત: ભારત માટે ગૌરવની ક્ષણ

દીકરાને અચાનક મળ્યો એક કાગળ, પિતાએ 1995માં 1 લાખના શેર ખરીદેલા, હવે આટલા કરોડનો માલિક થઈ ગયો

એવું કહેવાય છે કે નસીબ ક્યારે કોના દરવાજા ખટખટાવશે તે કહી શકાતું નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે...
Business 
દીકરાને અચાનક મળ્યો એક કાગળ, પિતાએ 1995માં 1 લાખના શેર ખરીદેલા, હવે આટલા કરોડનો માલિક થઈ ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.