સ્પાઇડરમેન સ્ટાઇલમાં ઘરમાં ઘૂસ્યો ચોર, લગભગ 45 લાખનો મુદ્દામાલ લઈને થયો ફરાર

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે તમામ સુરક્ષા ઉપાયો અપનાવવા છતા પણ ચોર તમારા ઘરમાંથી સ્પાઇડર-મેન સ્ટાઇલમાં ચોરી કરી શકે છે? દિલ્હીના ભજનપુરામાં એક એવી ઘટના સામે આવી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. ચોર ઇલેક્ટ્રિક વાયરનો ઉપયોગ કરીને ઘરમાં ઘૂસ્યો અને ચોરી કરી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.

thief1
telegraphindia.com

શું છે આખો મામલો?

ભજનપુરામાં, એક ચોરે સ્પાઇડર-મેન સ્ટાઇલ અપનાવીને ચોરીની ઘટનાને અંજામ આપી. ઘોંડા વિસ્તારમાં એક ચોર ઇલેક્ટ્રિક વાયરનો ઉપયોગ કરીને બાલ્કનીમાંથી ઘરમાં ઘૂસી ગયો અને 43 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના, 1.5 લાખ રોકડા અને મોબાઇલ ફોન લઈને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. CCTVની સમીક્ષા કર્યા બાદ એવું જાણવા મળ્યું કે ચોર ઇલેક્ટ્રિક વાયર પર ઝૂલતા બાલ્કનીમાંથી અંદર ઘૂસ્યો પરિવારને શંકા છે કે ચોરે નશીલા સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો, કારણ કે ઘરમાં કોઈ સભ્ય ન જાગ્યો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

દિલ્હીના શાહદરામાં કૃષ્ણ નગર વિસ્તારમાં પણ 1.5 કરોડ રૂપિયાની સનસનાટીભરી ચોરીની થઈ છે. જોકે, પોલીસે આ ચોરીનો પર્દાફાશ કર્યો અને આંતરરાજ્ય તાળાં-ચાવી ગેંગના બે કુખ્યાત સભ્યોની ધરપકડ કરી. પૂછપરછમાં જાણવા મળ્યું કે ગેંગના સભ્યો દિવસ દરમિયાન ચાવી વાળા બનીને કોલોનીઓમાં રેકી કરતા હતા અને રાત્રે ચોરીઓ કરતા હતા.

thief2
dlcompare.in

આ કેસમાં DCPએ જણાવ્યું હતું કે, દોઢ કરોડ રૂપિયાના સોનાના દાગીના અને ચાંદી સહિત તમામ કિંમતી સામાન ચોરી કર્યો હતો. આ મામલે કૃષ્ણા નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ચોરોની વધતી જતી હિંમતને જોતા પોલીસે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

About The Author

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.