'ઘરમાં લગ્ન છે, માના શરીરને ફ્રીઝરમાં મૂકી દો...' એવું કહેનારા પુત્રએ માફી માંગી, આ રીતે કરશે 'પ્રાયશ્ચિત'

ગોરખપુરમાં, જેમણે અંતિમ સંસ્કાર પહેલા ચાર દિવસ સુધી તેમની માતાના શરીરને ફ્રીઝરમાં મૂકી રાખવાનું કહેનારા પુત્રો હવે સામાજિક અપમાનનો સામનો કરી રહ્યા છે. તેમણે પંચાયતમાં તેમના પિતા પાસે માફી માંગી, ત્યારપછી તેમના પિતા ભુઆલે તેમને માફ કરી દીધા. હવે, એક પૂજારીની સલાહને અનુસરીને, પરિવારે તેમની માતાનું લોટનું પૂતળું બનાવીને તેમની માતાના અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

Gorakhpur-Mother
navbharattimes.indiatimes.com

હકીકતમાં, શોભા દેવી (65 વર્ષીય)ના શરીરને તેમના પુત્રએ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના 20 નવેમ્બરના રોજ ગોરખપુરમાં બની હતી. પુત્રએ ના પાડી એનું કારણ એ હતું કે, તેના પુત્રના લગ્ન હતા. તેણે તેના પિતાને કહ્યું કે, શરીરને ચાર દિવસ માટે ફ્રીઝરમાં મૂકી દો, લગ્ન પછી આવીને અંતિમ સંસ્કાર કરી દઈશું. આ વાતથી પુત્રોની બદનામી થઈ અને તેમને અપમાન સહન કરવું પડ્યું. પુત્રોએ તેમના પિતા, ભૂઆલ (68 વર્ષીય)ની પંચાયતમાં માફી માંગી, ત્યારપછી પિતાએ તેમને માફ કરી દીધા.

Gorakhpur-Mother1
bhaskar.com

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પિતા ભૂઆલ અને મૃતક શોભા દેવીએ ગામમાંથી ઉછીના પૈસા લઈ અને તેમના પુત્રોને છોડી દઈને તીર્થયાત્રાના બહાને જૌનપુરના એક વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. આ સમય દરમિયાન, પુત્રોને તેમના મામાના સંબંધીઓ દ્વારા ઉછેરવામાં આવ્યા હતા, જેના કારણે પરિવારમાં અંતર બન્યું હતું. પુત્રોના વર્તન પાછળ આ અંતર એક મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું હતું, જોકે કેમેરા સામે કોઈ બોલવા તૈયાર નહોતું.

Gorakhpur-Mother2
republicbharat.com

બદનામી અને અપમાનની લાગણી અનુભવ્યા પછી, જ્યારે પિતા તેમના સંબંધીઓ સાથે તેમની માતાના મૃતદેહને દફનાવવા પહોંચ્યા, ત્યારે પુત્રો પણ ત્યાં પહોંચ્યા અને મૃતદેહને દફનાવ્યો. ત્યારપછી ગ્રામ પંચાયત યોજાઈ, જ્યાં પુત્રોએ તેમના પિતાની માફી માંગી. ગુસ્સે ભરાયેલા પિતા ભૂઆલએ તેમને માફ કરી દીધા અને પુત્રોએ તેમને પોતાની સાથે લઈ લીધા.

Gorakhpur-Mother-Son3
amarujala.com

પુત્રોની માફી પછી, મોટા પુત્રના પુત્રના હવે લગ્ન થઇ ગયા છે. અંતિમ સંસ્કાર માટે એક પૂજારીને બોલાવવામાં આવ્યો હતો અને તેમની સલાહ લેવામાં આવી હતી. પૂજારીની સલાહને અનુસરીને, એવું નક્કી કરવામાં આવ્યું કે, શોભા દેવીનું લોટનું પૂતળું બનાવીને અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

Gorakhpur-Mother-Son4
amarujala.com

અહીં તમને બતાવી દઈએ કે મૃતકના પતિ ભુઆલ ગુપ્તાને, એક વર્ષ પહેલા તેના મોટા દીકરાએ ઘરમાંથી કાઢી મુક્યા હતા, ત્યારપછી તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જૌનપુર વૃદ્ધાશ્રમમાં આવતા પહેલા, તેઓએ અયોધ્યા અને મથુરાની પણ મુલાકાત લીધી હતી.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.