- National
- ચોર ઝારખંડથી 40 લાખનો હાથી ચોરીને બિહારમાં 27 લાખમાં વેચી આવ્યા
ચોર ઝારખંડથી 40 લાખનો હાથી ચોરીને બિહારમાં 27 લાખમાં વેચી આવ્યા
'હાથીના દાંત દેખાડવાના અલગ અને ખાવા માટેના અલગ...' તમે કદાચ આ કહેવત હજારો વખત સાંભળી હશે! તમે કદાચ હાથીના દાંતની તસ્કરી થઇ છે તે વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ આખે આખા હાથીની ચોરી થઈ હોય તેવું ભાગ્યે જ સાંભળ્યું હશે. તમે કદાચ એમ પણ પૂછી શકો છો કે, 'ભાઈ, આટલું મોટું પ્રાણી કેવી રીતે ચોરી થઇ શકે? તે કોઈ નાની અમથી ખીલ્લી તો નથી, કે જેને ઉઠાવીને ચાલતી પકડાઈ.'
પરંતુ અહીં એક હાથી ગુમ થઈ ગયો છે. અને તે પણ ચોરી કરીને ગાયબ કરાયો. ઝારખંડના પલામુ જિલ્લામાં, જ્યાં ચોરો 40 લાખ રૂપિયાની હાથણીની ચોરી કરી ગયા. પછી તેઓ તેને બિહાર લઈ ગયા અને 27 લાખ રૂપિયામાં વેચી દીધી. ત્યાર પછી, બિહાર પોલીસ અને ઝારખંડ પોલીસે સાથે મળીને હાથણીને બચાવી લીધી.
હાથી ચોરીનો આ કિસ્સો ઝારખંડના પલામુ જિલ્લામાંથી છે, જે તે જ જિલ્લો છે, જે તેના પલામુ ટાઇગર રિઝર્વ માટે પ્રખ્યાત છે. પરંતુ તે હાથીઓ માટે રહેઠાણ પણ છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 12 સપ્ટેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના રહેવાસી નરેન્દ્ર કુમાર શુક્લાએ પલામુના ચુકુર વિસ્તારમાંથી તેમની 'જયમતી' નામની હાથણી ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. નરેન્દ્રએ રાંચીથી 40 લાખ રૂપિયામાં તે હાથણીને ખરીદી હતી. હવે, જો 40 લાખ રૂપિયાનું પ્રાણી ગાયબ થઈ જાય, તો હોબાળો મચવો સ્વાભાવિક છે!
શુક્લાએ ચોરીનો આરોપ મહાવત પર મૂક્યો. શુક્લાએ કહ્યું કે તેમણે હાથી રાખવાની કૌટુંબિક પરંપરા ચાલુ રાખવા માટે હાથણીને ખરીદી હતી. તેમણે દાવો કર્યો કે હાથણી અને તેનો મહાવત પલામુના જોરકટ વિસ્તારમાંથી ગુમ થઈ ગયા હતા.
નરેન્દ્રએ હાથીની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદ પછી, પોલીસ સક્રિય થઈ ગઈ. SDOP મણિભૂષણ પ્રસાદે કહ્યું, 'સદર પોલીસ સ્ટેશનમાં ચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ થઈ હતી. ત્યારપછી, 29 સપ્ટેમ્બરના રોજ, એક સૂચના મળી કે જયમતી બિહારના છપરાના પહારપુરમાં છે. ઝારખંડ પોલીસે તાત્કાલિક બિહાર પોલીસની મદદ માંગી, અને હાથણીને બચાવી લેવામાં આવી.'
જ્યારે પોલીસે હાથણીની શોધ કરી, ત્યારે તે બિહારમાં ગોરખ સિંહ નામના વ્યક્તિ પાસેથી મળી આવી. પૂછપરછ દરમિયાન ગોરખ સિંહે કહ્યું કે, તેણે જયમતીને ચોરી નથી કરી, પરંતુ તેને 27 લાખમાં ખરીદી હતી.
પોલીસ કહે છે કે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. હાલમાં, ચોરોને શોધવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પોલીસે શોધી કાઢ્યું કે, શુક્લાએ એકલા આ હાથણીને ખરીદી નથી. પલામુ પોલીસ વડા રેશ્મા રમેશનના જણાવ્યા અનુસાર, શુક્લા અને તેના ત્રણ સાથીઓએ હાથણીને 40 લાખમાં ખરીદી હતી. જોકે, શુક્લાએ તેની એવી રીતે રજૂઆત કરી કે તે ચોરાઈ ગઈ છે. તેણે હાથણીની કિંમત 1 કરોડ રૂપિયા સુધીની બતાવી હતી. પોલીસે છેતરપિંડીનો કેસ પણ દાખલ કર્યો અને છપરામાં ગોરખ સિંહ પાસેથી હાથણીને પછી મેળવી છે. તેના મળ્યા પછી સમગ્ર મામલો ઉકેલાવા લાગ્યો છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આટલા મોટા પ્રાણીની ચોરી કરીને વેચવું એ કોઈ સરળ કાર્ય નથી. શું ચોરો હાથણીને ટ્રકમાં લઇ ગયા હતા? કે પછી તેઓએ કોઈ અન્ય માધ્યમનો ઉપયોગ કર્યો હતો? આ પ્રશ્નોના જવાબ હજુ સુધી મળ્યા નથી. સારા સમાચાર એ છે કે, જયમતીને સુરક્ષિત છે. આ મામલો કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછો નથી. હવે ફક્ત એ જ રાહ જોવાની બાકી છે કે, આ 'જમ્બો લૂંટ'ના મુખ્ય સૂત્રધાર એવા ચોરોને પોલીસ ક્યારે પકડે છે.

