બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા

બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965)છતાં તેમણે ગુજરાતમાં ગ્રામ્ય શાસનને નવી દિશા આપી. તેઓ માત્ર ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નહીં, પરંતુ ભારતમાં પંચાયતી રાજના પિતા તરીકે ઓળખાય છે. રાષ્ટ્રસેવા અને ગરીબોને ઉપર લાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ રાજકારણીઓને પ્રેરણા આપે છે.   

બળવંતરાય મહેતા બાળપણથી જ રાષ્ટ્રસેવા માટે સમર્પિત હતા. 19 ફેબ્રુઆરી 1899 ના રોજ ભાવનગરમાં જન્મેલા મહેતા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ, અસહકાર ચળવળ અને ભારત છોડો આંદોલનમાં જોડાયા. આઝાદી પછી, તેઓ બૉમ્બે વિધાનસભા અને કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકાઓમાં રહ્યા. વર્ષ 1957માં તેમની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ દેશમાં પંચાયતી રાજની ભલામણ કરી, જે ગ્રામ વિકાસ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.  

photo_2025-03-27_19-06-28

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે પાયાની સ્તરે વિકાસ પર ફોકસ કર્યું. પંચાયતોને વધુ સશક્ત બનાવવા માટેની નીતિઓ અમલમાં મૂકી. ગામડાંના લોકો પણ અનુભવવા લાગ્યા કે તેઓ પણ શાસનનો ભાગ છે.ગામોના વિકાસ માટે વિશેષ ખર્ચ, રોકાણ અને શિક્ષણ-આરોગ્ય પર ભાર મૂક્યો. વીજળી, સડકો અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકી.   

1965માં, ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમનું કુનેહપૂર્વકનું નેતૃત્વ ગુજરાત માટે મહત્વપૂર્ણ સાબિત થયું. તેમણે લશ્કર સાથે સંકલન કરીને સરહદી વિસ્તારની સુરક્ષા નિશ્ચિત કરી. યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યોમાં સક્રિય સહયોગ. સંકટમાં પણ તેમણે ગુજરાતના વિકાસ એજન્ડાને આગળ વધાર્યો. 

photo_2025-03-27_19-06-30

તેઓ એક અકસ્માતમાં શહીદ થઇ ગયા. 19 સપ્ટેમ્બર 1965ના રોજ, જ્યારે તેઓ યુદ્ધગ્રસ્ત કચ્છના પ્રવાસે હતા. તેમના એરક્રાફ્ટ પર પાકિસ્તાન તરફથી હુમલો થયો. ગુજરાત, દેશ અને કોંગ્રેસ માટે તેઓ શહીદ બની ગયા. જોકે, તેમની આકસ્મિક વિદાય ગુજરાત માટે મોટું નુકસાન કરી ગઇ.

બળવંતરાય મહેતા દ્વારા અપાયેલી પંચાયતી રાજ વ્યવસ્થા આજે પણ ભારતના ગ્રામ્ય વિકાસ અને લોકશાહીના પાયામાં મજબૂતી પ્રદાન કરે છે. તેમના વિચારો અને નીતિઓ ગુજરાતના ગ્રામ્ય શાસન માટે મજબૂત પાયો બન્યા.

About The Author

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.