બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા

બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965)છતાં તેમણે ગુજરાતમાં ગ્રામ્ય શાસનને નવી દિશા આપી. તેઓ માત્ર ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નહીં, પરંતુ ભારતમાં પંચાયતી રાજના પિતા તરીકે ઓળખાય છે. રાષ્ટ્રસેવા અને ગરીબોને ઉપર લાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ રાજકારણીઓને પ્રેરણા આપે છે.   

બળવંતરાય મહેતા બાળપણથી જ રાષ્ટ્રસેવા માટે સમર્પિત હતા. 19 ફેબ્રુઆરી 1899 ના રોજ ભાવનગરમાં જન્મેલા મહેતા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ, અસહકાર ચળવળ અને ભારત છોડો આંદોલનમાં જોડાયા. આઝાદી પછી, તેઓ બૉમ્બે વિધાનસભા અને કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકાઓમાં રહ્યા. વર્ષ 1957માં તેમની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ દેશમાં પંચાયતી રાજની ભલામણ કરી, જે ગ્રામ વિકાસ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.  

photo_2025-03-27_19-06-28

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે પાયાની સ્તરે વિકાસ પર ફોકસ કર્યું. પંચાયતોને વધુ સશક્ત બનાવવા માટેની નીતિઓ અમલમાં મૂકી. ગામડાંના લોકો પણ અનુભવવા લાગ્યા કે તેઓ પણ શાસનનો ભાગ છે.ગામોના વિકાસ માટે વિશેષ ખર્ચ, રોકાણ અને શિક્ષણ-આરોગ્ય પર ભાર મૂક્યો. વીજળી, સડકો અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકી.   

1965માં, ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમનું કુનેહપૂર્વકનું નેતૃત્વ ગુજરાત માટે મહત્વપૂર્ણ સાબિત થયું. તેમણે લશ્કર સાથે સંકલન કરીને સરહદી વિસ્તારની સુરક્ષા નિશ્ચિત કરી. યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યોમાં સક્રિય સહયોગ. સંકટમાં પણ તેમણે ગુજરાતના વિકાસ એજન્ડાને આગળ વધાર્યો. 

photo_2025-03-27_19-06-30

તેઓ એક અકસ્માતમાં શહીદ થઇ ગયા. 19 સપ્ટેમ્બર 1965ના રોજ, જ્યારે તેઓ યુદ્ધગ્રસ્ત કચ્છના પ્રવાસે હતા. તેમના એરક્રાફ્ટ પર પાકિસ્તાન તરફથી હુમલો થયો. ગુજરાત, દેશ અને કોંગ્રેસ માટે તેઓ શહીદ બની ગયા. જોકે, તેમની આકસ્મિક વિદાય ગુજરાત માટે મોટું નુકસાન કરી ગઇ.

બળવંતરાય મહેતા દ્વારા અપાયેલી પંચાયતી રાજ વ્યવસ્થા આજે પણ ભારતના ગ્રામ્ય વિકાસ અને લોકશાહીના પાયામાં મજબૂતી પ્રદાન કરે છે. તેમના વિચારો અને નીતિઓ ગુજરાતના ગ્રામ્ય શાસન માટે મજબૂત પાયો બન્યા.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.