ભાજપ કાર્યકર્તાઓમાં સી.આર. પાટીલ મુક્ત ગુજરાતનો નવો ઉત્સાહ અને જગદીશ પંચાલને સ્નેહસભર આવકાર

ગુજરાતના રાજકીય વાતાવરણમાં તાજેતરની ફેરફારો એક નવી લહેર લાવી છે. 4 ઓક્ટોબર, 2025ના રોજ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિએ સહકાર, કુટીર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલને ગુજરાત ભાજપના 14મા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક તરીકે નિયુક્તિ કરી. આ નિમણૂકથી પાર્ટીના કાર્યકર્તાઓમાં એક અલગ જ ઉત્સાહની લહેર ફરી વળી છે. ખાસ કરીને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી.આર. પાટીલ)ના પાંચ વર્ષિય કાર્યકાળ દરમિયાન જે હતાશા અને દબાણનું વાતાવરણ રહ્યું હતું તેનાથી મુક્તિ મળ્યાની લાગણી વ્યાપી છે. કાર્યકર્તાઓ પોસ્ટરો, બેનરો અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સમાંથી સી.આર. પાટીલના ફોટા હટાવીને નવા અધ્યક્ષના ફોટા અપલોડ કરી રહ્યા છે જે આ ફેરફારની સ્વીકૃતિનું સ્પષ્ટ ચિત્ર છે.

03

સી.આર. પાટીલના કાર્યકાળમાં ભાજપે પ્રધાનમંત્રી મોદીના નામે ચૂંટણીઓમાં રેકોર્ડ જીત મેળવી પરંતુ આ જીતોની સાથે કાર્યકર્તાઓની અંદર અસંતોષની ધારા વહેતી રહી. આવા વાતાવરણમાં જગદીશ પંચાલની નિમણૂક એક કાર્યકર્તાઓમાં એક અનેરી તાજગી લાવી છે. પંચાલ જે અમદાવાદ શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ રહ્યા છે તેમની કાર્યપદ્ધતિમાં કાર્યકર્તા મૈત્રીનો ભાવ જોવા મળે છે. તેમણે પદગ્રહણ પ્રસંગે કહ્યું, "પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે." આ વાક્ય કાર્યકર્તાઓના હૃદયને સ્પર્શી ગયું છે.

સમગ્ર ગુજરાતમાંથી આવતા પ્રતિસાદો દર્શાવે છે કે કાર્યકર્તાઓમાં વિશ્વાસ અને હૂંફની આશા જાગી છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાંથી લઈને ગ્રામીણ વિસ્તારો સુધી કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ પંચાલના ફોટા અપડેટ કર્યા છે. એક કાર્યકર્તા કહે છે, "પાટીલજીના સમયમાં દબાણ હતું, હવે પંચાલજી સાથે અમે આત્મીયતા અને કામ કરવાની આજાદી અનુભવીએ છીએ." આ પ્રક્રિયા સહજ છે પરંતુ તેમાં હતાશામાંથી મુક્તિ પણ એક અગત્યની ભૂમિકામાં છે. પંચાલની નિમણૂક પાર્ટીની 'બૂથ સ્તરના કાર્યકર્તાને પ્રમુખ બનાવવાની પરંપરાને મજબૂત કરે છે જે પ્રધાનમંત્રી મોદીઅને ગૃહમંત્રી અમીત શાહના માર્ગદર્શનનું પ્રતીક છે.

bjp-gujarat
bjp.org

કાર્યકર્તાઓમાં લાગણી છે કે આ ફેરફારથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે. પંચાલ 10 ઓક્ટોબરથી અંબાજીથી ગુજરાત ભ્રમણ શરૂ કરી રહ્યા છે જેમાં 8 દિવસમાં જિલ્લાઓ અને શહેરોનો પ્રવાસ કરી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નવો ઉત્સાહ પાર્ટીને વધુ સશક્ત બનાવશે. 'સી.આર. પાટીલ-મુક્ત' ગુજરાતમાં કાર્યકર્તાઓની આ નવી ઉર્જા 'વિકસિત ભારત-વિકસિત ગુજરાત'ના સ્વપ્નને વધુ વેગ આપશે. આ આવકાર ગુજરાત ભાજપના સંગઠનમાં એક નવા યુગની શરૂઆત છે જ્યાં કાર્યકર્તાઓ પોતાની અંતરાત્માનો આવાજ સાંભળીને શીર્ષસ્થ નેતૃત્વમાં માર્ગદર્શનમાં આગળ વધશે.

About The Author

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.