પરિવારનું સન્માન જ સૌથી મોટી સંપત્તિ છે

(ઉત્કર્ષ પટેલ)

જીવનની દોડધામમાં આપણે અનેક સંપત્તિઓની પાછળ દોડીએ છીએ, જેમકે ધન, મકાન, સત્તા, વાહનો અને વૈભવ. પરંતુ ખરી સંપત્તિ તો પરિવારનું સન્માન છે જે અમૂલ્ય અને અમર છે. આ સન્માન પરિવારના દરેક સભ્યની અંતરઆત્મા સાથે જોડાયેલું છે. વડીલો, ભાઈઓ, બહેનો, સંતાનો અને પૂર્વજો. તેમનું સમ્માન કરીને જ આપણે જીવનનું સાચું સુખ અને શાંતિ મેળવી શકીએ છીએ. આ વિચારને સમજીએ તો જીવન સાર્થક બની જાય.

03

પરિવારના વડીલો, માતા-પિતા, દાદા-દાદી તેઓ આપણા જીવનના મૂળ છે. તેમના અનુભવો અને સંસ્કાર આપણને માર્ગદર્શન આપે છે. તેમનું સન્માન કરવું એટલે તેમની તપસ્યાને માન આપવું. ભાઈઓ અને બહેનો તો પરિવારના સ્તંભ છે. તેઓ સુખદુઃખમાં સાથ આપે છે, હાસ્ય અને પ્રેમ વરસાવે છે. ભાઈઓની સુરક્ષા અને બહેનોની કાળજી વિના પરિવાર અધૂરો છે. તેમના વચ્ચેનું બંધન જેટલું મજબૂત તેટલી જ પરિવારની એકતા અટલ બને છે. સંતાનો તો પરિવારનું ભવિષ્ય છે. તેમને સન્માન આપીને, તેમને યોગ્ય માર્ગે દોરી જઈએ તો તેઓ આપણા સપનાઓને પૂરા કરે. અને પૂર્વજો? તેઓ આપણા વારસાના વાહક છે. તેમની વાર્તાઓ અને વારસાને જાળવીને આપણે તેમનું સન્માન કરીએ જે આપણને મૂળભૂત મૂળો સાથે જોડી રાખે છે.

પરંતુ આજના સમયમાં ધનસંપદા માટે વિવાદો પરિવારને તોડી વિખેરી નાખે છે. કેટલાક લોકો વારસાની લડાઈમાં ભાઈ-બહેનોને દુશ્મન બનાવી દે છે, વડીલોને અવગણે છે અને સંતાનોને લાગણીહીન બનાવે છે. આવા વિવાદોથી દૂર રહીને પરિવારની એકતા અને આત્મીયતાને મહત્ત્વ આપવું જરૂરી છે. ધન તો આવે અને જાય પરંતુ પરિવારની એકતા ટકી રહે તો જ જીવન સફળ છે.

02

આખરે એટલું કહીશ કે પરિવારનું સન્માન કરીને જ આપણે જીવનની સાચી સંપત્તિ મેળવી શકીશું. વડીલોના આશીર્વાદ, ભાઈ-બહેનોનો પ્રેમ, સંતાનોની ખુશી અને પૂર્વજોનો વારસો આ બધું જ આપણને સદ્ધર અને અમર બનાવે છે. વિવાદોને ત્યજી, એકતા અપનાવીએ અને પોતાના પરિવારમાં પ્રેમથી જીવીએ.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ

ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું નામ આવે ત્યારે તેમની સફળતાની વાત અનિવાર્યપણે થાય છે. પરંતુ આ તમામ સિદ્ધિઓ પાછળ એક એવું...
Opinion 
સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

Opinion

સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ
ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું નામ આવે ત્યારે તેમની સફળતાની વાત અનિવાર્યપણે થાય છે. પરંતુ આ તમામ સિદ્ધિઓ પાછળ એક એવું...
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
Copyright (c) Khabarchhe All Rights Reserved.