CM રેવંત રેડ્ડી 3 કરોડ હિન્દુ દેવતાઓ વિશે એવું બોલ્યા કે ભાજપે કહ્યું- ‘રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીશું’

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટીની આંતરિક એકતા પર વાત કરતા હિન્દુ દેવી-દેવતાઓને લઈને કંઈક એવું નિવેદન આપી દીધું છે કે જેના કારણે વિવાદ ઊભો થઈ ગયો છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મમાં 3 કરોડ દેવી-દેવતાઓ છે, અને લોકો પોતાના દેવતાઓને લઈને પણ એકમત નથી. કોઈ અયપ્પા સ્વામીની પૂજા કરે છે, કોઇ શિવની, અને આપણે બધા જોઈ રહ્યા છીએ. ગોશામહલના ધારાસભ્ય અને સસ્પેન્ડ કરાયેલા ભાજપના નેતા ટી. રાજા સિંહે રેવંત રેડ્ડીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે.

revanth-reddy1
neopolitico.com

બુધવારે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિની ગાંધી ભવનમાં એક મોટી બેઠક થઈ હતી. TPPC અધ્યક્ષ મહેશ કુમાર ગૌડે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. AICCના પ્રભારી મીનાક્ષી નટરાજન, AICC સચિવ વિશ્વનાથન અને સચિન સાવંત, ઘણા મંત્રીઓ, નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખો અને પૂર્વ જિલ્લા પ્રમુખો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં પાર્ટીમાં સર્વસહમતિના અભાવ અંગે બોલતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, ‘જો દેવતાઓ પર આપણી સામાન્ય સહમતિ નથી, તો પાર્ટીમાં આટલા બધા લોકો કેવી રીતે સહમત થઈ શકે?’

રેવંત રેડ્ડીએ આગળ કહ્યું કે, ‘હિંદુ ધર્મમાં કેટલા દેવી-દેવતાઓ છે? 3 કરોડ, છે ને? કેમ? જેમને લગ્ન નથી કર્યા, તેમના માટે હનુમાન છે. જે લોકો પરિણીત છે તેમના માટે વધુ એક દેવતા, જે લોકો દારૂ પી છે તેમના માટે એક દેવતા. એલ્મ્મા, પોશમ્મા અને દાળ-ભાત ખાનારાઓ માટે એક દેવતા. આ રીતે રીતે દેવતાઓ પર કોઈ એકમત નથી. કોઈ કહે છે કે હું ભગવાન બાલાજીની ભક્તિ કરીશ, કોઈ કહે છે, નહીં હું હનુમાનની પૂજા કરીશ, કોઈ કહે છે નહીં, હું અયપ્પા સ્વામીની દીક્ષા લઈશ, કોઈ કહે છે કે હું શિવની પૂજા કરીશ. આપણે આ બધું જોઈ રહ્યા છીએ.

revanth-reddy2
hyderabadmail.com

રેવંત રેડ્ડીનું આ નિવેદન જેવું જ સામે આવ્યું ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા ટી. રાજા સિંહે આકરી પ્રતિક્રિયા આપી, તેને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ગણાવ્યું. તો તેલંગાણા ભાજપે પણ રેડ્ડીના નિવેદન પર રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી આ નિવેદન પર સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી નથી. હાલમાં રેવંત રેડ્ડીના આ નિવેદનથી તેલંગાણામાં એક નવો રાજકીય વિવાદ ઉભો થઇ ગયો છે.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.