mohandas karamchand gandhi - (મોહનદાસ કરમચંદ ગાંધી)

વિશ્વાસ અને વિશ્વશાંતિ

માનવસ્વભાવ વિશે શંકા કરવાનો હું ઈનકાર કરું છું. કોઈ પણ મૈત્રીભર્યા અને ઉમદા કાર્યનો પ્રત્યુત્તર એ વાળશે જ અને એણે વાળવો જોઈએ. માનવ અને માનવજાતિ પ્રત્યે મારામાં વિશ્વાસનો અભાવ નથી. (જેઓને અવિશ્વાસ છે) તેમણે ઈશ્વર સમક્ષ જવાબ આપવાનો રહેશે. એટલે...
Magazine: બાપુની વાતો 

પરસ્પર સહિષ્ણુતા

પરસ્પર સહિષ્ણુતા જ આચરણનો સર્વશ્રેષ્ઠ નિયમ છે. આપણા સહુના વિચાર એકસરખા નહીં જોવા મળે અને સત્યને આપણે હંમેશાં ખંડિત અને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોશું. અંતરનો અવાજ સૌને માટે સરખી વસ્તુ નથી. એટલે વ્યક્તિગત આચરણ માટે એ જોકે માર્ગદર્શક છે, ...
Magazine: બાપુની વાતો 

સમાન વર્તન

મારી મુખ્ય નેમ - આખા જનસમાજમાં સમાન હક અને સમાન વર્તન એટલે કે સેવા કરવાનો સમાન હક. અર્ધસત્ય એ છે કે બધા જ સરખા છે કારણ કે એ બધાની ઉંમર, ઊંચાઈ, ચામડી અને બુદ્ધિ સરખી નહીં હોવા છતાં આ અસમાનતાઓ...
Magazine: બાપુની વાતો 

જીવનનો નિયમ

શસ્ત્રબળના બીજા અખતરાઓ તો હજારો વર્ષ થયાં થતા જ આવ્યા છે. તેનાં કડવાં પરિણામો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ભવિષ્યમાં તેમાંથી મીઠાં પરિણામો ઊપજવાની આશા થોડી જ બાંધી શકાય. અંધારામાંથી જો અજવાળું ઉત્પન્ન કરી શકાતું હોય તો વેરભાવમાંથી પ્રેમભાવ પ્રકટાવી શકાય....
Magazine: બાપુની વાતો 

સંયોજક શક્તિ

દયાબળ તે આત્મબળ છે, તે સત્યાગ્રહ છે અને આ બળના પુરાવા ડગલે ડગલે નજરે આવી રહે છે. તે બળ ન હોય તો પૃથ્વી રસાતળ પહોંચી ગઈ હોત... હજારો બલકે લાખો પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે. કરોડો કુટુંબોના ક્લેશનો સમાવેશ...
Magazine: બાપુની વાતો 

સમાન નાગરિકત્વ

લઘુમતી કોમોની વસતિના લોકોને ખાતરી થવી જોઈએ કે જે રાજ્યમાં વસે છે તેના વધુમતી કોમની વસતિના પ્રજાજનો જેવા જ પોતે પણ ગણતરી રાખવા જેવા શહેરીઓ છે. હિંદુ વધુમતી કોમને પોતાના ધર્મની અને ફરજની કિંમત હોય તો તે કોઈ પણ ભોગે...
Magazine: બાપુની વાતો 

ધર્મો પ્રત્યે આદર

અમે એકબીજાના ધર્મનો કોઈ પણ રીતે વિરોધ નહીં કરીએ, એકબીજાની ધાર્મિક લાગણી નહીં દુભવીએ. પોતાના ધર્મપ્રચારને નામે બીજા ધર્મોની નિંદા કરવાની પ્રવૃત્તિ ચાલવા ન જ દઈ શકાય. એકબીજાના ધર્મની બદગોઈ કરવી, ગમે તેવાં નિરંકુશ કથનો કરવાં, અસત્યનું ઉચ્ચારણ કરવું, નિર્દોષના...
Magazine: બાપુની વાતો 

કોમી રમખાણો

જે નિરંકુશ ગુંડાશાહી ત્યાં ચાલી રહી છે તે એક અનેકમુખી રાક્ષસ છે. અંતે તે સૌને - તે કરનારાઓને પણ - હાનિ પહોંચાડે છે. બેમાંથી એક જ પક્ષ જો સામો એવો જ પ્રતિકાર કરવાનું માંડી વાળે, તો તોફાનો ચાલે નહીં ને...
Magazine: બાપુની વાતો 

કોમી સંવાદિતા

હું જાણું છું કે મારા જીવતાં નહીં તો મારા મરણ પછી હિંદુ અને મુસલમાન, બંને તેના સાક્ષી હશે કે મેં સાંપ્રદાયિક શાંતિની લાલસા ક્યારેય છોડી નહોતી. મારી અભિલાષા તો એ છે કે જરૂર હોય તો મારા લોહીથી બંને કોમોને હું...
Magazine: બાપુની વાતો 

ગ્રામીણ અર્થકારણ

મારી પાસે ઐતિહાસિક પુરાવો તો નથી પણ મેં હંમેશાં માન્યું છે કે ભારતવર્ષમાં એક કાળે ગામડાંનું અર્થકરણ આવા નિર્દોષ અહિંસક વ્યવસાયો ઉપર રચાયું હતું. માણસના હકો ઉપર નહીં પણ માણસના ધર્મો અને ફરજો ઉપર તે ખડું હતું. આવા ધંધાઓમાં રોકાનારા...
Magazine: બાપુની વાતો 

અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર

મારે કબૂલ કરવું જોઈએ કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું ભેદ પાડતો નથી. જે અર્થશાસ્ત્ર વ્યક્તિ અથવા પ્રજાનાં હિતને ઈજા કરે તે નીતિની વિરુદ્ધ હોઈ પાપ છે. તેથી એક દેશને હાથે બીજા દેશને કચડવાને સારુ અર્થશાસ્ત્રનો પ્રયોગ થાય તેને હું...
Magazine: બાપુની વાતો 

સમાજવાદમાં સમાનતા

સમાજવાદ સુંદર શબ્દ છે. હું જાણું છું ત્યાં લગી સમાજવાદ એટલે સમાજનાં બધાં અંગ સરખાં, ન કોઈ નીચાં ન કોઈ ઊંચાં. નથી માથું ઊંચું કેમ કે તે શરીરની ટોચ પર છે, નથી પગનાં તળિયાં નીચાં કેમ કે તે જમીનને અડે...
Magazine: બાપુની વાતો