કર્મચારીને વારંવાર બાથરૂમ જવાનું ભારે પડી ગયું, કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો

પૂર્વી ચીનમાં એક એન્જિનિયરને વારંવાર અને ઘણા લાંબા સમય સુધી બાથરૂમ બ્રેક લેવા બદલ ખુબ મોટી કિંમત ચૂકવવી પડી. તે વ્યક્તિએ પોતે હરસથી પીડિત હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તો પણ કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ કેસ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં તેને આંશિક રાહત મળી, પરંતુ સંપૂર્ણ વિજય મળ્યો નહીં.

એક સ્થાનિક અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર, લી નામના એન્જિનિયરે 2010માં જિઆંગસુ પ્રાંતમાં એક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેનો ઓપન-ટર્મ કોન્ટ્રાક્ટ 2014માં રિન્યૂ કરવામાં આવ્યો. એપ્રિલ અને મે 2024ની વચ્ચે, માત્ર એક મહિનામાં, તેણે 14 બાથરૂમ બ્રેક લીધા, જેમાંથી એક લગભગ ચાર કલાક સુધી ચાલ્યો હતો.

કંપનીએ જણાવ્યું હતું કે, નોકરીમાં લીની ભૂમિકા એવી હતી કે, તેણે હંમેશા હાજર રહેવાની અને કામ સંબંધિત સંદેશાઓનો તાત્કાલિક જવાબ આપવાની જરૂર હતી. જ્યારે મેનેજમેન્ટે તેની ગેરહાજરી જોઈ અને ચેટ એપ દ્વારા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં.

China-Engineer-Fired
ndtv.com

પછી કંપનીએ કોર્ટમાં CCTV ફૂટેજ રજૂ કર્યા, જેમાં લી વારંવાર અને લાંબા સમય સુધી બાથરૂમમાં જતા દેખાય છે. કંપનીના નિયમો અનુસાર, પરવાનગી વિના લાંબા સમય સુધી કાર્યસ્થળ પર હાજર ન રહેવું એ ગેરહાજરી માનવામાં આવે છે. 180 દિવસની અંદર ત્રણ કાર્યદિવસ ગેરહાજર રહેવાથી તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે. કંપનીએ મજૂર સંઘની મંજૂરીથી કાર્યવાહી કરી.

પોતાના બચાવમાં, લીએ મે અને જૂન 2024માં ઓનલાઈન ખરીદેલી હરસની દવાઓની રસીદો અને જાન્યુઆરી 2025ની સર્જરીના હોસ્પિટલ રેકોર્ડ રજૂ કર્યા. તેમણે દાવો કર્યો હતો કે, બીમારીને કારણે તેમને લાંબા વિરામ લેવા પડ્યા હતા અને તેમને નોકરીમાંથી બરતરફ કરવો ગેરકાયદેસર હતો. તેમણે 320,000 યુઆન (આશરે 45,000 US ડૉલર) વળતરની માંગણી કરી હતી.

China-Engineer-Fired3
hindustantimes.com

જોકે, કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, લીનો રજાનો સમય તેમની શારીરિક જરૂરિયાતો કરતાં વધુ હતો. તેણે એ પણ નોંધ્યું હતું કે, તબીબી રેકોર્ડમાં ઘણા વિરામ હતા. લીએ ન તો કંપનીને તેની બીમારી વિશે અગાઉથી જાણ કરી હતી કે, ન તો માંદગીની રજા માટે અરજી કરી હતી, જે તેમના કરારની શરતોનું ઉલ્લંઘન કરે છે.

બે સુનાવણી પછી, કોર્ટે મધ્યસ્થી કરી અને કંપનીને લીની સેવા અને બેરોજગારીની મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા, કંપનીને 30,000 યુઆન (આશરે 4,200 US ડૉલર) વળતર ચૂકવવા સંમતિ આપી.

રિપોર્ટ અનુસાર, ચીનમાં પહેલા પણ આવા જ કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. 2023માં, જિઆંગસુમાં બીજા એક કર્મચારીને છ કલાક સુધીનો બાથરૂમ બ્રેક લેવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, અને કોર્ટે કંપનીના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.