કચ્છમાં જૂના કપડા માગવા આવતા અને પછી ચોરી કરી ભાગતા 2 સગા ભાઇ પકડાયા

કચ્છમાં જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતા બે સગા ભાઈ પકડાયા છે. આરોપી દ્વારા કચ્છના વિવિધ ગામડાંઓમાં જઈને જૂના કપડાં માગીને તેને વેચવાની આડમાં બંધ મકાનોની રેકી કરતા હતા અને પછી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પકડાયેલા બંને આરોપી બોટાદના રાણપુરના રહેવાસી છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભુજના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આરોપીઓ ચોરીનો માલ ભુજના મહેશ કેશવજી સોની નામના સોનીને વેચતા હતા. સોનીએ આરોપી દ્વારા ચોરાયેલા ઘરેણાં ખરીદીને તેની લગડી બનાવી આપી હતી. પોલીસે લગડી રીકવર કરી લીધી છે. જોકે, સમગ્ર ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહેશ સોનીને આરોપીના બનાવતાં આશ્ચર્ય ફેલાયો છે.

theft
legaluniverseadvocates.com

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, પોલીસે કચ્છના નખત્રાણાના યક્ષ 3 રસ્તા પાસે ઝૂંપડામાં રહેતા 2 સગા ભાઈ પર આશંકા જતા તપાસ હાથ ધરી હતી. જેમાં બંને ભાઈઓ પાસે ઘરફોડ માટે વપરાતા ડિસમિસ, ઈલેક્ટ્રિક પકડ, તાળાની ચાવીઓ સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતા પશ્ચિમ કચ્છના વિવિધ 12 સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યાનું સ્વીકાર્યું હતું.

બંને આરોપીએ કચ્છ-ભુજના વિવિધ 12 સ્થળે ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ગત 15 ઓક્ટોબરના રોજ માનકૂવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભુજ તાલુકાના ગોડપર સરલી ગામે ખીમીબેન મહેશ્વરી નામની મહિલાના બંધ ઘરમાંથી 50 હજારના રોકડ-દાગીનાની ચોરી કર્યા હતા. ભુજના મિરજાપર ગામે રમેશ ભોગીલાલ દરજીના બંધ મકાનમાંથી 39 હજારની રોકડ અને ઘરેણાંની ચોરી મામલે બંને આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી.

theft1
mountainone.com

આ ઉપરાંત  મુંદ્રાના મોટી ભુજપુર નજીક જબલપુર વાડી વિસ્તારમાં નારણભાઈ ગાંગીયા (ગઢવી)ના બંધ મકાનના તાળાં તોડી 26 હજારની રોકડ અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.87 લાખની ચોરી કરી હતી. આ મામલે ગત 23 ઓક્ટોબરના રોજ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નખત્રાણાના રામેશ્વર વિસ્તારમાં દશરથ દરજીયા નામના યુવકના ઘરમાં 21 સપ્ટેમ્બરના રોજ સોના-ચાંદીના ઘરેણાં મળી 1.20 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હોવા મામલે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આમ કચ્છ-ભુજના વિવિધ વિસ્તારોમાં બંને ભાઈઓએ ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી રાજા રમેશભાઈ રાઠોડ (ચિત્રાસણ) અને તેનો નાનો ભાઈ જયસિંગ ઉર્ફે પ્રવિણ ઉર્ફે સુકો બંને મૂળ બોટાદના રાણપુરના રહેવાસી છે. આરોપી વિરૂદ્ધમાં હળવદ, ભુજ અને હિંમતનગર સહિતા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ધરફોડની ફરિયાદ નોંધાઈ છે.  આરોપીઓ સાથે અન્ય 6 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં આરોપી રાજાની પત્ની ચમેલી ઉર્ફે મોતી, અજય હિંમતભાઈ વીરા, તેની પત્ની રોમન, ગંજીભાઈ કરમાવત, તેના 2 પુત્રોમાં ધારસિંહ અને નરેશનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.