કમાઉ પત્ની પાસે છૂટાછેડા બાદ પતિ પણ કરી શકે છે મેન્ટેનન્સની ડિમાન્ડ

On

તમે એવુ ઘણીવાર સાંભળ્યું હશે કે છૂટાછેડા બાદ પતિ પોતાની પત્નીને મેન્ટેનન્સ આપે છે, પરંતુ આ વખતે હાઈકોર્ટે પતિના હકમાં નિર્ણય કરતા પત્નીને આદેશ આપ્યો છે કે તે તેનાથી છૂટાછેડા મેળવેલ પતિને ભથ્થું આપે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક પત્નીને આદેશ આપ્યો કે તે પોતાના છૂટાછેડા મેળવેલ પતિને દર મહિને મેન્ટેનન્સ આપે. તમે વિચારી રહ્યા હશો કે આવુ શા માટે? તો તેને માટે જાણો આખો મામલો-

17 એપ્રિલ, 1992ના રોજ એક મહિલા અને પુરુષના લગ્ન થયા. બાદમાં પત્નીએ ક્રૂરતાના આધાર પર પતિ સાથે છૂટાછેડા માંગ્યા. 2015માં નાંદેડની કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા. પતિએ નીચલી કોર્ટમાં એક અરજી કરી કે પત્ની પાસેથી તેને દર મહિને 15 હજાર રૂપિયા મેન્ટેનન્સ અપાવો. પતિએ કહ્યું કે, તેની પાસે કોઈ સોર્સ ઓફ ઈન્કમ નથી. જ્યારે તેની પત્નીએ MA તેમજ B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે અને સ્કૂલમાં ટીચર છે.

તેના પતિએ દાવો કર્યો કે, તેણે પોતાની પત્નીને ભણાવી છે. પત્ની દર મહિને 30 હજાર રૂપિયાની કમાણી કરે છે. પતિનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું. તે કોઈ નોકરી નથી કરી શકતો. પત્ની પાસે ઘરનો બધો જ સામાન અને પ્રોપર્ટી પણ છે. પત્નીએ દાવો રદ્દ કરવા માટે કહ્યું કે, પતિ એક કરિયાણાની દુકાન ચલાવે છે. તે એક રિક્શાનો માલિક છે. રિક્શા ભાડે આપીને પૈસા કમાય છે. બંનેની એક દીકરી છે, જે માતા પર નિર્ભર છે. આ કેસમાં કોર્ટે બંને પક્ષની આવક અને પ્રોપર્ટી જોતા પત્નીને આદેશ કર્યો કે તે પોતાના પતિને દર મહિને 3 હજાર રૂપિયા મેન્ટેનન્સ આપે.

મેન્ટેનન્સની માગણી કોણ-કોણ કરી શકે છે?

  • શારીરિક અથવા માનસિકરીતે અસ્વસ્થ પતિ જે પૈસા કમાવાને લાયક નથી.
  • છૂટાછેડા મેળવેલ પત્ની.
  • વૃદ્ધ માતા-પિતા.
  • અપરિણિત અથવા વિધવા બહેન.

પતિને મેન્ટેનન્સને લઈને કાયદો શું કહે છે?

હિંદુ મેરેજ એક્ટ, 1955 અનુસાર, પતિ અને પત્ની બંને એકબીજા પાસેથી મેન્ટેનન્સની ડિમાન્ડ કરી શકે છે.

ધારા 24- જો કોર્ટમાં પતિ-પત્નીનો કોઈ કેસ ચાલી રહ્યો હોય અને કાર્યવાહી દરમિયાન કોર્ટને એ જાણવા મળે કે પતિ પોતાની જરૂરિયાત પૂર્ણ નથી કરી શકતો. ત્યાં સુધી કે તેની પાસે આ કાર્યવાહી માટે પણ પૈસા નથી તો કોર્ટ પત્નીને આદેશ આપી શકે છે કે તે પોતાના પતિને મેન્ટેનન્સ અને કોર્ટ કેસમાં આવનારા ખર્ચ માટે પૈસા આપે. જોકે, તેમા પત્નીની પાસે સોર્સ ઓફ ઈન્કમ હોવી જરૂરી છે.

જો પતિ પાસે પ્રોપર્ટી અને કમાવાની ક્ષમતા હોય તો પત્ની પાસેથી મેન્ટેનન્સનો દાવો ના કરી શકાય. જો પતિએ કોર્ટમાં પત્ની પાસેથી મેન્ટેનન્સનો દાવો કર્યો હોય તો તેણે પુરાવા પણ આપવા પડે કે તે શારીરિક અને માનસિકરીતે કમાવા લાયક નથી.

ધારા 25- પતિને પર્મેનન્ટ મેન્ટેનન્સ અને ભરણ-પોષણ મળવાનો નિયમ સામેલ છે. આ પરિસ્થિતિમાં કોર્ટ પતિ અને પત્ની બંનેની પ્રોપર્ટીને ધ્યાનમાં રાખીને વિચાર કરે છે. માની લો કે, કોર્ટે પત્નીને આદેશ આપ્યો કે તે પોતાના પતિને મહિનામાં એક પર્મેનન્ટ મેન્ટેનન્સ આપે. પછી થોડાં સમય બાદ જો પતિ કમાવાને લાયક બની જાય અને કામ કરવા માંડે તો પત્નીના દાવા પર કોર્ટ પોતાના નિર્ણયને રદ્દ અથવા બદલી શકે છે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.