બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને દુનિયા હવે વધું મૂક પ્રેક્ષક બનીને રહી શકે નહીં. બલુચિસ્તાનના નેતા મીર યાર બલૂચે બુધવારે આ ક્ષેત્રમાં દાયકાઓથી ચાલી આવતી હિંસા, બળજબરીથી ગુમ થવા અને માનવાધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા કરી, અને X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે બલુચિસ્તાનના લોકોએ પોતાનો "રાષ્ટ્રીય ચુકાદો" આપી દીધો છે અને દુનિયાએ હવે ચૂપ રહેવું જોઈએ નહીં.  મીર યારે લખ્યું - તમે મારશો, અમે નિકળશું. અમે પ્રજાતિઓને બચાવવા માટે નીકળ્યા છીએ, આઓ અમારો સાથ આપો."

ભારત અને સમગ્ર વિશ્વને કરી અપીલ

તેમણે ભારતીય નાગરિકો, ખાસ કરીને મીડિયા, યુટ્યુબર્સ અને બૌદ્ધિકોને બલૂચોને "પાકિસ્તાનના પોતાના લોકો" કહેવાથી દૂર રહેવા વિનંતી કરી. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું- પ્રિય ભારતીય દેશભક્ત મીડિયા, યુટ્યુબ મિત્રો, ભારતની રક્ષા માટે લડતા બૌદ્ધિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ બલૂચોને 'પાકિસ્તાનના પોતાના લોકો' ન કહે. 
અમે પાકિસ્તાની નથી, અમે બલૂચીસ્તાની છીએ. પાકિસ્તાનના પોતાના લોકો પંજાબી છે જેમણે ક્યારેય હવાઈ બોમ્બમારો, બળજબરીથી ગુમ થવા અને નરસંહારનો સામનો કર્યો નથી.

Balochistan
nationalfrontier.in

પાકિસ્તાન POK ભારતન માટે છોડી દો

મીર યાર બલૂચે પાકિસ્તાનના અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) પર ભારતના વલણને સંપૂર્ણ સમર્થન આપ્યું. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી કે તેઓ પાકિસ્તાન પર આ વિસ્તાર ખાલી કરવા માટે દબાણ લાવે. મીર યારે કહ્યું, "બલુચિસ્તાન ભારત દ્વારા પાકિસ્તાનને PoK ખાલી કરવા કહેવાના નિર્ણયને  સંપૂર્ણ સમર્થન આપે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને વિનંતી કરવી જોઈએ કે તે ઢાકામાં તેના 93,000 લશ્કરી કર્મચારીઓના શરણાગતિ જેવા બીજા અપમાનથી બચવા માટે તાત્કાલિક PoK છોડી દે.

Balochistan1
livehindustan.com

ભારત પાકિસ્તાની સેનાને હરાવવા સક્ષમ છે અને જો પાકિસ્તાન ધ્યાન નહીં આપે તો ફક્ત પાકિસ્તાની લોભી સેનાના જનરલોને જ રક્તપાત માટે જવાબદાર ઠેરવવા જોઈએ કારણ કે ઇસ્લામાબાદ પીઓકેના લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે." તેમણે બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે ભારત અને વૈશ્વિક સમુદાય પાસેથી માન્યતા અને સમર્થન મેળવવાની પણ હાકલ કરી.

https://twitter.com/miryar_baloch/status/1922560527416295896?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1922560527416295896%7Ctwgr%5E62900b27a2b64a71c6b86da0e585b240e6748bb5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fworld%2Fasia%2Fbalochistan-is-not-pakistan-baloch-leader-declares-independence-said-leave-pok-for-india-2025-05-14-1135442

બલુચિસ્તાનનું જણાવ્યું સત્ય

મીર યાર બલૂચના મતે, દુનિયાએ બલુચિસ્તાન પર પાકિસ્તાનના વર્ણનને સ્વીકારવું જોઈએ નહીં, જેના પર તેમણે કહ્યું કે, વિદેશી શક્તિઓની સંડોવણી સાથે બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો.
બલુચિસ્તાનમાં લાંબા સમયથી ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન થઈ રહ્યું છે. આમાં બળજબરીથી ગુમ થવું, ન્યાયિક હત્યાઓ અને અસંમતિનું દમન શામેલ છે. પાકિસ્તાની સુરક્ષા દળો અને સશસ્ત્ર જૂથો બંને પર દુર્વ્યવહારનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચાલુ સંઘર્ષમાં ઘણીવાર નાગરિકો ભોગ બને છે, જેમાં મીડિયાની પહોંચ કે કાનૂની જવાબદારી ઓછી હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ચિંતા વધી છે, અર્થપૂર્ણ હસ્તક્ષેપોનો અભાવ બનેલો રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ

દાહોદ જિલ્લામાં વીજ મીટરોમાં છેડછાડ કરી મોટા પાયે વીજ ચોરી કરવાનું એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. MGVCL (મધ્ય ગુજરાત...
Gujarat 
દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.