જે રસ્તેથી નીકળે છે વિશ્વના 20 ટકા તેલના જહાજો, તે હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને કેમ બંધ કરી દીધું

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ઈરાને લશ્કરી કવાયત દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટના કેટલાક ભાગોને અસ્થાયી રૂપે બંધ કરવાનો દાવો કર્યો છે, જે પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડતો વ્યૂહાત્મક જળમાર્ગ છે. ઈરાની મીડિયા અનુસાર, સુરક્ષા અને દરિયાઈ ચિંતાઓને કારણે લાઈવ-ફાયર કવાયત ઘણા કલાકો સુધી ચાલી હતી. અહીં તમને બતાવી દઈએ કે, વિશ્વના લગભગ 20 ટકા તેલ આ સ્ટ્રેટ દ્વારા આયાત અને નિકાસ કરવામાં આવે છે.

સાઉદી અરેબિયા, કુવૈત, ઇરાક, કતાર, બહેરીન, UAE અને ઈરાનમાંથી તેલ અને ગેસ ટેન્કર આ માર્ગમાંથી પસાર થાય છે, જે તેના સૌથી સાંકડા બિંદુ પર લગભગ 33 કિલોમીટર પહોળો છે. મોટાભાગનો પુરવઠો એશિયન બજારો માટે જતો હોય છે. US એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, સ્ટ્રેટના મોટા ભાગ માટે કોઈ વ્યવહારુ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ નથી.

Iran-Strait-of-Hormuz1
statemirror.com

ઈરાની મીડિયા અનુસાર, આ કવાયતમાં લાઈવ મિસાઈલ અને સપાટી પર ફાયરિંગનો સમાવેશ થતો હતો. ખલાસીઓને રેડિયો દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી. એક અર્ધ-સરકારી એજન્સીએ દાવો કર્યો હતો કે, દરિયાકાંઠેથી છોડવામાં આવેલી મિસાઇલો તેમના લક્ષ્યો પર પડી હતી. જોકે, બંધની હદ અને અસર અંગે સંપૂર્ણ વિગતો હજુ સુધી ઉપલબ્ધ નથી.

અહીં તમને બતાવી દઈએ કે, ઈરાનનું આ પગલું એવા સમયે આવ્યું છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. US એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન પહેલેથી જ અરબી સમુદ્રમાં તૈનાત છે. USUSS ગેરાલ્ડ R. ફોર્ડને મધ્ય પૂર્વમાં મોકલવાની પણ જાહેરાત કરી છે. US સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય પાણીમાં કોઈપણ અસુરક્ષિત પ્રવૃત્તિ સંઘર્ષનું જોખમ વધારી શકે છે.

Iran-Strait-of-Hormuz
ndtv.in

ઈરાન-US તણાવ વચ્ચે, જીનીવામાં બંને દેશો વચ્ચે પરોક્ષ પરમાણુ વાટાઘાટો ચાલી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનીએ USને કડક ચેતવણી આપતા કહ્યું કે, કોઈપણ હુમલાનો બદલો લેવામાં આવશે. નિષ્ણાતો માને છે કે સ્ટ્રેટના લાંબા સમય સુધી બંધ રહેવાથી તેલના ભાવમાં વધારો થઈ શકે છે અને વૈશ્વિક શિપિંગ પર અસર થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.