8 વર્ષની ઉંમરે બની ગયો AI સમિટનો કીનોટ સ્પીકર, જાણો કોણ છે રણવીર સચદેવા

ભારત અને વિદેશના ટેક નેતાઓ AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે રણવીર સચદેવા આ વૈશ્વિક કાર્યક્રમમાં સૌથી નાની ઉંમરના કીનોટ સ્પીકરની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાઇલ્ડ પ્રોડિજી, ટેક્નોલોજિસ્ટ અને ગ્લોબલ ઓથર ઇવેન્ટમાં પ્રાચીન ભારતીય ફિલોસોફી અને આધુનિક ટેક્નોલોજી પર વક્તવ્ય આપશે. રણવીરે અગાઉ પણ ઘણી AI અને ટેક ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે.

Ranvir Sachdeva
x.com/ANI

AI સમિટમાં ભાગ લઈ રહેલા 8 વર્ષીય કીનોટ સ્પીકરે જણાવ્યું હતું કે તે આ કાર્યક્રમમાં સૌથી નાની ઉંમરનો કીનોટ સ્પીકર છે. તે પ્રાચીન ભારતીય દર્શનશાસ્ત્ર અને આધુનિક ટેક્નોલોજી પર ચર્ચા કરશે. તેણે એમ પણ કહ્યું હતું કે, તે વિશ્વભરના અન્ય દેશો દ્વારા વિકસાવવામાં આવેલા AI પ્રત્યેના વિવિધ એપ્રોચ પર પણ પોતાના વિચારો શેર કરશે. આ કાર્યક્રમમાં તે ભારત AIને લઈને શું કરી રહ્યું છે અને પોતાના ભારતીય AI મોડેલના યુઝકેસનું પ્રદર્શન કરશે. AI સમિટમાં, રણવીર સિંહ સચદેવા જણાવશે કે તેનું AI મોડેલ ભારતના GDP અને AI સાક્ષરતામાં કેવી રીતે યોગદાન આપશે.

રણવીર સિંહ સચદેવા કોણ છે?

રણવીર સિંહ સચદેવા ભારતમાં થઈ રહેલા AI ઇમ્પેક્ટ સમિટ અગાઉ, AI ફોર ગુડ સમિટમાં સ્પીકર રહી ચૂક્યો છે. તેનો જન્મ 2017માં થયો હતો. તે એક ટેક્નોલોજિસ્ટ, ગ્લોબલ ઓથર અને TEDx સ્પીકર પણ રહી ચૂક્યો છે. AI ફોર ગુડ સમિટમાં રણવીરે એમ્બેસેડર તરીકે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત તે અન્ય ઘણી ટેક્નોલોજી સંસ્થાઓનો એમ્બેસેડર પણ રહી ચૂક્યો છે.

ગયા વર્ષે જુલાઈ 2025માં, રણવીરને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા યુવાનો અને પ્રતિનિધિઓ સમક્ષ AI અને ડિજિટલ ટેક્નોલોજી પર બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે AI ફોર ગુડ ગ્લોબલ સમિટમાં સૌથી નાની ઉંમરનો કીનોટ સ્પીકર પણ હતો. સપ્ટેમ્બર 2024માં માત્ર 6 વર્ષની ઉંમરે રણવીર UN હેડક્વાર્ટરમાં જનરલ એસેમ્બલી સત્રમાં હાજરી આપનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો સહભાગી રહી ચૂક્યો છે.

Ranvir Sachdeva
instagram.com/thesikhstriumph

એપલ સાથે તેનો શું સંબંધ છે?

રણવીર 2023માં માત્ર 5 વર્ષની ઉંમરે એપલ સ્વિફ્ટ પ્રોગ્રામર બનનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો પ્રોગ્રામર રહી ચૂક્યો છે. એપલના CEO ટિમ કૂકે, રણવીરને વર્ષ 2023માં આયોજિત WWDCમાં હાજરી આપવા માટે એપલના કેલિફોર્નિયા મુખ્યાલયમાં આમંત્રણ આપ્યું હતું.

About The Author

Related Posts

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.