શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને સુપર 8માં પ્રવેશી ગઈ છે. 15મી તારીખે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી મોટી ગ્રુપ સ્ટેજ મેચ થઈ, જેમાં ટીમ ઈન્ડિયા એકતરફી રીતે જીતી ગઈ. આ વખતે, એવી આગાહી કરવામાં આવી હતી કે, પાકિસ્તાન કઠિન લડાઈ આપશે, પરંતુ પડોશી દેશે રમતના મેદાન પર હથિયાર સંપૂર્ણપણે નીચે મૂકી દીધા. પાકિસ્તાનના ઇતિહાસમાં આ આઠમી વખત છે જ્યારે પાકિસ્તાન આ હારનો સામનો કરી રહ્યું છે. આ હારને ન ખેલાડીઓ કે ન તો ભૂતપૂર્વ ક્રિકેટરો પચાવી શક્યા. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવી પર પ્રહાર કર્યા હતા, જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ત્રણ સિનિયર ખેલાડીઓને ઠપકો આપ્યો હતો અને તેમને હટાવવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે, આફ્રિદીએ તેમના જમાઈ શાહીન આફ્રિદીને પણ ખુબ ફટકાર લગાવી હતી.

Shahid Afridi
freepressjournal.in

શાહિદ આફ્રિદીનું દુઃખ એક લાઈવ TV શોમાં સ્પષ્ટપણે નજરે આવી રહ્યું હતું. ભારત સામે 61 રનની કારમી હાર પછી, તેમણે સિનિયર ખેલાડીઓ શાહીન આફ્રિદી, બાબર આઝમ અને શાદાબ ખાનને ઠપકો આપ્યો. આફ્રિદીએ સ્પષ્ટપણે કહ્યું કે તેમને બહાર કરવાનો સમય આવી ગયો છે. તેમણે આ ફ્લોપ ખેલાડીઓને બદલવા માટે જુનિયર ખેલાડીઓની હિમાયત કરી. આફ્રિદી ઇચ્છે છે કે 18મી તારીખે પાકિસ્તાન નામિબિયા સામે ટકરાશે ત્યારે નવા ખેલાડીઓને તક આપવામાં આવે, જેથી તેઓ પોતાનો આત્મવિશ્વાસ વધારી શકે અને ટીમને વધુ સારા ખેલાડીઓ મળી શકે.

Shahid Afridi
republicbharat.com

બાબર, શાહીન અને શાદાબ વિશે આફ્રિદીએ કહ્યું, 'આપણે બધા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ. તેઓ ઘણા સમયથી રમી રહ્યા છે, બસ તેઓ રમી જ રહ્યા છે. જ્યાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આ ટીમ સામે સારું પ્રદર્શન કરશે, ત્યાં ઘણા બધા સિનિયર ખેલાડીઓ છે. જો સિનિયર પ્રદર્શન નથી કરી રહ્યા, તો પછી બહાર બેઠેલા જુનિયર ખેલાડીઓને રમાડો, એમાં શું મોટો ફરક પડી જશે?' શાહીન આફ્રિદી એ જ ખેલાડી છે જેની સાથે શાહિદ આફ્રિદીની પુત્રી અંશા આફ્રિદીના લગ્ન થયા છે.

હવે પ્રશ્ન એ છે કે આફ્રિદી આ ત્રણેય ખેલાડીઓથી આટલો ગુસ્સે કેમ છે. આ પાછળનું કારણ છે તેમનું નબળું પ્રદર્શન. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે આ ત્રણેય ખેલાડીઓ ફ્લોપ થયા હતા. બાબર આઝમે 7 બોલમાં 5 રન બનાવ્યા, જ્યારે શાહીન આફ્રિદીએ માત્ર 2 ઓવરમાં જ 31 રન આપી દીધા. જ્યારે, શાદાબ ખાને 1 ઓવરમાં 17 રન આપ્યા અને બેટથી પણ કઈ ખાસ કરી શક્યો ન હતો. જો આ ખેલાડીઓએ સિનિયોરિટી બતાવી હોત, તો પાકિસ્તાનનો 61 રનથી શરમજનક પરાજય થયો ન હોત.

Shahid Afridi
abplive.com

હવે મેચની વાત કરીએ તો, ભારતે શાનદાર બેટિંગ કરી પહેલી ઓવરમાં 175 રન બનાવ્યા અને પછી પાકિસ્તાનને 118 રનમાં ઓલઆઉટ કર્યું. શાહીને 2 ઓવરમાં 31 રન આપ્યા, છેલ્લી ઓવરમાં 16 રન આપ્યા. જ્યારે લક્ષ્યનો પીછો કરવાનો સમય આવ્યો, ત્યારે પાકિસ્તાની બેટિંગ લાઇનઅપ પત્તાના મહેલની જેમ તૂટી ગયું અને ભાગ્યે જ 118 રન બનાવી શક્યું. આ જીત સાથે, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 8-1 થઇ ગયો છે.

About The Author

Related Posts

Top News

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને...
Sports 
શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.