દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

(ઉત્કર્ષ પટેલ)

દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું. માતાનો પ્રેમ એ સમુદ્ર જેવો છે જેની ઊંડાઈ અને વિશાળતા સૌ કોઈ જુએ છે. પરંતુ પિતાનો ત્યાગ એ પર્વત જેવો છે જે ચૂપચાપ ઊભો રહીને પરિવારને આધાર આપે છે અને જેની ઊંચાઈની કદર ભાગ્યે જ થાય છે. માતા અને પિતા બંને પરિવારના બે પૈડાં છે પરંતુ જ્યાં માતા પોતાની લાગણીઓ વ્યક્ત કરીને પ્રેમ વરસાવે છે ત્યાં પિતા મૌન રહીને પોતાની જવાબદારીઓ નિભાવે છે. આ મૌન એ નબળાઈ નથી પણ એક એવી શક્તિ છે જે પરિવારનું ભવિષ્ય ઘડે છે.

photo_2025-05-11_18-24-13

સમાજમાં ઘણીવાર એવું કહેવાય છે કે પિતાને સમય નથી હોતો. પરંતુ આ સવાલ ઉઠે છે કે સમય ક્યાંથી હોય? પિતા એ વ્યક્તિ છે જે સવારે સૂરજ ઉગે તે પહેલાં ઘરની બહાર નીકળી જાય છે અને રાત્રે તારા ચમકે ત્યારે થાકેલું શરીર લઈને પાછો ફરે છે. એના હાથમાં ક્યારેક રૂપિયાની થેલી હોય છે તો ક્યારેક બાળકોની ખુશી માટે નાનીમોટી ભેટ. પરંતુ એના ચહેરા પરની થાકની રેખાઓ અને આંખોમાં છુપાયેલી ચિંતા ભાગ્યે જ કોઈ જુએ છે. એ ચિંતા હોય છે પરિવારની સુખાકારીની, બાળકોના શિક્ષણની, ઘરની આર્થિક જવાબદારીઓની. પિતા એ પરિવારનું એવું માધ્યમ છે, જે પોતાની ઈચ્છાઓને દબાવીને પરિવારના સપનાઓને પાંખો આપે છે.

02

પિતાનો ત્યાગ એટલે ફક્ત આર્થિક જવાબદારીઓ નહીં પરંતુ એ લાગણીઓનો પણ સમાવેશ થાય છે જે શબ્દોમાં વ્યક્ત થતી નથી. એ બાળકના રિપોર્ટ કાર્ડમાં ઓછા માર્કસ જોઈને ચૂપચાપ નિસાસો નાખે છે પણ બાળકને હિંમત આપે છે. એ પોતાની જરૂરિયાતો ભૂલીને બાળકોની ઈચ્છાઓ પૂરી કરે છે. એની આંખોમાં એક સપનું હોય છે પોતાના બાળકોને એ જીવન આપવાનું જે એને કદાચ ન મળ્યું હોય. આ સપનું એ દરરોજ નાનાનાના ત્યાગ દ્વારા સાકાર કરે છે.

kc suvichar

ઘણીવાર પિતાને સખત હૃદયના માનવામાં આવે છે પરંતુ પિતાનું હૃદય પણ એટલું જ નરમ હોય છે જેટલું માતાનું. ફરક માત્ર એટલો છે કે એ પોતાની લાગણીઓને છુપાવીને પરિવાર માટે ઢાલ બની જાય છે. જ્યારે બાળક બીમાર હોય ત્યારે માતા આંસુ વહાવે છે પરંતુ પિતા રાતોની ઊંઘ ભૂલીને દવા અને ડૉક્ટરની વ્યવસ્થા કરે છે. જ્યારે ઘરમાં આર્થિક તંગી હોય ત્યારે માતા ચિંતા કરે છે પરંતુ પિતા ચૂપચાપ વધુ મહેનત કરીને ઘરની ગાડીને પાટે ચડાવે છે.

photo_2025-05-11_18-23-45

પિતાનો ત્યાગ એક પ્રત્યેક પરિવારની એવી ગાથા છે જે ભાગ્યે જ ગવાય છે. એમની મહેનત, એમની ચિંતા, એમની લાગણીઓ ઘણીવાર અણગણાયેલી રહી જાય છે. પરંતુ આજે આપણે એને યાદ કરીએ. આપણે એ પિતાને વંદન કરીએ જે પોતાના ખભા પર પરિવારનો બોજ ઉપાડે છે અને ચૂપચાપ આગળ વધે છે. માતા જેટલું જ પિતાનું પણ મહત્ત્વ છે કારણ કે એ બંને મળીને જ એક પરિવારને પૂર્ણતા આપે છે. આજે એક વાર એ પિતાને યાદ કરો અથવા ગળે લગાવો. એમનો આભાર માનો કારણ કે એના ત્યાગ વિના આપણું આજનું જીવન અધૂરું હોત.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

Top News

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.