શું તમારા પતિ તમને કામને કારણે સમય નથી આપી શકતા કે રસ નથી લેતા? તો શું કરશો

હું એક પરિણીત મહિલા છું. મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. મારી સમસ્યા એ છે કે, હું મારા પતિથી કંટાળી ગઈ છું. મારા પતિ આખો દિવસ પોતાના કામમાં ડૂબેલા રહે છે. તેમની આ આદતના કારણે હું આ રિલેશનમાં એકલતા અનુભવુ છું. મારો આખો દિવસ પોતાના બાળકોને સંભાળવામાં નીકળી જાય છે. હું મારા પતિ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે રાહ જોઉં છું પરંતુ, તેઓ ઓફિસથી આવ્યા બાદ સ્ટડી રૂમમાં ચાલ્યા જાય છે. એટલું જ નહીં, હવે અમે બંને ખાવાનું પણ એકસાથે નથી ખાતા, જેના કારણે એકલતા અનુભવુ છું.

મારું તેમની સાથે વાત કરવાનું મન થાય છે. મને તેમની સાથે બહાર ફરવા જવાનું પણ મન થાય છે. પરંતુ, તેઓ પોતાના કામ સિવાય અન્ય બાબતોમાં વધુ રસ નથી લેતા. શું આ અમારા લગ્નજીવનનો અંત છે? મને સમજાઈ નથી રહ્યું કે, હું મારા પતિને કઈ રીતે સમજાવું. હું એવુ શું કરું, જેને કારણે તેમને એ એહસાસ થાય કે હું તેના કારણે કેટલી એકલી થઈ ગઈ છું.

એઆઈઆર ઈન્સ્ટીટ્યૂટ ઓફ રિયલાઈઝેશન એન્ડ એઆઈઆર સેન્ટર ઓફ એનલાઈટન્મેન્ટના સંસ્થાપક રવિ કહે છે કે, જો તમારા પતિ વર્કહોલિક છે, તો તેને ખોટી રીતે ના લો. આવુ એટલા માટે કારણ કે એક દારૂડિયો અથવા ડ્રગ એડિક્ટ હોવાની સરખામણીમાં એક કામકાજી પતિ હોવો વધુ સારું છે. તેઓ તમારા બધા માટે જ આટલી મહેનત કરી રહ્યા છે. એવામાં એવુ વિચારવાનું બંધ કરી દો કે આ તમારા લગ્નજીવનનો અંત છે.

આ સ્થિતિમાં ખૂબ જ ધૈર્યપૂર્વક-શાંતિથી અને પ્રેમથી પોતાના પતિ સાથે વાત કરો. તમે જે પણ અનુભવી રહ્યા છો તેના વિશે પોતાના પતિ સાથે વાત કરો. તેમજ તેમને એવુ પૂછો કે તેઓ આટલું કામ શા માટે કરી રહ્યા છે. શું તેમને કોઈ બાબત હેરાન કરી રહી છે. તેમની સાથે તેમના કામ વિશે વાત કરો. તમારા લગ્નજીવનના શરૂઆતી દિવસોને ફરી જીવિત કરો. જો તેઓ તમારી સાથે ખાવાનું ના ખાઈ રહ્યા હો તો તમે તેમની સાથે ખાવાનો પ્રયત્ન કરો. તેમના ફ્રી થવાની રાહ જુઓ. એક લગ્નજીવન ત્યારે જ સફળ થાય છે, જ્યારે બે લોકો એકસાથે રહે છે અને એકબીજાને સમજે છે. જો તમે બંને જ પોતાના સંબંધમાં રસ નહીં લેશો તો તમારું લગ્નજીવન જલ્દી ખરાબ થઈ જશે.

જો તમારા પતિને તમારી સાથે સ્પેન્ડ કરવા માટે પર્યાપ્ત સમય ના મળી રહ્યો હોય તો તેની પાછળ કોઈક ને કોઈક વ્યાજબી કારણ જરૂર હશે. એવામાં તમારે તેમની સાથે શાંતિથી વાત કરવી જોઈએ. આપણી કાર્ય પ્રણાલી પુરુષોને પર્યાપ્ત કમાણીની આશામાં બાંધી રાખે છે. જેના કારણે તેમણે દિવસ-રાત મહેનત કરવી પડે છે. એક પત્ની તરીકે તમારે તેમના કમિટમેન્ટ અને વર્કિંગ લાઈફને સમજવી પડશે જેથી તેમને તમારો ફુલ સપોર્ટ મળી શકે. જો તમે એવુ કરો છો, તો તેમને પણ સારું લાગશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.