'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે...', IPL ચેમ્પિયન બન્યા બાદ શું કહ્યું વિરાટ કોહલીએ

17 વર્ષ પછી, RCB એ પંજાબ કિંગ્સને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ  પહેલીવાર પોતાના નામે કર્યો. આ મહાન વિજય પછી વિરાટ કોહલી ખૂબ જ ભાવુક દેખાતો હતો. કોહલી એકમાત્ર ખેલાડી છે જે શરૂઆતથી જ RCB સાથે સંકળાયેલો છે. આ વિજય પછી, કોહલીની પ્રતિક્રિયા ખૂબ વાયરલ થઈ રહી છે.

વિરાટ કોહલીએ કહ્યું, 'આ જીત જેટલી અમારી ટીમ માટે છે તેટલી જ અમારા ચાહકો માટે પણ છે. આ 18 વર્ષની રાહ હતી. મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય આ ટીમને આપ્યો. મેં મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ આવશે. છેલ્લો બોલ ફેંકાતાની સાથે જ હું ભાવુક થઈ ગયો.'

કોહલીએ આગળ કહ્યું, 'એબી (ડીવિલિયર્સ) એ આ ફ્રેન્ચાઇઝી માટે જે કર્યું છે તે જોરદાર છે. મેં મેચ પહેલા તેને કહ્યું હતું કે - આ જીત એટલી તમારી પણ છે અને હું ઇચ્છું છું કે તમે અમારી સાથે ઉજવણી કરો. તે આજે પણ અમારા માટે સૌથી વધું મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવા વાળો ખેલાડી છે, ભલે તે ચાર વર્ષ પહેલા નિવૃત્ત થયો હોય. તે અમારી સાથે આ પોડિયમ પર હોવો જોઈએ.'

RCB
divyabhaskar.co.in

કોહલીએ કહ્યું કે હું હંમેશા આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું, ભલે ગમે તે થાય. એવી ક્ષણો આવી જ્યારે મેં વિચાર્યું કે કદાચ મારે છોડી દેવું જોઈએ, પરંતુ મેં આ ટીમ છોડી નહીં. મારું હૃદય બેંગ્લોર સાથે છે, મારો આત્મા બેંગ્લોર સાથે છે, અને જ્યાં સુધી હું IPL રમીશ, હું આ ટીમ માટે રમીશ. આજે રાત્રે હું શાંતિથી સૂઈશ. મને ખબર નથી કે હું આ રમત કેટલા વર્ષો રમી શકીશ. '

કોહલીએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે આખરે આ જીત મારા ખોળામાં આવી. કોહલીએ કહ્યું કે હરાજી પછી ઘણા લોકોએ અમને પ્રશ્ન કર્યો, પરંતુ બીજા દિવસ સુધીમાં અમને વિશ્વાસ થઈ ગયો હતો કે અમારી પાસે બધું જ છે જે અમને જોઈએ છે.

RCB2
newscapital.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ RCB એ 17 વર્ષ પછી જીત્યો છે. અંતિમ મેચમાં, RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં, પંજાબે ટોસ જીતીને RCB ને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. બંને ટીમો કોઈ ફેરફાર વિના આ ફાઈનલ મેચમાં ઉતરી. RCB પહેલા બેટિંગ કરવા આવી. RCB એ 9 વિકેટ ગુમાવ્યા બાદ 190 રન બનાવ્યા. કોહલીએ 43 રન બનાવ્યા. જેમીસન અને અર્શદીપે 3-3 વિકેટ લીધી. જવાબમાં પંજાબ કિંગ્સ ફક્ત 184 રન બનાવી શક્યું અને RCB એ ટાઇટલ જીત્યું.

About The Author

Top News

જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો માહોલ જામ્યો છે. આજે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર-16ના...
Gujarat 
જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

રાજ્યસભાsના સભ્ય બનવાથી નીતિશ કુમારનું ન માત્ર રહેઠાણનું સરનામું બદલાયું છે, પરંતુ તેમનો પગાર, સુવિધાઓ, ...
Politics 
2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી...
Gujarat 
છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની...
Sports 
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.