ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી થયો ટીમની બહાર

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કે.એલ.રાહુલ ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રાહુલ હજુ સુધી ઈન્જરીમાંથી રિકવર થઈ શક્યો નથી, તેથી ત્રીજી ટેસ્ટમાં પણ તે રમતો જોવા મળશે નહીં. ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલ પહેલી ટેસ્ટ રમ્યો હતો, જેમાં તે ઈન્જર્ડ થયો હતો અને બીજી ટેસ્ટથી તે બહાર થઈ ગયો હતો. પરંતુ તેને બાકીની 3 ટેસ્ટ મેચ માટે ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો, જેમાં BCCIએ કહ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા અને કે.એલ.રાહુલ ફીટ હશે તો તેને ત્રીજી મેચમાં રમાડવામાં આવશે.

ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને બધા જેની રાહ જોઈ રહ્યા હતા, તે  સમાચાર પણ આવી ગયા છે અને વિરાટ કોહલી આગામી ત્રણેય મેચમાં જોવા મળવાનો નથી. BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે અંગત કારણોસર વિરાટ કોહલી બાકીની ત્રણ મેચમાં પણ રમશે નહીં. BCCIએ 17 ખેલાડીઓની સ્ક્વોડ જાહેર કરી છે, જેમાં જસપ્રીત બૂમરાહને આરામ આપવામાં આવ્યો નથી, જે ભારત માટે રાહતની ખબર છે. આ સિવાય કે.એલ.રાહુલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં તો સમાવવામાં આવ્યા છે, પણ તે બંને ફીટ હશે તો જ રમાડવામાં આવશે એવું BCCIએ રિપોર્ટમાં કહ્યું છે. આ સિવાય શ્રેયસ ઐયરને ઈજાને કારણે ટીમમાં શામેલ કરવામાં આવ્યો નથી. આ સિવાય બોલર આકાશ દીપનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

3 ટેસ્ટ માટે ભારતીય ટીમ...

રોહિત શર્મા

જસપ્રીત બૂમરાહ

યશસ્વી જૈસવાલ

શુભમન ગીલ

કેએલ રાહુલ

રજત પાટીદાર

સરફરાઝ ખાન

ધ્રુવ જુરેલ

કેએસ ભરત

આર.અશ્વિન

રવિન્દ્ર જાડેજા

અક્ષર પટેલ

વોશિંગટન સુંદર

કુલદીપ યાદવ

મોહમ્મદ સીરાજ

મુકેશ કુમાર

આકાશ દીપ

ભારતીય ટીમને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલા જ જાડેજા અને કેએલ રાહુલન રૂપમાં 2 ઝટકા લાગ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી નહોતી. વિરાટ કોહલીએ અંગત કારણોનો સંદર્ભ આપીને બ્રેક માગ્યો હતો. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1થી બરાબર પર છે. હવે ત્રીજી ટેસ્ટ મેટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

ઇજાના કારણે શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બચેલી 3 ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો છે. જો કે, આગામી મહિને શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની વાપસી થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યર ગયા વર્ષે પણ બેક ઇન્જરીથી પરેશાન હતો, ત્યારબાદ તેની સર્જરી થઈ હતી. શ્રેયસ ઐય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપના માધ્યમથી ટીમમાં વાપસી કરી હતી. 

Top News

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.