ત્રણ અથવા વધુ બાળકો હોવા પર જલ્દી વૃદ્ધ થઈ જાય છે માતા-પિતાઃ રિસર્ચ

જો તમે બે કરતા વધુ બાળકોના પેરેન્ટ્સ છો તો તમે બે અથવા ઓછાં બાળકો ધરાવતા માતા-પિતાની સરખામણીમાં વધુ ઝડપથી ઘરડાં થઈ રહ્યા છો. કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં દાવો કર્યો છે કે, 3 અથવા તેના કરતા વધુ બાળકો ધરાવતા માતા-પિતા પોતાની અસલ ઉંમરથી 6.2 વર્ષ વધુ વૃદ્ધ થઈ જાય છે. રિસર્ચમાં ઝડપથી વૃદ્ધ થવાનું કારણ બાળકોના ઉછેરની ચિંતા અને આર્થિક ભારને ગણાવવામાં આવ્યા છે. આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ યુરોપના હેલ્થ, એજિંગ અને રિટાયર્મેન્ટ સર્વેના ડેટાને એનલાઈઝ કર્યા. આ ડેટાબેઝમાં 65 વર્ષ અથવા તેના કરતા વધુ ઉંમરના હજારો લોકોના ડેટા હાજર છે. આ તમામ લોકો ઓછામાં ઓછાં બે બાળકોના પેરેન્ટ્સ છે અને યૂરોપના 20 દેશો અથવા ઈઝરાયલમાં રહે છે.

રિસર્ચના પરિણામ કહે છે કે, વધુ બાળકો હોવાથી માતા-પિતા પર પણ વધુ જવાબદારીઓ આવી જાય છે. વધતા તણાવ અને આર્થિક ભારના કારણે તેમની એજિંગ પ્રોસેસ ઝડપી બની જાય છે, જેને કારણે તેઓ જલ્દી વૃદ્ધ થઈ જાય છે. ફ્રાન્સની પેરિસ ડૌફીન યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. એરિક બોનસાંગના જણાવ્યા અનુસાર, પેરેન્ટ્સની કોગ્નિટિવ ફંક્શનિંગ પર ત્રણ અથવા તેના કરતા વધુ બાળકો હોવાનો નકારાત્મક પ્રભાવ પડે છે. કોગ્નિટિવ ફંક્શનિંગનો મતલબ માતા-પિતાની મેમરી, ફોકસ કરવાની ક્ષમતા, બુદ્ધિ, નિર્ણય લેવાની ક્ષમતા વગેરે છે. આ અસર પુરુષો અને મહિલાઓમાં એક જેવી જ હોય છે.

રિસર્ચર્સનું માનવુ છે કે, વધુ બાળકોના પેરેન્ટ્સનો ખર્ચો વધુ થાય છે, જેને કારણે તેમની ફેમિલી ઈન્કમ ઘટે છે. જે તેમને ગરીબી રેખાની નીચે પણ લાવી શકે છે. જીવનનું સ્તર એટલું નીચે જવા માંડે છે જેના કારણે તેમનું કોગ્નિટિવ ફંક્શનિંગ ધીમુ થવાની આશંકા રહેલી છે. આ ઉપરાંત, આરામ ના કરી શકવો અને મેન્ટલ હેલ્થને સારી બનાવવાની એક્ટિવિટીઝમાં સામેલ ન થવાના કારણે પેરેન્ટ્સ જલ્દી ઘરડા થઈ જાય છે.

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધત્વમાં સોશિયલી એક્ટિવ રહેવા અને પોતાની સ્વતંત્રતા બનાવી રાખવા માટે કોગ્નિટિવ હેલ્થનું ધ્યાન રાખવુ જરૂરી છે. જોકે, બે કરતા વધુ બાળકો કોગ્નિટિવ હેલ્થ ખરાબ કરે છે, જેને કારણે સ્વાસ્થ્ય પર ખર્ચ વધે છે. વૃદ્ધોની કામ કરવાની ક્ષમતાને વધારવા અને હેલ્થકેરના ખર્ચને ઓછો કરવા માટે તેમની કોગ્નિટિવ હેલ્થ પર ધ્યાન આપવુ જોઈએ. હાલ, વૈજ્ઞાનિક એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, લોકો પર એક બાળક હોવાની અથવા બાળક ના હોવાની કેવી અસર પડે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.