ફ્રાન્સમાં 9 ડિસેમ્બરે વીજળીની કિંમત શૂન્ય થઈ ગઈ, જાણો સરકારે આવું કેમ કરવું પડ્યું?

ફ્રાન્સમાં વીજળીનું ઉત્પાદન એટલું વધારે થઈ ગયું હતું કે તેને મફતમાં વેચવી પડી. જી હા, આ સત્ય છે. જોકે, તે માત્ર થોડા કલાકો સુધી જ હતું. ફ્રાન્સમાં ઘણીવાર એવું બને છે કે વીજળીનું ઉત્પાદન વધારે થઈ જાય છે અને વપરાશ ઓછો હોય છે. બ્લૂમબર્ગના મતે 9 ડિસેમ્બરે, ફ્રાન્સમાં વીજળીનો ભાવ થોડા કલાકો માટે શૂન્ય થઈ ગયો હતો. એટલે કે તે કલાકોમાં ગમે તેટલી વીજળીનો ઉપયોગ થયો હોય, તે મફત હતી.

હકીકતમાં સમગ્ર યુરોપમાં, આગામી દિવસના દરેક કલાક માટે વીજળીના ભાવ એક દિવસ અગાઉથી નક્કી કરવામાં આવે છે. આને ડે-અહેડ માર્કેટ કહેવામાં આવે છે. 9 ડિસેમ્બરે, વીજળીની માંગ ખૂબ ઓછી થઈ ગઈ. તો તેનું ઉત્પાદન ખૂબ વધારે હતું. હવામાન ગરમ હોવાથી માંગ ઓછી હતી, એટલે ગરમીની જરૂર નહોતી. તો ઉદ્યોગો પણ સામાન્ય કરતા ઓછી વીજળીનો ઉપયોગ કરી રહ્યા હતા.

electricity2
environmentamerica.org

તેજ પવનને કારણે વિન્ડ ટર્બાઇનથી બનતી વીજળીનું ઉત્પાદન પણ વધ્યું હતું. પરમાણુ પ્લાન્ટ પોતાની વીજળી ઉત્પન્ન તો કરી જ રહ્યા હતા અને સૌર ઊર્જાથી પણ સપ્લાય આવી રહી હતી, જેના કારણે ઉત્પાદન પણ ખૂબ વધુ હતું. એવામાં વીજળીની માગ વધારવા અને ગ્રીડમાં સામાન્ય પુરવઠો જાળવવા માટે કિંમતો જાણી જોઈને ઘટાડવામાં આવે છે.

તેની વિરુદ્ધ પણ, ફ્રાન્સ એક રીતે વીજળીના વધારાના મુદ્દાનો સામનો કરી રહ્યું છે. દેશના વીજળી સંચાલક RTEએ જણાવ્યું હતું કે, ફ્રાન્સ વધુ પડતી વીજળીના દૌરમાં આવી ગયું છે. કંપનીએ હવે યુરોપમાં વીજળીકરણ વધારવાની હાકલ કરી છે જેથી વધારાની વીજળી વેચી શકાય. ખાસ વાત એ છે કે, ફ્રાન્સમાં ઉત્પન્ન થતી વીજળી લગભગ પૂરી રીતે ગ્રીન છે, એટલે કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી.

electricity1
heathelectricalservices.com

ફ્રાન્સની કુલ વીજળીનો 70% હિસ્સો પરમાણુ ઊર્જામાંથી આવે છે. ફ્રાન્સ વિશ્વના સૌથી મોટા પરમાણુ ઊર્જા ઉત્પાદકોમાંથી એક છે અને યુરોપમાં સૌથી મોટો પરમાણુ હિસ્સો ધરાવે છે. આટલું જ નહીં, ફ્રાન્સ વીજળી ઉત્પન્ન કરવાના ખૂબ જ ઓછા ખર્ચને કારણે, વીજળીનો વિશ્વનો સૌથી મોટો નેટ એક્સપોર્ટર પણ છે. વર્લ્ડ ન્યૂક્લિયર એસોસિએશન અનુસાર, ફ્રાન્સ વીજળી નિકાસમાંથી વાર્ષિક 3 અબજ યુરોથી વધુ કમાણી કરે છે.

આ ઉપરાંત પણ ત્યાં ઉત્પન્ન થતી વીજળીના અન્ય સ્ત્રોતો નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતો છે. વર્લ્ડ ન્યૂક્લિયર એસોસિએશન અનુસાર, પરમાણુ ઊર્જા ઉપરાંત ફ્રાન્સની 14% વીજળી હાઇડ્રોપાવર એટલે કે પાણીમાંથી ઉત્પન્ન થાય છે. તો પવન ઊર્જા 8%, સૌર ઊર્જા 4%, કુદરતી ગેસ 3% અને બાયોફ્યુઅલ 2%થી બીજલી બનાવવામાં આવે છે. આમ, 97% સુધીની વીજળી સ્વચ્છ અથવા ગ્રીન ઊર્જાની શ્રેણીમાં આવે છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.