અમેરિકામાં હિન્દુ મંદિરમાં તોડફોડ, હિન્દુ પાછા જાઓના સ્લોગન પણ લખાયા, PM મોદી વિશે પણ...

અમેરિકાના લોસ એન્જલસમાં કહેવાતા 'ખાલિસ્તાની લોકમત'ના થોડા દિવસો પહેલા, કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં BAPS હિન્દુ મંદિરમાં તોડફોડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સાથે મંદિર પર વાંધાજનક સંદેશાઓ લખવામાં આવ્યા હતા. BAPSના સત્તાવાર પેજે એક સોશિયલ પોસ્ટમાં કેસ વિશે વિગતો શેર કરી છે. તેમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે, તેઓ ક્યારેય નફરતને મૂળિયાં પકડવા દેશે નહીં અને શાંતિ અને કરુણાનો ફેલાવો કરશે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, BAPS પબ્લિક અફેર્સે લખ્યું, 'એક વધુ મંદિર અપવિત્ર થયું, કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં હિન્દુ સમુદાય નફરત સામે એકમત સાથે અડગ છે. ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયાના સમુદાય સાથે મળીને, અમે ક્યારેય નફરતને મૂળિયાં પકડવા દઈશું નહીં. આપણી સહિયારી માનવતા અને શ્રદ્ધા સુનિશ્ચિત કરશે કે શાંતિ અને કરુણાનો ફેલાવો થશે.'

California-BAPS3
indiatvnews.com

ભારતે આ ઘટનાની સખત નિંદા કરી છે અને સંડોવાયેલા લોકો સામે 'કડક કાર્યવાહી' કરવાની માંગ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, 'અમે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડના અહેવાલો જોયા છે. અમે આવા ઘૃણાસ્પદ કૃત્યોની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ.'

તેમને કહ્યું કે, 'અમે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને આ કૃત્યો માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા અને ધાર્મિક સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ.'

California-BAPS2
opindia.com

ઉત્તર અમેરિકાના હિન્દુઓના ગઠબંધન (CoHNA)એ પણ સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે માહિતી શેર કરી અને કહ્યું કે, કેલિફોર્નિયામાં પ્રતિષ્ઠિત BAPS મંદિરનું અપમાન લોસ એન્જલસમાં કહેવાતા ખાલિસ્તાન લોકમત પહેલા થયું છે.

આ પોસ્ટમાં 2022થી મંદિરોમાં તોડફોડના અન્ય તાજેતરના કેસોની યાદી આપવામાં આવી છે અને આ બાબતની તપાસની માંગ કરવામાં આવી છે.

California-BAPS4
newindianexpress.com

CoHNAએ ઉત્તર અમેરિકામાં હિન્દુ ધર્મ અને હિન્દુ સમુદાયને અસર કરતા મુદ્દાઓની સમજ સુધારવા માટે સમર્પિત એક પાયાના સ્તરે હિમાયતી સંસ્થા છે.

ગયા વર્ષે પણ મંદિરમાં તોડફોડની ઘટનાઓ બની હતી, જ્યારે 25 સપ્ટેમ્બરની રાત્રે કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના ન્યૂ યોર્કના BAPS મંદિરમાં બનેલી આવી જ ઘટનાના 10 દિવસથી પણ ઓછા સમયમાં બની હતી.

California-BAPS
opindia.com

'હિન્દુ વિરોધી' સંદેશાઓમાં 'હિન્દુઓ પાછા જાઓ' જેવા સૂત્રોનો સમાવેશ થતો હતો, જેનાથી સ્થાનિક હિન્દુ સમુદાય ચિંતિત હતો. પ્રતિભાવમાં, સમુદાયે એકસાથે આવવાનો સંકલ્પ કર્યો છે. PM મોદી વિશે પણ સ્લોગન લખાયું હતું કે મોદી હિન્દુસ્તાન મુર્દાબાદ.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.