ભારતીય બેંકર કરોડોની નોકરી છોડી અબુધાબીના મંદિરમાં સેવા આપવા લાગ્યો, જાણો કારણ

વિશાલ પટેલ પણ UAEના અબુ ધાબીમાં બનેલા ભવ્ય મંદિરમાં યોગદાન આપી રહ્યા છે. દુબઈમાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે ઊંચો પગાર મેળવનાર વિશાલ પટેલે BAPS હિંદુ મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે નોકરી છોડી દીધી અને મંદિરમાં આવીને સ્વયંસેવક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 43 વર્ષીય વિશાલ પટેલે ગયા વર્ષે દુબઈ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરની નોકરી છોડીને અબુ ધાબી મંદિરમાં સંપૂર્ણ સમય સેવા આપવાનું નક્કી કર્યું હતું. આ પછી તે અબુધાબી આવ્યો અને મંદિરમાં સ્વયંસેવક તરીકે કામ કરવા લાગ્યો.

વિશાલે ખલીજ ટાઈમ્સને કહ્યું, '2016થી, હું મારા પરિવાર સાથે UAEમાં રહું છું. મારા માટે, કારકિર્દી હંમેશા મારી પ્રાથમિકતા હતી, કારણ કે મેં મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકો અને હેજ ફંડ્સમાં હોદ્દાઓ સંભાળ્યા હતા. અબુ ધાબીમાં મંદિર માટે સેવા આપવાથી મને સમાજ પર સાર્થક અસર કરવાની લાગણી હતી. જ્યારે હું અહીં આવ્યો, ત્યારે મેં નક્કી કર્યું કે, હવે મારે મારી જાતને મંદિરની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત કરવી પડશે.' UKમાં જન્મેલા અને ઉછરેલા વિશાલે જણાવ્યું કે, તે બાળપણથી BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે સંકળાયેલો છે. લંડનમાં રહીને પણ તેઓ ત્યાંના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની નિયમિત મુલાકાત લેતા રહ્યા છે.

વિશાલ અબુ ધાબીના આ મંદિર સાથે સક્રિય રીતે સંકળાયેલો છે. બાંધકામની પ્રક્રિયામાં ભાગ લેતા, તેમણે બાંધકામના સ્થળે રક્ષણાત્મક વાડ ઊભી કરવાથી માંડીને કોંક્રિટના થાંભલાઓ મૂકવા સુધીનું કામ કર્યું. તે મહેમાનો અને મુલાકાતીઓને ભોજન પીરસવામાં પણ સામેલ છે. મંદિર પૂર્ણ થયા પછી, તેઓ મુખ્ય સંચાર અધિકારી તરીકે વિશાળ મીડિયા સંબંધો અને વ્યૂહાત્મક સંચાર સંભાળી રહ્યા છે.

વિશાલ કહે છે કે, આધ્યાત્મિક નેતાઓ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે તેમના અને ઘણા લોકોના મન પર કાયમી અસર છોડી છે. જેનાથી પ્રભાવિત થઈને દુનિયાભરમાંથી લોકો મંદિરમાં આવીને સેવા કરી રહ્યા છે. વિશાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહંત સ્વામી મહારાજે તેમને સતત સેવા અને એકતા, બંધુત્વ અને એકતાના સિદ્ધાંતો અનુસાર જીવવાનું શીખવ્યું હતું. વિશાલ જણાવે છે કે, 1995માં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનના નિર્માણ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે રમતનું મેદાન પણ બનાવ્યું હતું. હું લંડન ટેમ્પલના જીમમાં ફૂટબોલ અને ક્રિકેટ રમતો હતો. આ રીતે મેં મંદિર સાથે મારો સંબંધ શરૂ કર્યો. આ પછી હું સ્વયંસેવક પ્રવૃત્તિઓમાં જોડાયો. કેવી રીતે BAPS સમાજની સેવા કરે છે તે અંગેની મારી સમજ વધુ ઊંડી બનતી ગઈ.

About The Author

Related Posts

Top News

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે ...
Sports 
પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં...
National 
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.