ભારતીય બેંકર કરોડોની નોકરી છોડી અબુધાબીના મંદિરમાં સેવા આપવા લાગ્યો, જાણો કારણ

વિશાલ પટેલ પણ UAEના અબુ ધાબીમાં બનેલા ભવ્ય મંદિરમાં યોગદાન આપી રહ્યા છે. દુબઈમાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે ઊંચો પગાર મેળવનાર વિશાલ પટેલે BAPS હિંદુ મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે નોકરી છોડી દીધી અને મંદિરમાં આવીને સ્વયંસેવક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 43 વર્ષીય વિશાલ પટેલે ગયા વર્ષે દુબઈ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરની નોકરી છોડીને અબુ ધાબી મંદિરમાં સંપૂર્ણ સમય સેવા આપવાનું નક્કી કર્યું હતું. આ પછી તે અબુધાબી આવ્યો અને મંદિરમાં સ્વયંસેવક તરીકે કામ કરવા લાગ્યો.

વિશાલે ખલીજ ટાઈમ્સને કહ્યું, '2016થી, હું મારા પરિવાર સાથે UAEમાં રહું છું. મારા માટે, કારકિર્દી હંમેશા મારી પ્રાથમિકતા હતી, કારણ કે મેં મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકો અને હેજ ફંડ્સમાં હોદ્દાઓ સંભાળ્યા હતા. અબુ ધાબીમાં મંદિર માટે સેવા આપવાથી મને સમાજ પર સાર્થક અસર કરવાની લાગણી હતી. જ્યારે હું અહીં આવ્યો, ત્યારે મેં નક્કી કર્યું કે, હવે મારે મારી જાતને મંદિરની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત કરવી પડશે.' UKમાં જન્મેલા અને ઉછરેલા વિશાલે જણાવ્યું કે, તે બાળપણથી BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે સંકળાયેલો છે. લંડનમાં રહીને પણ તેઓ ત્યાંના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની નિયમિત મુલાકાત લેતા રહ્યા છે.

વિશાલ અબુ ધાબીના આ મંદિર સાથે સક્રિય રીતે સંકળાયેલો છે. બાંધકામની પ્રક્રિયામાં ભાગ લેતા, તેમણે બાંધકામના સ્થળે રક્ષણાત્મક વાડ ઊભી કરવાથી માંડીને કોંક્રિટના થાંભલાઓ મૂકવા સુધીનું કામ કર્યું. તે મહેમાનો અને મુલાકાતીઓને ભોજન પીરસવામાં પણ સામેલ છે. મંદિર પૂર્ણ થયા પછી, તેઓ મુખ્ય સંચાર અધિકારી તરીકે વિશાળ મીડિયા સંબંધો અને વ્યૂહાત્મક સંચાર સંભાળી રહ્યા છે.

વિશાલ કહે છે કે, આધ્યાત્મિક નેતાઓ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે તેમના અને ઘણા લોકોના મન પર કાયમી અસર છોડી છે. જેનાથી પ્રભાવિત થઈને દુનિયાભરમાંથી લોકો મંદિરમાં આવીને સેવા કરી રહ્યા છે. વિશાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહંત સ્વામી મહારાજે તેમને સતત સેવા અને એકતા, બંધુત્વ અને એકતાના સિદ્ધાંતો અનુસાર જીવવાનું શીખવ્યું હતું. વિશાલ જણાવે છે કે, 1995માં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનના નિર્માણ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે રમતનું મેદાન પણ બનાવ્યું હતું. હું લંડન ટેમ્પલના જીમમાં ફૂટબોલ અને ક્રિકેટ રમતો હતો. આ રીતે મેં મંદિર સાથે મારો સંબંધ શરૂ કર્યો. આ પછી હું સ્વયંસેવક પ્રવૃત્તિઓમાં જોડાયો. કેવી રીતે BAPS સમાજની સેવા કરે છે તે અંગેની મારી સમજ વધુ ઊંડી બનતી ગઈ.

About The Author

Top News

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
National 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.