સાઉદી અરબે ભારત-પાકિસ્તાન સહિત 14 દેશો પર આ વીઝા પ્રતિબંધ લગાવ્યો

સાઉદી અરબે એક મોટો નિર્ણય લેતા ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશો સામે મોટી કાર્યવાહી કરી છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ 14 દેશો માટે કામચલાઉ વીઝા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ હેઠળ, ઉમરાહ, બિઝનેસ અને ફેમિલી વીઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ જૂનના મધ્ય સુધી ચાલુ રહેશે. જોકે, જેમની પાસે ઉમરાહ વીઝા છે તેઓ 13 એપ્રિલ સુધી સાઉદી અરબમાં પ્રવેશ કરી શકે છે.

Saudi-Arabia-Visa-Ban1
aajtak.in

જે 14 દેશો પર આ વીઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે. આ કામચલાઉ પ્રતિબંધ પાછળના મુખ્ય કારણોમાં ગેરકાયદેસર રીતે હજમાં ભાગ લઈને વીઝા નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું કહેવાય છે.

Saudi-Arabia-Visa-Ban4
Saudi Arabia Visa Ban

અગાઉ, ઘણા લોકો ઉમરાહ અથવા અન્ય કોઈ હેતુ માટે મલ્ટીપલ એન્ટ્રી વીઝા લઈને સાઉદી અરબ આવતા હતા, પરંતુ હજ સીઝન દરમિયાન ત્યાં રોકાઈ જતા હતા અને પરવાનગી વિના હજમાં ભાગ લેતા હતા. આના કારણે ભીડ અને સુરક્ષા સમસ્યાઓ ઊભી થઈ. આ ઉપરાંત, કેટલાક લોકો બિઝનેસ અને ફેમિલી વીઝા પર ત્યાં જતા હતા અને ગેરકાયદેસર રીતે નોકરી કરવાનું શરૂ કરી દેતા હતા, જેના કારણે સાઉદી અરબની શ્રમ વ્યવસ્થા ખોરવાઈ જતી હતી.

Saudi-Arabia-Visa-Ban3
tv9hindi.com

સાઉદી વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, હજ માટે આવતા યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે તમામ અસરગ્રસ્ત મુસાફરોને આ નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારના દંડથી બચી શકાય. આ સાથે, અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ વીઝા પ્રતિબંધ છતાં જે લોકો સાઉદી અરબમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને આગામી પાંચ વર્ષ સુધી દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Saudi-Arabia-Visa-Ban5
financialexpress.com

હજ અને ઉમરાહ મંત્રાલયે તાજેતરમાં 16 ભાષાઓમાં ડિજિટલ માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેમાં ઉર્દૂ, અંગ્રેજી, અરબી, ટર્કિશ, ફ્રેન્ચ, ફારસી અને ઇન્ડોનેશિયન જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. આ માર્ગદર્શિકા PDF અને ઑડિઓ ફોર્મેટમાં ઉપલબ્ધ છે અને મંત્રાલયની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેનો હેતુ વિવિધ દેશોમાંથી આવતા યાત્રાળુઓને હજના નિયમો અને પ્રક્રિયાઓ વિશે વધુ સારી માહિતી પૂરી પાડવાનો છે.

About The Author

Top News

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

'કાર પર કોઈ અખતરો ઇચ્છતા નથી, ફક્ત 100 ટકા શુદ્ધ પેટ્રોલ જોઈએ'; CJP પછી હવે E20 જનતા પાર્ટી મેદાનમાં

E20 પેટ્રોલ. તમે કદાચ નામ સાંભળ્યું હશે. તાજેતરમાં, જંતર-મંતર પર ભૂખ હડતાળ, ઉપવાસ અને Gen-Zના પ્રદર્શન વચ્ચે...
Tech and Auto 
'કાર પર કોઈ અખતરો ઇચ્છતા નથી, ફક્ત 100 ટકા શુદ્ધ પેટ્રોલ જોઈએ'; CJP પછી હવે E20 જનતા પાર્ટી મેદાનમાં

છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા

જે છત્તીસગઢમાં સરકારી શાળાઓમાં બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યાંની...
Politics 
છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા

હવે આવી રહ્યું છે E20 વિરુદ્ધ એક મોટું આંદોલન! ટેક્સી યુનિયનોની 4 ઓગસ્ટે સંસદનો ઘેરાવ કરવાની તૈયારી

જંતર-મંતર ખાતે 36 દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓ અને GenZ વિરોધ પ્રદર્શન પછી, ઇથેનોલ વિરુદ્ધ એક મોટું આંદોલન કરવાની તૈયારીઓ...
National 
હવે આવી રહ્યું છે E20 વિરુદ્ધ એક મોટું આંદોલન! ટેક્સી યુનિયનોની 4 ઓગસ્ટે સંસદનો ઘેરાવ કરવાની તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.