ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો સમગ્ર મામલો

ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન અને ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઈકોર્ટમાં જીતુ વાઘાણી સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ અરજી કરી છે. માહિતી મુજબ, વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે આપના નેતાએ રાજુ સોલંકીએ ભાજપાના નેતા જીત વાઘાણી સામે અરજી કરતા હાઈકોર્ટે 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા જીતુ વાઘાણીને સમન્સ મોકલ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ (બીજેપી) 156 બેઠક જીતીને ઔતિહાસિક વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 17 અને આપને 5 બેઠકો પર જીત મળી હતી. ચૂંટણી બાદ આપ પાર્ટી દ્વારા પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી, જેમાં ભાવનગર વિધાનસભા બેઠક પરથી લડેલા રાજુ સોલંકીએ ભાજપ તરફથી વિજયી જીત વાઘાણી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપ નેતા રાજુ સોલંકીએ કહ્યું હતું કે, ભાજપ દ્વારા મોટું ષડયંત્ર કરી ચૂંટણી જીતવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ, મુજબ, રાજુ સોલંકીએ કહ્યું હતું કે, ચૂંટણી જીતવા માટે ભાજપે સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતાએ મારા નામની પત્રિકા વેચીને મને નુકસાન પહોંચાડ્યું હતું. રાજુ સોલંકીએ આગળ કહ્યું કે, આ બાબતે અમે કલેકટર અને DYSPને પણ રજૂઆત કરી છે. પરંતુ, અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે રાજુ સોલંકી દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાતા હાઈકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે અને 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.