‘ટેસ્લામાં નબળા દિલવાળાઓ માટે કામ નથી’, મસ્કની કંપનીમાંથી VPએ આપ્યું રાજીનામું

On

દુનિયાના સૌથી અમીર એલન મસ્કની કંપની ટેસ્લા ફરી એક વખત ચર્ચામાં છે. હવે ટેસ્લામાં વાઇસ પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ અને બિઝનેસ ઓપરેશન) શ્રેલા વેંકટરત્નમે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શ્રેલા વેંકટરત્નમ છેલ્લા 11 વર્ષથી ટેસ્લા સાથે કામ કરી રહ્યા હતા અને તેઓ કંપનીમાં માત્ર 2 મહિલા પ્રેસિડેન્ટમાંથી એક હતા. શ્રેલા વેંકટરત્નમે લિંક્ડઇન પોસ્ટમાં પોતાના રાજીનામાની જાહેરાત કરતા ટેસ્લાની પ્રશંસા કરી, પરંતુ નીચે કમેન્ટમાં કહ્યું કે, ત્યાં કામ કરવું નબળા દિલવાળાઓનું કામ નથી.

તેમણે પોતાના કાર્યકાળને અસાધારણ બતાવ્યો અને કહ્યું કે, તેમને કંપનીના ગ્રોથ પર ગર્વ છે, જે આજે 700 બિલિયન ડૉલરની જાયન્ટ કંપની બની ગઈ છે. શ્રેલા વેંકટરત્નમે પોતાની પોસ્ટમાં લખ્યું કે, વાર્ષિક આવકમાં 100 બિલિયન ડોલર નજીક પહોંચવા અને 700 બિલિયન ડોલરની માર્કેટ કેમ (મહામારી દરમિયાન 1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવા) અને એક વર્ષમાં 1.9 મિલિયનથી વધુ કારોની ડિલિવરી સાથે વાઇસ પ્રેસિડેન્ટના રૂપમાં પદ છોડતા મને એ વાત પર ગર્વ છે કે અમે એક સાથે કેટલું બધુ હાંસલ કર્યું છે.

એ સિવાય ટેસ્લાના પૂર્વ CFO જેસન વ્હીલરે કમેન્ટનો જવાબ આપતા વેંકટરત્નમને કહ્યું કે, ટેસ્લા માટે કામ કરવું નિશ્ચિત રૂપે નબળા દિલવાળાઓ માટે નથી. પોતાના કામ બાબતે બતાવતા વેંકટરત્નમે લખ્યું કે, પોતાની રણનીતિક ભૂમિકામાં મને મોડલ S, મોડલ X, મોડલ Y, સાઇબરટ્રક અને ઘણી નવી ફેક્ટ્રીઓમાં યોગદાન આપવાનું સૌભાગ્ય મળ્યું. હું અમારા એનર્જી પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટમાં પણ સામેલ હતી. અમારી ટીમે ઘણી ઇન્ડસ્ટ્રીને નવા સમાધાનો સાથે બદલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, વિશેષરૂપે ઘણા રાજ્યોમાં કાર ખરીદવા અને રજીસ્ટ્રેશનને પૂરી રીતે ઓટોમેટિક કરવા માટે DMV પ્રક્રિયાને બદલવામાં આવી.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.