સરકારનો આદેશ, 1 એપ્રિલથી ઘઉંના સ્ટોકની જાણકારી આપવી પડશે

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું છે કે, એકંદરે ખાદ્ય સુરક્ષાનું વ્યવસ્થાપન કરવા અને સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે, ભારત સરકારે નિર્ણય લીધો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ / જથ્થાબંધ વેપારીઓ, રિટેલરો, બિગ ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સે ઘઉંની તેમની સ્ટોક પોઝિશન પોર્ટલ (https://evegoils.nic.in/wheat/login.html) પર 01.07.2019થી 01-04-2024 અને તે બાદ, આગામી આદેશ સુધી દર શુક્રવારે જાહેર કરવાની રહશે. તમામ સંબંધિત કાયદાકીય સંસ્તાઓ તે સુનિશ્ચિત કરે કે પોર્ટલ પર સ્ટોકનો નિયમિતપણે અને યોગ્ય રીતે જાહેર કરવામાં આવે.

આ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ કેટેગરીની સંસ્થાઓ માટે ઘઉંના સ્ટોકની લિમિટ 31.03.2024ના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારબાદ સંસ્થાઓને પોર્ટલ પર ઘઉંના જથ્થાનો ખુલાસો કરવાનો રહેશે. તમામ કેટેગરીની સંસ્થાઓ દ્વારા ચોખાના જથ્થાની ઘોષણા પહેલાથી જ લાગુ છે. પોર્ટલ પર રજિસ્ટર્ડ ન હોય તેવી કોઈ પણ સંસ્થા પોતાની નોંધણી કરાવી શકે છે અને દર શુક્રવારે ઘઉં અને ચોખાના જથ્થાને જાહેર કરવાનું શરૂ કરી શકે છે. હવે, તમામ કાનૂની સંસ્થાઓએ તેમના ઘઉં અને ચોખાના જથ્થાને નિયમિતપણે પોર્ટલ પર જાહેર કરવા પડશે.

1679734168wheat_gujarat1.jpg (900×506)

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ઘઉં અને ચોખાના જથ્થાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેથી કિંમતોને અંકુશમાં રાખી શકાય અને દેશમાં સરળતાથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.

Top News

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે

BCCIએ એક પ્રસંશનીય પગલું લીધું છે.IPL 2025ની ફાઇનલ મેચ ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે અને...
Sports 
IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.