એક એવું મંદિર જેમાં 1 નહીં 10 ગર્ભગૃહ, PM મોદી કરશે શિલાન્યાસ

જે ધરતી પર ભગવવાન વિષ્ણુના અંતિમ અવતાર અવતર્યા હોવાનું માનવામાં આવે છે, એ પવિત્ર જગ્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન કલ્કિને નમન કરવા જઇ રહ્યા છે, ભગવાન કલ્કિના મંદિરનો શિલાન્યાસ કરવા જઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશના સંભલમાં ભગવાન વિષ્ણના 10મા અવતાર ભગવાન કલ્કિનું મંદિર બનવા જઇ રહ્યું છે અને સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિલાન્યાસ કરશે. આ મંદિરની વિશેષતા એ હશે કે 1 નહીં પરતું 10 ગર્ભગૃહ આ મંદિરમાં હશે.

સંભલના Anchora Kamboh બની રહેલા કલ્કિ ધામના શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર મંદિર પરિસરને સફેદ અને ભગવા રંગોથી શણગારવામાં આવી રહ્યું છે. કલ્કિ મંદિરનું મોડલ પણ સામે આવ્યું છે. મંદિરની વિશેષતા જાણવા જેવી છે.

કલ્કિ ધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવે છે કારણ કે કલ્કિ ધામ એ પહેલું ધામ છે જ્યાં ભગવાનના મંદિરની સ્થાપના તેમના અવતાર પહેલા થઈ રહી છે.આ મંદિરમાં માત્ર એક નહીં પરંતુ 10 ગર્ભગૃહ હશે. ભગવાન વિષ્ણુના 10 અવતારોના 10 અલગ-અલગ ગર્ભગૃહની સ્થાપના કરવામાં આવશે.

કલ્કિ ધામ એ જ ગુલાબી રંગના પથ્થરથી બનાવવામાં આવી રહ્યું છે જેમાંથી સોમનાથ મંદિર અને અયોધ્યાનું રામ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું શિખર 108 ફૂટ ઊંચું હશે. મંદિરનું પ્લેટફોર્મ 11 ફૂટ ઉપર બનાવવામાં આવશે. જેમાં 68 તીર્થસ્થાનોની સ્થાપના કરવામાં આવશે.

કલ્કિ મંદિર લગભગ 5 એકરમાં બનાવવામાં આવશે અને નિર્માણમાં લગભગ 5 વર્ષ લાગી શકે છે. નોંધનીય છે કે કલ્કિપીઠ તેના જૂના સ્થાન પર જ રહેશે. જ્યારે કલ્કિ ધામ બનશે ત્યારે ભાગવાનની નવી પ્રતિમા હશે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેના માટે એક અદભૂત પ્રતિમા લાવવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડા પ્રધાનના હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે મુખ્ય સ્ટેજની પાછળ એક હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સંકુલને SPG દ્વારા સુરક્ષા હેઠળ લેવામાં આવ્યું છે.

ટેન્ટ સિટી કલ્કીપુરમમાં દેશભરમાંથી આવેલા સાધુ સંતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા માટે લગભગ 11 હજાર સાધુ સંતો આવી રહ્યા છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એકંદરે, કલ્કિ ધામ સનાતનના નવા ઉદયને જોવા માટે તૈયાર છે.

Top News

PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી...
Gujarat 
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા

કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી...
National 
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા

કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત કેરળમાં 1 જૂનથી થતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવી...
Gujarat 
કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે

'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સબ-ઇન્સ્પેક્ટર દિનેશ શર્માને લાઇન-હાજર કરવામાં આવ્યા છે. તાજેતરમાં, તેમણે શહેરના જીમ માલિકોને ધમકી આપી હતી. તેમણે...
National 
'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા
Copyright (c) Khabarchhe All Rights Reserved.