એક એવું મંદિર જેમાં 1 નહીં 10 ગર્ભગૃહ, PM મોદી કરશે શિલાન્યાસ

On

જે ધરતી પર ભગવવાન વિષ્ણુના અંતિમ અવતાર અવતર્યા હોવાનું માનવામાં આવે છે, એ પવિત્ર જગ્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન કલ્કિને નમન કરવા જઇ રહ્યા છે, ભગવાન કલ્કિના મંદિરનો શિલાન્યાસ કરવા જઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશના સંભલમાં ભગવાન વિષ્ણના 10મા અવતાર ભગવાન કલ્કિનું મંદિર બનવા જઇ રહ્યું છે અને સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિલાન્યાસ કરશે. આ મંદિરની વિશેષતા એ હશે કે 1 નહીં પરતું 10 ગર્ભગૃહ આ મંદિરમાં હશે.

સંભલના Anchora Kamboh બની રહેલા કલ્કિ ધામના શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર મંદિર પરિસરને સફેદ અને ભગવા રંગોથી શણગારવામાં આવી રહ્યું છે. કલ્કિ મંદિરનું મોડલ પણ સામે આવ્યું છે. મંદિરની વિશેષતા જાણવા જેવી છે.

કલ્કિ ધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવે છે કારણ કે કલ્કિ ધામ એ પહેલું ધામ છે જ્યાં ભગવાનના મંદિરની સ્થાપના તેમના અવતાર પહેલા થઈ રહી છે.આ મંદિરમાં માત્ર એક નહીં પરંતુ 10 ગર્ભગૃહ હશે. ભગવાન વિષ્ણુના 10 અવતારોના 10 અલગ-અલગ ગર્ભગૃહની સ્થાપના કરવામાં આવશે.

કલ્કિ ધામ એ જ ગુલાબી રંગના પથ્થરથી બનાવવામાં આવી રહ્યું છે જેમાંથી સોમનાથ મંદિર અને અયોધ્યાનું રામ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું શિખર 108 ફૂટ ઊંચું હશે. મંદિરનું પ્લેટફોર્મ 11 ફૂટ ઉપર બનાવવામાં આવશે. જેમાં 68 તીર્થસ્થાનોની સ્થાપના કરવામાં આવશે.

કલ્કિ મંદિર લગભગ 5 એકરમાં બનાવવામાં આવશે અને નિર્માણમાં લગભગ 5 વર્ષ લાગી શકે છે. નોંધનીય છે કે કલ્કિપીઠ તેના જૂના સ્થાન પર જ રહેશે. જ્યારે કલ્કિ ધામ બનશે ત્યારે ભાગવાનની નવી પ્રતિમા હશે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેના માટે એક અદભૂત પ્રતિમા લાવવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડા પ્રધાનના હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે મુખ્ય સ્ટેજની પાછળ એક હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સંકુલને SPG દ્વારા સુરક્ષા હેઠળ લેવામાં આવ્યું છે.

ટેન્ટ સિટી કલ્કીપુરમમાં દેશભરમાંથી આવેલા સાધુ સંતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા માટે લગભગ 11 હજાર સાધુ સંતો આવી રહ્યા છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એકંદરે, કલ્કિ ધામ સનાતનના નવા ઉદયને જોવા માટે તૈયાર છે.

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.