દેશનું એકમાત્ર મંદિર જ્યાં પત્ની સુવર્ચલા સાથે પૂજાય છે હનુમાનજી

આજે દેશભરમાં હનુમાન જન્મોત્સવનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાન જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સંકટમોચન હનુમાનને બાળ બ્રહ્મચારી તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવું મંદિર છે, જ્યાં હનુમાનજીની સાથે તેમની પત્ની સુવર્ચલા પણ પૂજાય છે. ચાલો જાણીએ દેશના આ અનોખા મંદિર વિશે.

Lord-Hanuman,-Wife-Suvarchala1
navodayatimes.in

પત્ની શ્રી સુવર્ચલા સાથેના હનુમાનજીનું મંદિર તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એલંડુ ગામમાં આવેલું છે. આ મંદિરમાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલા દેવીની પૂજા કરવામાં આવે છે. મંદિરના પૂજારી P. સિમ્હા આચાર્યલુના જણાવ્યા અનુસાર, 'શ્રી સુવર્ચલા સહિત હનુમાનજીનું મંદિર માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં એકમાત્ર મંદિર છે, જ્યાં ભગવાન હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલા દેવીની પૂજા કરવામાં આવે છે.' આ મંદિરની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી. દર વર્ષે અહીંના સ્થાનિક લોકો જ્યેષ્ઠ શુક્લ દશમીના રોજ ભગવાન હનુમાનજીના લગ્નની ઉજવણી કરે છે. જોકે, ઉત્તર ભારતમાં રહેતા લોકો માટે આ ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે, કારણ કે ભક્તો તેમને બાલ બ્રહ્મચારી તરીકે પૂજે છે.

Lord-Hanuman,-Wife-Suvarchala2
hindi.news24online.com

મંદિરના પૂજારી P. સિમ્હાએ વધુમાં કહ્યું, 'હનુમાનજી સૂર્યને પોતાના ગુરુ માનતા હતા. સૂર્યદેવ પાસે નવ દિવ્ય વિદ્યાઓ હતી. હનુમાનજી આ બધી દિવ્ય વિદ્યાઓને શીખવા માંગતા હતા. પરંતુ સૂર્યદેવ હનુમાનજીને 9 માંથી ફક્ત 5 વિદ્યા જ શીખવી શકતા હતા. કારણ કે બાકીની 4 વિદ્યાઓ ફક્ત તે શિષ્યોને જ આપી શકાતા હતા જેઓ પરિણીત હોય.

Lord-Hanuman,-Wife-Suvarchala4
thetrendingmania.com

પરંતુ હનુમાનજી અપરિણીત હતા. તેથી, સૂર્યદેવને બાકીની ચાર વિદ્યાઓને શીખવવામાં મુશ્કેલી પડી રહી હતી. હકીકતમાં, આ વિદ્યા પ્રાપ્ત કરતી વખતે, હનુમાનજીને ગૃહસ્થ જીવનમાં થોડો સમય વિતાવવાનો હતો. પરંતુ તેના માટે હનુમાનજીના લગ્ન થવા જરૂરી હતા. આના પર સૂર્યદેવને એક વિચાર આવ્યો અને તેમણે હનુમાનજીને લગ્ન કરવાનું સૂચન કર્યું. શરૂઆતમાં તો હનુમાનજી લગ્ન માટે બિલકુલ સંમત ન થયા. જો કે, બાકીની 4 વિદ્યાઓ ફક્ત પરિણીત વ્યક્તિ જ મેળવી શકે છે. તેથી તેમણે લગ્નનું સૂચન સ્વીકારી લીધું. આ પછી, હનુમાનજીના ગુરુ સૂર્ય ભગવાને હનુમાનજીના લગ્ન તેમની પુત્રી સુવર્ચલા સાથે કરાવી દીધા હતા.

Lord-Hanuman,-Wife-Suvarchala5
thetrendingmania.com

લગ્ન પહેલા હનુમાનજીએ સૂર્યદેવને કહ્યું હતું કે, 'હું બાળપણથી જ બ્રહ્મચારી છું. તો પછી હું લગ્ન કેવી રીતે કરી શકું? ત્યારે ભગવાન સૂર્યએ જવાબ આપ્યો કે, મારી પુત્રી સાથે લગ્ન કર્યા પછી પણ તમે બ્રહ્મચારી અને તપસ્વી રહી શકો છો. આ પછી, હનુમાનજીના લગ્ન ભગવાન સૂર્યની પુત્રી સુવર્ચલા દેવી સાથે થયા. જોકે, લગ્ન પછી બંને પોતપોતાની તપસ્યામાં પાછા ફર્યા. તેથી આ લગ્ન ફક્ત હનુમાનજીને બાકીની 4 વિદ્યાઓ પ્રાપ્ત કરવા માટે કરાવવામાં આવ્યા હતા.

Lord-Hanuman,-Wife-Suvarchala2
thetrendingmania.com

એવી માન્યતા છે કે, જે પણ ભક્ત હનુમાનજી અને દેવી સુવર્ચલાને સમર્પિત આ મંદિરમાં પૂજા કરે છે, તેના જીવનની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. લગ્નજીવન સંબંધિત અવરોધોનો અંત આવે છે. બજરંગબલીના આશીર્વાદથી, ધીમા પડેલા રોજગાર અને વ્યવસાયને વેગ મળે છે. એટલા માટે ભક્તો દૂર દૂરથી અહીં હનુમાનજી અને દેવી સુવર્ચલાના આશીર્વાદ મેળવવા માટે આવે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.