પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટના માધ્યમથી મિત્રતા કરીને પતિને એક રેસ્ટોરાંમાં મળવા બોલાવ્યો અને તેને રંગે હાથે પકડી લીધો. મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરનો આ મામલો છે. માધોગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી 23 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2023માં એક ખાનગી કંપનીના સેલ્સમેન અતુલ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ, અતુલ મોટા ભાગે મોબાઇલ ફોન પર કલાકો સુધી વ્યસ્ત રહેતો અને ઘરની બહાર જઈને જ વાત કરતો હતો. તેની ગતિવિધિઓને કારણે તેની પત્નીને શંકા ગઈ. પૂછપરછ કરતા અતુલે કહ્યું કે તેને કંપનીના કોલ આવે છે.

husband-wife1
extension.usu.edu

 

આ ઉપરાંત, પતિ દ્વારા મોબાઈલ લોક રાખવો, મોડી રાત સુધી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ચેટ કરવી અને મોટાભાગનો સમય ઘરની બહાર રહેવું, નવપરિણીતા હેરાન કરવા લાગ્યું. પત્નીને શંકા જતા તેણે પોતાની બહેનની IDનો ઉપયોગ કરીને સીમ કાર્ડ ખરીદ્યું અને નકલી નામથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને એક સુંદર છોકરીનો DP મૂકી દીધી. ત્યારબાદ તેણે એજ ID પરથી પતિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. પતિ અતુલે તરત જ રિક્વેસ્ટ સ્વીકારી લીધી અને કલાકો સુધી ચેટિંગ કરવા લાગ્યો. બંને વચ્ચે લગભગ 2 મહિના સુધી વાતચીત ચાલી. અતુલને શંકા ન થાય તે માટે, જ્યારે પણ વાત કરવાની જરૂર પડતી, પત્ની પોતાની બહેન સાથે વોઇસ કોલ પર વાત કરાવતી હતી.

અંતે, પતિને રંગે હાથે પકડવા માટે, પત્નીએ તેની સોશિયલ મીડિયા ગર્લફ્રેન્ડના રૂપમાં તેને એક રેસ્ટોરાંમાં મળવા બોલાવ્યો. અતુલ તરત જ રાજી થઈ ગયો અને મળવા પહોંચી ગયો, પરંતુ જ્યારે તેણે તેની ઇન્સ્ટાગ્રામ ગર્લફ્રેન્ડને બદલે તેની પત્ની જોઈ ત્યારે તેના હોશ ઊડી ગયા. ચાલાક પતિ ફરી પોતાની પત્નીને ખોટું બોલ્યો કે તે એક ક્લાયન્ટને મળવા આવ્યો છે. પરંતુ જ્યારે પત્નીએ ચેટ હિસ્ટ્રી બતાવી ત્યારે તેનું જુઠ્ઠાણું પકડાઈ ગયું. પત્નીએ જણાવ્યું કે, ઇન્સ્ટાગ્રામ પર જે છોકરી સાથે તે પ્રેમની વાત કરતો હતો તે બીજું કોઈ નહીં પરંતુ તે પોતે જ હતી.

husband-wife
purewow.com

 

ત્યારબાદ, રેસ્ટોરાંમાં બંને વચ્ચે ઝઘડો થયો અને મામલો મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો.  પત્નીએ પતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને છૂટાછેડાની માગણી કરી. તો, પતિએ તેના પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો અને અલગ થવાની વાત કહી. પરામર્શ કેન્દ્રમાં કાઉન્સેલર મહેન્દ્ર શુકલાએ જણાવ્યુ કે, એક મહિના સુધી કાઉન્સેલિંગ કર્યું. અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનો વાયદો કર્યો. ત્યારબાદ બંને ખુશીથી પોતાના ઘરે પાછા જતા રહ્યા. પોલીસની કાઉન્સેલિંગે આ સંબંધ તૂટતા બચાવી લીધા.

Related Posts

Top News

આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
National 
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
Business 
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
National 
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

શું વિજય રૂપાણીની અંતિમ વિદાયનો ખર્ચ ભાજપે તેમના પરિવાર પર નાખી દીધો તે યોગ્ય છે?

અમદાવાદ- લંડનની ફલાઇટમાં 12 જૂને થયેલા અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું હતં અને 16 જૂને રાજ્યની પ્રજાએ...
Gujarat 
શું વિજય રૂપાણીની અંતિમ વિદાયનો ખર્ચ ભાજપે તેમના પરિવાર પર નાખી દીધો તે યોગ્ય છે?

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.