અનિલ અંબાણીની આ કંપનીનો વેચાણનો રસ્તો સાફ, LIC-EPFOના કરોડો રૂપિયા ડુબી જશે

On

અનિલ અંબાણીની એક કંપનીને કારણે LIC અને Employees' Provident Fund Organisation (EPFO) ને મોટો ઝટકો લાગવાનો છે. રિલાયન્સ કેપિટલના વેચાણનો રસ્તો સાફ થવાને કારણે આ બંને કંપનીઓએ કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવશે.

દેવામાં ડુબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના વેચાણનો રસ્તો સાફ થઈ ગયો છે. RBIએ રિલાયન્સ કેપિટલ માટે હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ની યોજના પર મંજૂરીની મહોર મારી છે. આ સાથે RBIએ હિન્દુજાના પાંચ પ્રતિનિધિઓને રિલાયન્સ કેપિટલમાં ડિરેક્ટર તરીકે સામેલ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. આવી સ્થિતિમાં રિલાયન્સ કેપિટલના વેચાણનો રસ્તો સાફ થઈ ગયો છે.

બીજી તરફ, રિલાયન્સ કેપિટલને ધિરાણ આપનારી બેંકોને મોટું નુકશાન થવાનું પણ નક્કી છે, કારણકે કે હરાજીમાં મળેલી રકમ અને રોકડ બેલેન્સમાંથી માત્ર 43 ટકા જ લોન વસૂલ કરી શકાય છે. આનો અર્થ એ થયો કે બેંકોની મોટી રકમ ડુબી જશે, જેમાં EPFO અને LIC પણ સામેલ છે.

હિંદુજા ગ્રુપે એપ્રિલ મહિનામાં બીજી વખતની હરાજીમાં રિલાયન્સ કેપિટલને ખરીદવા ટે 9650 કરોડ રૂપિયાની સૌથી મોટી બીડ ભરી હતી.

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલે સપ્ટેમ્બર 2021માં શેરધારકોને તેના દેવા અંગે માહિતી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે તેના પર બેંકોનું 40 હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. એડમિનિસ્ટ્રેટરે રૂ. 23,666 કરોડના નાણાકીય લેણદારોના દાવાની ચકાસણી કરી છે, જેનો અર્થ છે કે બેન્કોને માત્ર 43 ટકા હિસ્સો મળશે.

ભારે દેવાદાર રિલાયન્સ કેપિટલ પર ભારતીય જીવન વીમા નિગમનું લગભગ રૂ. 3,400 કરોડનું દેવું છે. જ્યારે EPFOએ રિલાયન્સ કેપિટલના બોન્ડમાં 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમાંથી LICને 1,460 કરોડ રૂપિયા અને EPFOને લગભગ 1,075 કરોડ રૂપિયા મળવાની ધારણા છે. એનો મતલબ એ થયો કે LICએ 1940 કરોડ રૂપિયા અને EPFOએ 1425 કરોડ રૂપિયાની મસમોટી રકમ ગુમાવવી પડશે.

રિલાયન્સ કેપિટલ માટે બે વખત હરાજી હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રથમ હરાજી દરમિયાન ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે રૂ. 8,640 કરોડની બોલી લગાવી હતી. જો કે, બાદમાં કંપનીના લેણદારો જૂથે ફરીથી હરાજી યોજવાનું નક્કી કર્યું અને બીજી વખત હિન્દુજાએ રૂ. 9,650 કરોડની સૌથી વધુ બોલી લગાવી. રિલાયન્સની હરાજીની રકમ અને રોકડ બેલેન્સને ધ્યાનમાં લેતા, આશરે રૂ. 10,050 કરોડની વસૂલાતની અપેક્ષા છે.

રિલાયન્સ કેપિટલ એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે, જે અનિલ અંબાણીના નાણાકીય સેવાઓના બિઝનેસ માટે હોલ્ડિંગ કંપની હતી. રિલાયન્સ કેપિટલમાં લગભગ 20 નાણાકીય સેવા કંપનીઓ છે. તેમાં સિક્યોરિટીઝ બ્રોકિંગ, વીમો અને એઆરસીનો સમાવેશ થાય છે. RBIએ 30 નવેમ્બર, 2021 ના રોજ રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું અને નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી.

Related Posts

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.