BP, ડાયાબિટીસ નહીં, આ રોગની દવા જન ઔષધિની દુકાનો પર સૌથી વધુ વેચાય છે

જન ઔષધિ કેન્દ્રો પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. લોકો હવે આ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. બહારની સરખામણીએ અહીં દવાઓ પાંચથી છ ગણી સસ્તી મળે છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જરૂરી નથી કે કોઈ વસ્તુ મોંઘી હોય તો સારી જ હોય. સસ્તી વસ્તુઓ ખરાબ હશે. આ વિચાર સાથે સસ્તી જન ઔષધિ દવાઓ શરૂ કરવામાં આવી. દેશભરમાં જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, જ્યાં જેનરિક દવાઓ બજાર કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે, જન ઔષધિ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જન ઔષધિ કેન્દ્રોના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, દેશના દુકાનદારોએ જન ઔષધિ દ્વારા 247 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી હતી અને છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ રૂ. 1236 કરોડનો બિઝનેસ કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 સુધી પહોંચી ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, સરકાર આ કેન્દ્રો દ્વારા કંટ્રોલ રેટ પર દવાઓનું વેચાણ કરે છે. આ કેન્દ્રો દ્વારા લોકોને પોસાય તેવા ભાવે 1800 દવાઓ અને 250થી વધુ તબીબી ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દવાઓ બજાર કરતા 50 થી 90 ટકા સસ્તી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, આ દવા કેન્દ્રો પર એન્ટી એસિડિટી દવાઓ સૌથી વધુ વેચાય છે. પેન્ટોપ્રાઝોન અને ડોમ્પેરીડોનના સરેરાશ 10.86 લાખ યુનિટ વેચાય છે. આ બંને દવાઓ એસિડિટી અને ગેસ માટે વપરાય છે. બીજી તરફ, બ્લડ પ્રેશરની દવા ટેલમીસર્ટનનું વેચાણ 9.32 લાખ અને અમલોડિપિનનું વેચાણ 8.55 લાખ છે. આંકડા મુજબ, દેશના 756 માંથી 651 જિલ્લાઓમાં 9484 જન ઔષધિ કેન્દ્રો પર દરરોજ 10 લાખથી વધુ લોકો દવાઓ ખરીદી રહ્યા છે. આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં પાંચથી છ ગણી સસ્તી છે.

Top News

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.