BP, ડાયાબિટીસ નહીં, આ રોગની દવા જન ઔષધિની દુકાનો પર સૌથી વધુ વેચાય છે

જન ઔષધિ કેન્દ્રો પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. લોકો હવે આ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. બહારની સરખામણીએ અહીં દવાઓ પાંચથી છ ગણી સસ્તી મળે છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જરૂરી નથી કે કોઈ વસ્તુ મોંઘી હોય તો સારી જ હોય. સસ્તી વસ્તુઓ ખરાબ હશે. આ વિચાર સાથે સસ્તી જન ઔષધિ દવાઓ શરૂ કરવામાં આવી. દેશભરમાં જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, જ્યાં જેનરિક દવાઓ બજાર કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે, જન ઔષધિ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જન ઔષધિ કેન્દ્રોના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, દેશના દુકાનદારોએ જન ઔષધિ દ્વારા 247 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી હતી અને છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ રૂ. 1236 કરોડનો બિઝનેસ કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 સુધી પહોંચી ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, સરકાર આ કેન્દ્રો દ્વારા કંટ્રોલ રેટ પર દવાઓનું વેચાણ કરે છે. આ કેન્દ્રો દ્વારા લોકોને પોસાય તેવા ભાવે 1800 દવાઓ અને 250થી વધુ તબીબી ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દવાઓ બજાર કરતા 50 થી 90 ટકા સસ્તી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, આ દવા કેન્દ્રો પર એન્ટી એસિડિટી દવાઓ સૌથી વધુ વેચાય છે. પેન્ટોપ્રાઝોન અને ડોમ્પેરીડોનના સરેરાશ 10.86 લાખ યુનિટ વેચાય છે. આ બંને દવાઓ એસિડિટી અને ગેસ માટે વપરાય છે. બીજી તરફ, બ્લડ પ્રેશરની દવા ટેલમીસર્ટનનું વેચાણ 9.32 લાખ અને અમલોડિપિનનું વેચાણ 8.55 લાખ છે. આંકડા મુજબ, દેશના 756 માંથી 651 જિલ્લાઓમાં 9484 જન ઔષધિ કેન્દ્રો પર દરરોજ 10 લાખથી વધુ લોકો દવાઓ ખરીદી રહ્યા છે. આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં પાંચથી છ ગણી સસ્તી છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.