BP, ડાયાબિટીસ નહીં, આ રોગની દવા જન ઔષધિની દુકાનો પર સૌથી વધુ વેચાય છે

જન ઔષધિ કેન્દ્રો પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. લોકો હવે આ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. બહારની સરખામણીએ અહીં દવાઓ પાંચથી છ ગણી સસ્તી મળે છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જરૂરી નથી કે કોઈ વસ્તુ મોંઘી હોય તો સારી જ હોય. સસ્તી વસ્તુઓ ખરાબ હશે. આ વિચાર સાથે સસ્તી જન ઔષધિ દવાઓ શરૂ કરવામાં આવી. દેશભરમાં જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, જ્યાં જેનરિક દવાઓ બજાર કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે, જન ઔષધિ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જન ઔષધિ કેન્દ્રોના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, દેશના દુકાનદારોએ જન ઔષધિ દ્વારા 247 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી હતી અને છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ રૂ. 1236 કરોડનો બિઝનેસ કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 સુધી પહોંચી ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, સરકાર આ કેન્દ્રો દ્વારા કંટ્રોલ રેટ પર દવાઓનું વેચાણ કરે છે. આ કેન્દ્રો દ્વારા લોકોને પોસાય તેવા ભાવે 1800 દવાઓ અને 250થી વધુ તબીબી ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દવાઓ બજાર કરતા 50 થી 90 ટકા સસ્તી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, આ દવા કેન્દ્રો પર એન્ટી એસિડિટી દવાઓ સૌથી વધુ વેચાય છે. પેન્ટોપ્રાઝોન અને ડોમ્પેરીડોનના સરેરાશ 10.86 લાખ યુનિટ વેચાય છે. આ બંને દવાઓ એસિડિટી અને ગેસ માટે વપરાય છે. બીજી તરફ, બ્લડ પ્રેશરની દવા ટેલમીસર્ટનનું વેચાણ 9.32 લાખ અને અમલોડિપિનનું વેચાણ 8.55 લાખ છે. આંકડા મુજબ, દેશના 756 માંથી 651 જિલ્લાઓમાં 9484 જન ઔષધિ કેન્દ્રો પર દરરોજ 10 લાખથી વધુ લોકો દવાઓ ખરીદી રહ્યા છે. આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં પાંચથી છ ગણી સસ્તી છે.

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી...
Gujarat 
અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે...
Gujarat 
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.