BP, ડાયાબિટીસ નહીં, આ રોગની દવા જન ઔષધિની દુકાનો પર સૌથી વધુ વેચાય છે

જન ઔષધિ કેન્દ્રો પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. લોકો હવે આ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. બહારની સરખામણીએ અહીં દવાઓ પાંચથી છ ગણી સસ્તી મળે છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જરૂરી નથી કે કોઈ વસ્તુ મોંઘી હોય તો સારી જ હોય. સસ્તી વસ્તુઓ ખરાબ હશે. આ વિચાર સાથે સસ્તી જન ઔષધિ દવાઓ શરૂ કરવામાં આવી. દેશભરમાં જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા, જ્યાં જેનરિક દવાઓ બજાર કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ 1236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે, જન ઔષધિ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જ્યાં આઠ વર્ષ પહેલા આ જેનરિક દવાની દુકાનોમાંથી દવાઓનું વેચાણ માત્ર 12 કરોડ રૂપિયા હતું તે હવે વધીને 1236 કરોડ રૂપિયા થઈ ગયું છે.

જન ઔષધિ કેન્દ્રોના વેચાણમાં ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, દેશના દુકાનદારોએ જન ઔષધિ દ્વારા 247 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી હતી અને છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ સ્ટોર્સે કુલ રૂ. 1236 કરોડનો બિઝનેસ કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 સુધી પહોંચી ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, સરકાર આ કેન્દ્રો દ્વારા કંટ્રોલ રેટ પર દવાઓનું વેચાણ કરે છે. આ કેન્દ્રો દ્વારા લોકોને પોસાય તેવા ભાવે 1800 દવાઓ અને 250થી વધુ તબીબી ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દવાઓ બજાર કરતા 50 થી 90 ટકા સસ્તી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, આ દવા કેન્દ્રો પર એન્ટી એસિડિટી દવાઓ સૌથી વધુ વેચાય છે. પેન્ટોપ્રાઝોન અને ડોમ્પેરીડોનના સરેરાશ 10.86 લાખ યુનિટ વેચાય છે. આ બંને દવાઓ એસિડિટી અને ગેસ માટે વપરાય છે. બીજી તરફ, બ્લડ પ્રેશરની દવા ટેલમીસર્ટનનું વેચાણ 9.32 લાખ અને અમલોડિપિનનું વેચાણ 8.55 લાખ છે. આંકડા મુજબ, દેશના 756 માંથી 651 જિલ્લાઓમાં 9484 જન ઔષધિ કેન્દ્રો પર દરરોજ 10 લાખથી વધુ લોકો દવાઓ ખરીદી રહ્યા છે. આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં પાંચથી છ ગણી સસ્તી છે.

About The Author

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.