અંબાણીને 1 લાખ કરોડનું નુકસાન છતા નંબર 1 ધનિક, અદાણીને 1 લાખ કરોડનો ફાયદો છતા...

ગયા વર્ષે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હુરુન ઇન્ડિયાએ ધનિક લોકોની નવી યાદી બહાર પાડી છે. આમાં, અંબાણી વિશ્વના 10 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. તેઓ હવે વિશ્વમાં 18મા ક્રમે છે. જોકે, ભારતમાં અંબાણીનું વર્ચસ્વ અકબંધ છે. અહીં તે ટોચ પર છે.

Mukesh-Ambani3
aajtak.in

છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ઉર્જા અને છૂટક વ્યવસાયોમાં નબળા પ્રદર્શનનો સામનો કરી રહી છે. હકીકતમાં, વેચાણમાં ધીમી વૃદ્ધિ અને દેવા અંગે રોકાણકારોની ચિંતાઓએ જૂથની સમસ્યાઓમાં વધારો કર્યો છે. હાલમાં, અંબાણી પરિવાર પાસે 8.6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગયા વર્ષની સરખામણીમાં, તેમની સંપત્તિમાં લગભગ 13 ટકા એટલે કે 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

બીજી તરફ, ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક લોકોમાં બીજા ક્રમે છે. અદાણીની સંપત્તિમાં 13 ટકાનો વધારો થયો છે, જેની સાથે તેઓ વિશ્વ રેન્કિંગમાં પણ કૂદકો મારીને 27મા ક્રમે પહોંચી ગયા છે. અદાણી પરિવાર પાસે કુલ 8.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Mukesh-Ambani
bharat24live.com

HCLની રોશની નાદર 3.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રથમ વખત યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમના પિતા શિવ નાદરે ઉત્તરાધિકાર યોજનાના ભાગ રૂપે HCLમાં 47 ટકા હિસ્સો તેમને સોંપ્યો હતો. ભારતના ટોચના 10 ધનિકોમાં તે એકમાત્ર મહિલા છે. દિલીપ સંઘવીની સંપત્તિ 21 ટકા વધીને 2.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. આ સાથે, તેઓ ભારતના અમીર લોકોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે.

Mukesh-Ambani-1
msn.com

વિપ્રોના અઝીઝ પ્રેમજી અને પરિવારની કુલ સંપત્તિ 2.2 લાખ કરોડ રૂપિયા છે. તે અમીર લોકોની યાદીમાં પાંચમા ક્રમે છે. છઠ્ઠા નંબર પર સાયરસ પૂનાવાલા છે, જેમની સંપત્તિ 2 લાખ કરોડ રૂપિયા છે. 1.6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે નીરજ બજાજ 8મા સ્થાને છે. RJ કોર્પના રવિ જયપુરિયાની સંપત્તિમાં 7 ટકાનો વધારો થયો છે. તેઓ 1.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે નવમા ક્રમે છે.

Gautam-Adani2
aajtak.in

આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં અબજોપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વૈશ્વિક સ્તરે અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ભારત ત્રીજા સ્થાને આવી ગયું છે. અહીં અબજોપતિઓની સંખ્યા 2023માં 165 હતી જે 2024માં વધીને 191 થઈ ગઈ છે. અમેરિકામાં અબજોપતિઓની સૌથી વધુ સંખ્યા, 870 છે. અહીં નવી યાદીમાં 96 નવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે. સતત બીજા વર્ષે, ન્યુ યોર્ક શહેરમાં અબજોપતિઓની સંખ્યા સૌથી વધુ 129 છે. ભારતીય અબજોપતિઓની સંપત્તિ વધીને 950 બિલિયન ડૉલર થઈ ગઈ છે. આ બાબતમાં ભારત ફક્ત અમેરિકા અને ચીનથી પાછળ છે.

About The Author

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.