અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર મુજબ અદાણી ગ્રુપે નાણાકીય વર્ષ 2024-25માં ભારત સરકારને રૂ. 75,000 કરોડનો ટેક્સ ભર્યો છે જે ગયા વર્ષના રૂ. 58,104 કરોડની સરખામણીએ 29% વધુ છે. આ રકમમાં ડાયરેક્ટ ટેક્સ તરીકે રૂ. 28,720 કરોડ, ઇનડાયરેક્ટ ટેક્સ તરીકે રૂ. 45,407 કરોડ અને કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે રૂ. 818 કરોડનો સમાવેશ થાય છે. આ ટેક્સની રકમ એટલી મોટી છે કે તે મુંબઈના સમગ્ર મેટ્રો નેટવર્કના નિર્માણ ખર્ચ જેટલી છે જે લાખો લોકોની રોજિંદી મુસાફરીને સરળ બનાવે છે.

Gautam-Adani2
aajtak.in

ગૌતમ અદાણીનું આ યોગદાન એક ગુજરાતી તરીકે ગૌરવની વાત છે કારણ કે તે દેશની પ્રગતિમાં ફાળો આપે છે. અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓ જેમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી સિમેન્ટ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે તેમણે આ ટેક્સ ભર્યો છે. આ ઉપરાંત ગ્રુપે તેની ટેક્સ પારદર્શિતા દર્શાવવા માટે ‘બેસિસ ઓફ પ્રિપેરેશન એન્ડ એપ્રોચ ટુ ટેક્સ’ નામે દસ્તાવેજ પણ પજાહેર કરેલ છે જેમાં વૈશ્વિક ટેક્સ અને અન્ય યોગદાનની વિગતો આપવામાં આવી છે.

Adani
economictimes.indiatimes.com

આ સિદ્ધિ દેશના આર્થિક વિકાસમાં અદાણી ગ્રુપની મહત્વની ભૂમિકા દર્શાવે છે પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ અંગે સવાલો પણ ઉઠાવ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે ઇનડાયરેક્ટ ટેક્સ જેમ કે GST ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે જેનો બોજ આખરે જનતા પર જ પડે છે. ઉપરાંત અદાણી ગ્રુપના રૂ. 2.4 લાખ કરોડના દેવા અને યુએસમાં $265 મિલિયનના લાંચ કેસનો ઉલ્લેખ કરીને પણ ટીકા થઈ છે. જોકે આ બધા વચ્ચે ગૌતમ અદાણીનું ટેક્સ યોગદાન એક ગુજરાતી તરીકે દેશ પ્રત્યેની તેમની જવાબદારી અને સન્માન દર્શાવે છે. આવા યોગદાનથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક વિકાસને નવી દિશા મળી શકે છે જે ગુજરાતીઓ માટે ગર્વનો વિષય છે.

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.