અદાણી ગ્રુપ લગાવી રહ્યું છે વિશ્વનો સૌથી મોટો સૌર પ્લાન્ટ!

જો ભારતના કોર્પોરેટ જગતને શતરંજની રમત માનવામાં આવે છે, તો અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણી એક ખેલાડી જેવા છે જે આગામી પાંચ ચાલને ધ્યાનમાં રાખીને આ આખી રમત રમી રહ્યો છે. એજન્ડા એક મીડિયા ચેનલના તેમના પ્રથમ TV ઇન્ટરવ્યુમાં, તેમણે તેમની કંપનીની વ્યૂહરચનાની વ્યાપક રૂપરેખા રજૂ કરી.

બંદરો અને એરપોર્ટથી લઈને ધારાવી રિડેવલોપમેન્ટ, આગામી પાંચ દાયકા માટે માળખાગત વિઝન અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મોટા રોકાણો સુધી, પ્રણવ અદાણીએ તેમની કંપનીના આયોજનની ચર્ચા કરી. તેમણે તેમના પિતા ગૌતમ અદાણીના મંત્રને ફરી વખત બોલતા કહ્યું, 'મોટું બનાવો, ધીરજપૂર્વક બનાવો અને આવનારી પેઢીઓ માટે બનાવો.'

Pranav-Adani2
indiatoday.in

પ્રણવ અદાણીએ અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ વિશે વિગતવાર જણાવ્યું, જે ચંદ્ર પરથી પણ દેખાશે. તેમણે બતાવ્યું કે, તેમની કંપની ગુજરાતના કચ્છમાં વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે, જે ફ્રાન્સની રાજધાની પેરિસ કરતા પાંચ ગણો મોટો વિસ્તાર ધરાવશે અને ચંદ્ર પરથી પણ દેખાશે. તેમણે કહ્યું, 'જ્યારે નવીનીકરણીય ઉર્જાની વાત આવે છે, ત્યારે અદાણી ગ્રુપ આમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. અમારું લક્ષ્ય 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન કંપની બનવાનું છે.'

પ્રણવ અદાણીએ કહ્યું, 'અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ગુજરાતના કચ્છ જિલ્લામાં ખાવડા સરહદ નજીક એક જ સ્થળે 30 ગીગાવોટ (3,000 મેગાવોટ) નવીનીકરણીય ક્ષમતા સ્થાપિત કરી રહી છે. ઉદાહરણ તરીકે, તે આશરે 520 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે, જે પેરિસના કદ કરતા પાંચ ગણું છે, અને જેને તમે ચંદ્ર પરથી પણ જોઈ શકો છો. અમે અહીં સૌર ઉર્જા ઉત્પન્ન કરીશું. આવા બધા અદાણી ગ્રીન પ્રોજેક્ટ્સને જોડીને, અમે 2030 સુધીમાં આશરે 50 ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પન્ન કરીશું.'

Gautam-Adani-Pranav-Adani
india.com

પ્રણવ અદાણીએ બીજી એક મજબૂત આગાહી કરતા કહ્યું કે, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન કંપની બની જશે. તેમણે કહ્યું કે દરેક વ્યવસાયમાં પડકારો તો અસ્તિત્વમાં હોય જ છે. ઉદાહરણ તરીકે, ખાવડા વિસ્તાર શરૂઆતમાં સંપૂર્ણપણે ઉજ્જડ જમીન હતી, અત્યંત ગરમ અને રણ જેવો હતો, જ્યાં સામાન્ય રીતે કોઈ કામ કરવા માંગતું ન હતું. તેને ઉત્પાદક જમીનમાં રૂપાંતરિત કરવું એ એક મોટું કાર્ય છે. દરેક વ્યવસાયને સપ્લાય ચેઇન અને અન્ય પડકારોનો સામનો કરવો પડે છે, અને અમે તેને ઘણા વ્યવસાયોમાં જોયા છે. હવે અમે તેમને જીવનનો એક ભાગ માનીને આગળ વધી રહ્યા છીએ.

Pranav-Adani3
indiatoday.in

પ્રણવ અદાણીએ કહ્યું કે, 2047 સુધીમાં ભારતને 30 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવામાં માળખાગત સુવિધાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, અને અદાણી ગ્રુપ ફક્ત 2026 માટે આયોજન કરી રહ્યું નથી, પરંતુ બે દાયકા આગળ જોઈ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અદાણી ગ્રુપનું વિઝન ચેરમેન ગૌતમ અદાણીની 15-20 વર્ષ આગળ વિચારવાની ટેવ સાથે સુસંગત છે. તેમના મતે, 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત ભારતના સ્વપ્નનું સાકાર થવું મોટાભાગે દેશમાં માળખાગત સુવિધાઓના નિર્માણ પર આધારિત છે.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.