આ કંપનીમાંથી અદાણી ગ્રુપે લઈ લીધી એક્ઝિટ, શેરો પર શું અસર રહી?

અદાણી ગ્રુપના પોર્ટફોલિયોમાંથી શુક્રવારે એક કંપની બહાર થઈ ગઈ. અદાણી ગ્રુપે બ્લોક ડીલ દ્વારા AWL એગ્રી બિઝનેસ (અગાઉ અદાણી વિલ્મર લિમિટેડ)માં તેનો બાકીનો 7% હિસ્સો વેચી દીધો, જેનાથી તે સંપૂર્ણપણે વ્યવસાયમાંથી બહાર નીકળી ગયો. અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી કોમોડિટીઝ LLPએ વિનિવેશ પૂર્ણ કર્યો છે. આ ભારતની સૌથી મોટી ખાદ્ય તેલ બ્રાન્ડ ફ્રેન્ચાઇઝમાં પોતાનું પોઝિશન ખતમ કરવા માટે આ જૂથનું અંતિમ પગલું છે. અદાણી ગ્રુપે પ્રતિ શેર 275.50 રૂપિયા પ્રતિ શેરના ભાવે ડીલ પૂર્ણ કરી છે. ઈન્વેસ્ટમેન્ટ બેંક જેફરીઝે આ ટ્રાન્ઝેક્શન માટે દલાલી કરી. બજારનો અંદાજ અને ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે AWL એગ્રીના વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે ડીલનું મૂલ્ય 2,300–2,400 કરોડની વચ્ચે રહેશે.

adani1
business-standard.com

અદાણીના બહાર નીકળ્યા બાદ તરત જ કંપનીના શેરમાં ભારે અસ્થિરતા જોવા મળી. બ્લોક ડીલ દ્વારા અદાણીએ પોતાના શેરનો આશરે 6.6% હિસ્સો વેચી દીધો, તેવા જ શેર 3.7% ઘટીને 266.45 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયો, જે તેની ઇન્ટ્રાડે સૌથી નીચી સપાટી છે.

અગાઉ અદાણી ગ્રુપ AWL એગ્રીમાં 20% હિસ્સો ધરાવતો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં તેણે 4,646 કરોડની ઓફ-માર્કેટ ડીલમાં કંપનીમાં 13% હિસ્સો વિલ્મર ઇન્ટરનેશનલની શાખાને વેચી દીધો. હવે અંતિમ બ્લોક ડીલ પૂર્ણ થવા સાથે જ અદાણી એન્ટરપ્રાઇઝને તેના ટોટલ એક્ઝિટમાંથી 15,707 કરોડ રૂપિયા મળ્યા છે.

adani
business-standard.com

સૂત્રોએ જણાવ્યું હતું કે, ICICI પ્રૂડેન્શિયલ MF, SBI MF, Tata MF, Quant MF, Bandhan MF, Vanguard અને Charles Schwab જેવા સ્થાનિક મ્યૂચ્યુઅલ ફંડ મોટા ખરીદદારોમાં સામેલ હતા. સિંગાપુર, UAE અને અન્ય એશિયન બજારોના ઘણા વૈશ્વિક રોકાણકારોએ પણ ક્લીન-આઉટ બ્લોકમાં ભાગ લીધો હતો. અદાણીના બહાર નીકળવા સાથે સિંગાપુર સ્થિત વિલ્મર ઇન્ટરનેશનલ એકમાત્ર પ્રમોટર બની ગઈ છે, જેની પાસે હવે AWL એગ્રીમાં લગભગ 57% હિસ્સો હોવાનું અનુમાન છે. આનાથી કંપનીની ઓળખ એક મલ્ટીનેશનલ ફૂડ અને FMCG ખેલાડી તરીકે મજબૂત બને છે.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.