આ કંપનીમાંથી અદાણી ગ્રુપે લઈ લીધી એક્ઝિટ, શેરો પર શું અસર રહી?

અદાણી ગ્રુપના પોર્ટફોલિયોમાંથી શુક્રવારે એક કંપની બહાર થઈ ગઈ. અદાણી ગ્રુપે બ્લોક ડીલ દ્વારા AWL એગ્રી બિઝનેસ (અગાઉ અદાણી વિલ્મર લિમિટેડ)માં તેનો બાકીનો 7% હિસ્સો વેચી દીધો, જેનાથી તે સંપૂર્ણપણે વ્યવસાયમાંથી બહાર નીકળી ગયો. અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી કોમોડિટીઝ LLPએ વિનિવેશ પૂર્ણ કર્યો છે. આ ભારતની સૌથી મોટી ખાદ્ય તેલ બ્રાન્ડ ફ્રેન્ચાઇઝમાં પોતાનું પોઝિશન ખતમ કરવા માટે આ જૂથનું અંતિમ પગલું છે. અદાણી ગ્રુપે પ્રતિ શેર 275.50 રૂપિયા પ્રતિ શેરના ભાવે ડીલ પૂર્ણ કરી છે. ઈન્વેસ્ટમેન્ટ બેંક જેફરીઝે આ ટ્રાન્ઝેક્શન માટે દલાલી કરી. બજારનો અંદાજ અને ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે AWL એગ્રીના વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે ડીલનું મૂલ્ય 2,300–2,400 કરોડની વચ્ચે રહેશે.

adani1
business-standard.com

અદાણીના બહાર નીકળ્યા બાદ તરત જ કંપનીના શેરમાં ભારે અસ્થિરતા જોવા મળી. બ્લોક ડીલ દ્વારા અદાણીએ પોતાના શેરનો આશરે 6.6% હિસ્સો વેચી દીધો, તેવા જ શેર 3.7% ઘટીને 266.45 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયો, જે તેની ઇન્ટ્રાડે સૌથી નીચી સપાટી છે.

અગાઉ અદાણી ગ્રુપ AWL એગ્રીમાં 20% હિસ્સો ધરાવતો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં તેણે 4,646 કરોડની ઓફ-માર્કેટ ડીલમાં કંપનીમાં 13% હિસ્સો વિલ્મર ઇન્ટરનેશનલની શાખાને વેચી દીધો. હવે અંતિમ બ્લોક ડીલ પૂર્ણ થવા સાથે જ અદાણી એન્ટરપ્રાઇઝને તેના ટોટલ એક્ઝિટમાંથી 15,707 કરોડ રૂપિયા મળ્યા છે.

adani
business-standard.com

સૂત્રોએ જણાવ્યું હતું કે, ICICI પ્રૂડેન્શિયલ MF, SBI MF, Tata MF, Quant MF, Bandhan MF, Vanguard અને Charles Schwab જેવા સ્થાનિક મ્યૂચ્યુઅલ ફંડ મોટા ખરીદદારોમાં સામેલ હતા. સિંગાપુર, UAE અને અન્ય એશિયન બજારોના ઘણા વૈશ્વિક રોકાણકારોએ પણ ક્લીન-આઉટ બ્લોકમાં ભાગ લીધો હતો. અદાણીના બહાર નીકળવા સાથે સિંગાપુર સ્થિત વિલ્મર ઇન્ટરનેશનલ એકમાત્ર પ્રમોટર બની ગઈ છે, જેની પાસે હવે AWL એગ્રીમાં લગભગ 57% હિસ્સો હોવાનું અનુમાન છે. આનાથી કંપનીની ઓળખ એક મલ્ટીનેશનલ ફૂડ અને FMCG ખેલાડી તરીકે મજબૂત બને છે.

About The Author

Related Posts

Top News

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.