મોંઘી દવાઓ પર 1000 ગણા વધુ પૈસાની કમાણી કરી રહ્યા છે કંપનીવાળા

ભારતમાં દવાઓની કિંમતો પર નિયંત્રણ રાખવાવાળા નિયમનકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી(NPPA)ના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે મોંઘી દવાઓ પર ટ્રેડ માર્જીન 1000 ટકાથી પણ વધારે લેવાઇ રહ્યું છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર 50-100 રૂપિયાવાળી દવામાંથી 2.97 ટકા દવાના ટ્રેડ માર્જીન 50-100 ટકા અને 1.25 ટકા દવાનું ટ્રેડ માર્જીન 100-200 ટકા છે. જ્યાં. 2.41 ટકા દવાનું માર્જીન 200-500 ટકા છે. NPPAએ કહ્યું કે, જો વાત 100 રૂપિયાથી વધારેની દવાઓ વિશે કરીએ તો 8 ટકા દવાનું માર્જીન 200-500 ટકાની વચ્ચે હોય છે. 2.7 ટકા દવાનું માર્જીન 500-1000 ટકાની વચ્ચે અને 1.48 ટકા દવાનું માર્જિન 1000 ટકાથી પણ વધારે વસૂલાઇ રહ્યું છે.

NPPAએ શુક્રવારે દવા નિર્માતા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દવાના ટ્રેડ માર્જીનને તર્કસંગત બનાવા માટે ટ્રેડ માર્જીન રેશનલાઇઝેશન પર ચર્ચા થઇ હતી. તેના હેઠળ સપ્લાઇ ચેનમાં ટ્રેડ માર્જીનની સીમાને નક્કી કરવામાં આવે છે. ડ્રગ નિયામકના વિશ્લેષણ દ્વારા જાણવા મળ્યું છે કે, ભારતમાં નોન શિડ્યૂલ દવાનું વાર્ષિક ટર્નઓવર 1.37 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. ભારતમાં ફાર્મા સેક્ટરનું વાર્ષિક ટર્નઓવર 81 ટકા છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે, ફાર્મા કંપનીઓએ આ વાતનો સ્વીકાર કર્યો કે, TMRથી દવાઓની કિંમતોમાં મોટો ઘટાડો આવશે. અધિકારીઓ અનુસાર, TMR પર કોઇપણ રીતનો નિર્ણય લેવા પહેલા દવા ઉદ્યોગના વિચારો સાંભળવામાં આવે છે.

દવા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ જે કિંમત પર દવાઓ વેચે છે અને ગ્રાહક જે કિંમત પર દવાઓ ખરીદે છે તેને ટ્રેડ માર્જીન કહેવાય છે. જેમ જેમ દવાની કિંમત વધે છે તેમ તેમ દવાનું ટ્રેડ માર્જીન પણ વધે છે. દવા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસેથી ગ્રાહક સુધી દવા પહોંચતા પહોંચતા દવાઓ હોલસેલ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે પહોંચે છે. જો NPPA પહેલા દવાઓની કિંમતો ઓછી થાય છે તો દેશની એક મોટી આબાદીને રાહત મળી શકે છે. સરકાર પણ દવાઓની કિંમતોને કાબૂમાં લેવા માટે જેનેરિક દવાના ઉત્પાદનને પ્રોત્સાહિત કરી રહી છે.

દવાના ભાવને નિયંત્રણમાં લેવા માટે સરકાર પગલા ઉઠાવી રહી છે અને તે જેનેરિક દવાના ઉપયોગ વિશે પણ જાહેર જનતાને જાગૃત કરી રહી છે. જેનેરિક દવાના ઉત્પાદન માટે સરકાર સબસીડી પણ આપી રહી છે અને તે મોટા શહેરોમાં જેનેરિક દવાના રીટેલ આઉટલેટના વિસ્તાર પાછળ પણ ધ્યાન આપી રહી છે.

About The Author

Related Posts

Top News

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.