એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025 સુધી સંગઠન ડખે ચઢ્યું, કાર્યકર્તાઓની લાગણીઓ દુભાઈ અને પાયાના કાર્યકર્તાઓએ અપમાનો પણ સહન કર્યા પરંતુ આ સમીકરણો વચ્ચે પણ કાર્યકર્તાઓએ  મર્યાદા દાખવી અને પક્ષને ક્યાંય નુકસાન થવા દીધું નહીં! અને હવે સમયનું ચક્ર ફર્યું છે. કહેવાય છેને કે સત્તા ક્યારેય કોઈ એકની થઈને ટકતી નથી. 

Photo-(2)

હાલ ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર છે, જેમાં મુખ્યમંત્રીની ભૂમિકામાં મૃદુ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી ની ભૂમિકામાં યુવા તરવરિયા નેતા હર્ષ સંઘવી જવાબદારી નિભાવી રહ્યા છે. બીજી બાજુ પક્ષની કરોડરજ્જુ સમા સંગઠનમાં વાલીના ગુણ ધરાવતા જગદીશ પંચાલ ગુજરાત ભાજપ અધ્યક્ષની ભૂમિકામાં છે. 

ભાજપમાં સરકાર અને સંગઠન ના કાર્યો અને ભૂમિકાઓ અલગ અલગ રહે છે. સરકાર ના કાર્યમાં સંગઠનની કોઈજ ભૂમિકા હોતી નથી. સરકાર પ્રત્યક્ષ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યોના અમલીકરણ માટે તંત્રને સાથે લઈને કામ કરે છે. જ્યારે  સંગઠનનું કાર્ય કાર્યકર્તાઓનું ઘડતર અને મતદાતા સુધી પક્ષની વિચારધારા પહોચાડવાનું કાર્ય કરે છે.ગુજરાત સરકારનું નવી કેબિનેટમંત્રીઓનું માળખું સારી રીતે પ્રજાલક્ષી કાર્યો પૂરા પાડવા પર કેન્દ્રિત જણાઈ રહ્યું છે. 

bjp-gujarat
bjp.org

હાલ ગુજરાતમાં ભાજપ સંગઠન સરકારના કાર્યોમાં દાખલ કરતું નથી, જૂના નવા નિષ્ક્રિય કે દુભાયેલા કાર્યકર્તાઓને એકસાથે જોડવાનું અને સક્રિય કરવાનું મૂળભૂત કર્યા કરી રહ્યું છે. સંગઠનમાં નવનિયુક કાર્યકર્તા પદાધિકારીઓ નિર્વિવાદ અને કાર્યકર્તાઓમાં સ્વીકૃત હોય એની કાળજી લેવામાં આવી રહી છે. હાલ ભાજપના સંગઠનમાં દાબ દબાણ કે ધમકીનું નહીં પરંતુ એકાત્મતાનું વાતાવરણ બન્યું છે જે કાર્યકર્તાઓને નવો ઉત્સાહ આપી રહ્યું છે. આવનારા સમયમાં ચૂંટણીઓમાં ગુજરાત ભાજપનું સંગઠન ભૂતકાળના બધાજ વિજયી સમીકરણોથી વધુ સારું પુરવાર થશે એવું હાલ જણાય રહ્યું છે. 

Photo-(2)

સામ દામ દંડ ભેદ જેવા સમીકરણોથી દૂર મૂળ એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન થઈ રહ્યું છે એ વાત હાલ તો નકારી શકાય એમ નથી. આ અદભુત સંકલનથી ગુજરાતમાં બૂથ સ્તરથી શરૂ કરીને રાજ્ય સ્તર સુધીની સક્રિયતા વધી છે જે પ્રજાના મુદ્દાઓને વધુ સારી રીતે સમજવા અને તેના નિવારણમાં મદદરૂપ થઈ રહી છે. કાર્યકર્તાઓની આ એકતા અને ઉત્સાહ પક્ષને આગામી સ્થાનિક તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં અભૂતપૂર્વ વિજય તરફ લઈ જઈ શકે છે.

About The Author

Top News

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે...
Politics 
નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.