વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે કહ્યું,2024માં આ સ્ટોક તમને માલામાલ કરી દેશે,લઇ લો

વિદેશી બ્રોકરેજ હાઉસે દેશની અગ્રણી કંપનીનો શેર 2024માં ખરીદી લેવા માટે ભલામણ કરી છે. વર્ષ 2023માં આ શેરે રોકાણકારોને ખાસ્સી કમાણી નહોતી કરાવી, પરંતુ 2024માં આ જ શેર રોકાણકારોને માલામાલ કરી દેશે, જેફરીઝે કહ્યું છે કે, રોકાણકારોએ આ શેર ખરીદી લેવા માટે કહ્યું છે. જેફરીઝે શેરમાં ઉછાળો આવવાનું કારણ પણ આપ્યું છે. શેરબજારમાં અત્યારે ભરપૂર તેજી ચાલી રહી છે.

વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રિલાયન્સનો શેર 21 ટકાના ઉછાળા સાથે 3125 રૂપિયા સુધી જઈ શકે છે. હાલમાં, રિલાયન્સનો શેર શુક્રવાર, 5 જાન્યુઆરી, 2024 ના રોજ રૂ. 2600 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. વર્ષ 2022 ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, 30 ડિસેમ્બર, 2022 ના રોજ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2547 રૂપિયા પર બંધ થયો હતો. 20 માર્ચ, 2023ના રોજ શેર ઘટીને રૂ. 2180 થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી Jio Financial ના ડિમર્જરના સમાચાર પછી, સ્ટોક 19 જુલાઈ, 2023 ના રોજ 2856 રૂપિયા પર પહોંચી ગયો હતો.

આ પછી, ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ફરીથી શેર 2226 રૂપિયા સુધી સરકી ગયો. આ સ્તરોથી છેલ્લા 3 મહિનામાં સ્ટોક 12.50 ટકાથી વધુ વધ્યો છે. 2023 ના છેલ્લા સત્રમાં, શેર 2586 પર બંધ થયો હતો. એટલે કે છેલ્લા એક વર્ષમાં રિલાયન્સના શેરનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 52 સપ્તાહની વધઘટની વાત કરીએ તો ઉંચામાં 2856 સુધી ગયો છે અને નીચામાં 2180 સુધી આ શેર પહોંચ્યો હતો.

પરંતુ હવે જેફરીઝ સ્ટોક પર અત્યંત બુલિશ દેખાય છે. શેરબજારના નિષ્ણાતો માને છે કે લાર્જ કેપ શેરો માટે 2024 શ્રેષ્ઠ હોઈ શકે છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોએ 2023માં રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. પરંતુ આ વર્ષ મોટી-મોટી કંપનીઓના શેર માટે શાનદાર રહેવાની ધારણા છે.

જેફરીઝના અહેવાલમાં 2024-25માં 13 ટકા EBITA વૃદ્ધિનો અંદાજ છે. આ સિવાય રિલાયન્સ JIO ના મોબાઈલ ટેરિફમાં વધારાને કારણે કંપનીના શેરમાં વધારામાં મોટો ફાળો આપી શકે છે. જેફરીઝનું માનવું છે કે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલનો મૂડી ખર્ચ 2024-25માં ઘટી શકે છે, જે કંપની પર દેવું વધવાનું જોખમ ટાળશે અને રોકડ પ્રવાહમાં પણ સુધારો કરશે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.