વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે કહ્યું,2024માં આ સ્ટોક તમને માલામાલ કરી દેશે,લઇ લો

વિદેશી બ્રોકરેજ હાઉસે દેશની અગ્રણી કંપનીનો શેર 2024માં ખરીદી લેવા માટે ભલામણ કરી છે. વર્ષ 2023માં આ શેરે રોકાણકારોને ખાસ્સી કમાણી નહોતી કરાવી, પરંતુ 2024માં આ જ શેર રોકાણકારોને માલામાલ કરી દેશે, જેફરીઝે કહ્યું છે કે, રોકાણકારોએ આ શેર ખરીદી લેવા માટે કહ્યું છે. જેફરીઝે શેરમાં ઉછાળો આવવાનું કારણ પણ આપ્યું છે. શેરબજારમાં અત્યારે ભરપૂર તેજી ચાલી રહી છે.

વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રિલાયન્સનો શેર 21 ટકાના ઉછાળા સાથે 3125 રૂપિયા સુધી જઈ શકે છે. હાલમાં, રિલાયન્સનો શેર શુક્રવાર, 5 જાન્યુઆરી, 2024 ના રોજ રૂ. 2600 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. વર્ષ 2022 ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, 30 ડિસેમ્બર, 2022 ના રોજ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2547 રૂપિયા પર બંધ થયો હતો. 20 માર્ચ, 2023ના રોજ શેર ઘટીને રૂ. 2180 થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી Jio Financial ના ડિમર્જરના સમાચાર પછી, સ્ટોક 19 જુલાઈ, 2023 ના રોજ 2856 રૂપિયા પર પહોંચી ગયો હતો.

આ પછી, ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ફરીથી શેર 2226 રૂપિયા સુધી સરકી ગયો. આ સ્તરોથી છેલ્લા 3 મહિનામાં સ્ટોક 12.50 ટકાથી વધુ વધ્યો છે. 2023 ના છેલ્લા સત્રમાં, શેર 2586 પર બંધ થયો હતો. એટલે કે છેલ્લા એક વર્ષમાં રિલાયન્સના શેરનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 52 સપ્તાહની વધઘટની વાત કરીએ તો ઉંચામાં 2856 સુધી ગયો છે અને નીચામાં 2180 સુધી આ શેર પહોંચ્યો હતો.

પરંતુ હવે જેફરીઝ સ્ટોક પર અત્યંત બુલિશ દેખાય છે. શેરબજારના નિષ્ણાતો માને છે કે લાર્જ કેપ શેરો માટે 2024 શ્રેષ્ઠ હોઈ શકે છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોએ 2023માં રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. પરંતુ આ વર્ષ મોટી-મોટી કંપનીઓના શેર માટે શાનદાર રહેવાની ધારણા છે.

જેફરીઝના અહેવાલમાં 2024-25માં 13 ટકા EBITA વૃદ્ધિનો અંદાજ છે. આ સિવાય રિલાયન્સ JIO ના મોબાઈલ ટેરિફમાં વધારાને કારણે કંપનીના શેરમાં વધારામાં મોટો ફાળો આપી શકે છે. જેફરીઝનું માનવું છે કે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલનો મૂડી ખર્ચ 2024-25માં ઘટી શકે છે, જે કંપની પર દેવું વધવાનું જોખમ ટાળશે અને રોકડ પ્રવાહમાં પણ સુધારો કરશે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.