વધુ 10 દિવસનો સમય આપો... કંપની વેચવા માટે અનિલ અંબાણીએ RBIને અપીલ કરી

ભારે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના ખરીદનાર હિન્દુજા ગ્રૂપને એક્વિઝિશન પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે. કારણ કે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને અપીલ કરી છે અને 10 દિવસનો સમય માંગ્યો છે. રિલાયન્સ કેપિટલે હિંદુજા ગ્રુપની કંપનીને સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે આ સમય માંગ્યો છે.

રિલાયન્સ કેપિટલની સંપત્તિ હિન્દુજા ગ્રુપની કંપનીને ટ્રાન્સફર કરવાની સમય મર્યાદા શુક્રવાર સુધી હતી. દેશની સેન્ટ્રલ બેંકે 17 નવેમ્બર 2023ના રોજ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. આ મંજૂરી માત્ર 6 મહિના માટે જ માન્ય હતી. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, હવે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે RBI પાસેથી 27 મે સુધીનો સમય માંગ્યો છે. સંપત્તિના સ્થાનાંતરણ પછી, રિલાયન્સ કેપિટલ સંપૂર્ણપણે હિન્દુજા જૂથની થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, NCLTના આદેશ મુજબ હિન્દુજા ગ્રૂપની કંપની માટે રિઝોલ્યુશન પ્લાન લાગુ કરવાની અંતિમ તારીખ પણ 27મી મે છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેન્ચે 27 ફેબ્રુઆરીએ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડને 27 મે સુધીમાં રિઝોલ્યુશન પ્લાન લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

NCLTએ હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડની રિલાયન્સ કેપિટલ માટે રૂ. 9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. તાજેતરમાં, IRDAIએ અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલના અધિગ્રહણ માટે હિન્દુજા ગ્રૂપની કંપનીની બિડને પણ મંજૂરી આપી છે.

અહીં તમને જણાવી દઈએ કે, રિલાયન્સ કેપિટલ માટે બિડનું આમંત્રણ ફેબ્રુઆરી 2022માં બહાર પાડવામાં આવ્યું હતું. શરૂઆતમાં ચાર કંપનીઓ રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવા આગળ આવી હતી, પરંતુ ઓછી બિડને કારણે ધિરાણકર્તા જૂથે તેને નકારી કાઢી હતી. ત્યાર પછી હિન્દુજા ગ્રૂપ અને ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટે ફરીથી બિડ સબમિટ કરી, જેમાં હિંદુજા ગ્રૂપની બિડને મંજૂરી આપવામાં આવી. આ કંપની પર 40 હજાર કરોડ રૂપિયાનું દેવું હોવાનું કહેવાય છે.

તાજેતરમાં, ઇન્ડસઇન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે શક્ય તેટલું જલ્દી સંપાદન પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારું લક્ષ્ય 27 મે, 2024ની NCLT સમયમર્યાદા સુધીમાં પૂર્ણ કરવાનું છે. અગાઉ, ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલના ચેરમેન અશોક હિન્દુજાએ કહ્યું હતું કે, તે IRDAIની મંજૂરીના 48 કલાકની અંદર બિડની રકમ ચૂકવીને સોદો પૂર્ણ કરશે.

Top News

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
Tech and Auto 
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Sports 
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.