સોનું ઓલટાઇમ હાઇ પર, 10 ગ્રામ સોનાની કિંમત આ વર્ષે 60000 સુધી જઈ શકે

સોનું સોમવારે પોતાના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઇટ મુજબ, 9 જાન્યુઆરીના રોજ સર્રાફા બજારમાં સોનું 749 રૂપિયા મોંઘું થઇને 56 હજાર 336 રૂપિયા પર પહોંચી ગયું છે. આ અગાઉ ઑગસ્ટ 2020માં સોનું સૌથી મોંઘું સાબિત થયું છે. ત્યારે 10 ગ્રામ સોનાની કિંમત 56 હજાર 200 રૂપિયા પહોંચી ગઇ હતી. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, આ વર્ષે સોનાની કિંમતો 60 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી જઇ શકે છે.

ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં પણ આજે શાનદાર તેજી જોવા મળી છે. સર્રાફા બજારમાં તે 1,186 રૂપિયા મોંઘું થઇને 69,074 રૂપિયા પ્રતિ કિલોગ્રામ તેજી આવી ગઇ. 6 જાન્યુઆરીના રોજ તે 67,888 હજાર પર હતી. ગયા વર્ષે સોના ચાંદીની કિંમતોમાં શાનદાર તેજી જોવા મળી હતી. આ વર્ષે સોનું 48,279 રૂપિયાથી વધીને 54,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઇ છે એટલે કે વર્ષ 2022માં સોનાની કિંમતમાં 6,588 રૂપિયાની તેજી જોવા મળી.

તો વર્ષ 2022માં ચાંદીની કિંમત 62,035 રૂપિયાથી વધીને 68,092 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ હતી એટલે કે આ વર્ષે તેની કિંમતમાં 6057 રૂપિયાની તેજી આવી. આર્થિક અનિશ્ચિતતા વચ્ચે RBI જેવી દુનિયાભરની સેન્ટ્રલ બેંકોએ સોનાનો ભંડાર વધાર્યો છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા મુજબ, કેન્દ્રીય બેંકો તરફથી સોનાની ખરીદાદારી વધવાના સકારાત્મક સંકેત છે. તેનાથી સોનાની કિંમતોને સપોર્ટ મળશે. અજય કેડિયાએ કહ્યું કે, વર્ષ 2023માં સોનું 64,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

છેલ 75 વર્ષોમાં સોના અને ચાંદી ઝડપથી મોંઘા થયા છે. વર્ષ 1947માં જ્યારે દેશ આઝાદ થયો હતો, ત્યારે સોનું 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, જે હવે 56 હજાર પાર નીકળી ગયું છે. ત્યારથી લઇને અત્યાર સુધી સોનું 631 ગણું (63198 ટકા) મોંઘું થઇ ચૂક્યું છે.

ચાંદીની વાત કરીએ તો આઝાદીથી લઇને અત્યાર સુધી તે 644 ગણું મોંઘું થયું છે. વર્ષ 1947માં ચાંદીની કિંમત લગભગ 107 રૂપિયા કિલો હતો અને હવે તે 69,074 રૂપિયા પર છે. હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું હોલમાર્ક લાગેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. સાથે જ પ્યૂરિટી કોડ, ટેસ્ટિંગ સેન્ટર માર્ક, જ્વેલરનું માર્ક અને માર્કિંગની ડેટ પણ જરૂર જોઇ લો.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.