બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા ઉપાડો છો. તો આ તમારા માટે ઉપયોગી સમાચાર બનશે. ખરેખર, હવે ATMમાંથી પૈસા ઉપાડતી વખતે, તમારા ખાતામાંથી ચાર્જ વસુલવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પૈસા ઉપાડતી વખતે વસૂલવામાં આવતા ચાર્જ અંગે મંજૂરી આપી દીધી છે. આ વધારવામાં આવેલો ચાર્જ 1 મેથી લાગુ થવા જઈ રહ્યો છે.

ATM-Withdrawals
indiatoday.in

એવી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે કે, 1 મે, 2025થી બદલવામાં આવેલા નિયમો અનુસાર, જો તમે તમારા હોમ બેંક નેટવર્કના કોઈપણ ATMમાંથી રોકડ ઉપાડો છો, તો તેના પર કોઈ ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં. આ સિવાય, જો તમે કોઈપણ અન્ય બીજી બેંકના ATMમાંથી રોકડ ઉપાડવાનો કે અન્ય કોઈ વ્યવહાર કરો છો અથવા બેલેન્સ ચેક કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.

આજે પણ RBI ગ્રાહકો પાસેથી ATM ફી વસૂલ કરે છે. જોકે, હાલમાં, અન્ય બેંકોમાંથી રોકડ ઉપાડવા માટે, દરેક વ્યવહાર માટે 17 રૂપિયા ચૂકવવા પડે છે, જે 1 મેથી વધીને 19 રૂપિયા થશે. આ ઉપરાંત, બીજી બેંકના ATMમાંથી બેલેન્સ ચેક કરવા માટે પહેલા 6 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. જે વધારીને રૂ. 7 કરવામાં આવશે.

ATM-Withdrawals
millenniumpost.in

અહીં તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે, આ ચાર્જ ગ્રાહક પર ત્યારે લાગુ પડે છે જ્યારે તે દર મહિને આપવામાં આવેલી મફત વ્યવહાર મર્યાદા પછી પૈસા ઉપાડે છે. આ માટે, RBIના નિયમો મુજબ, મેટ્રો શહેરોમાં, હોમ બેંક સિવાય, તમે બીજી બેંકના ATMમાંથી ત્રણ મફત વ્યવહારો કરી શકો છો. જ્યારે નોન-મેટ્રો શહેરોમાં, તમે પાંચ મફત વ્યવહારો કરી શકો છો.

ઘણા સમયથી ATMમાંથી પૈસા ઉપાડવા પરના ચાર્જમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આ માંગ વ્હાઇટ-ટેબલ ATM ઓપરેટરો દ્વારા કરવામાં આવી રહી હતી. આ અંગે તેમણે કહ્યું હતું કે, અન્ય બેંકના ATMમાંથી રોકડ ઉપાડતી વખતે થતો ખર્ચ વધી રહ્યો છે. જેના માટે જૂની ફી ઓછી છે.

ATM-Withdrawals2
hindi.financialexpress.com

આ દરખાસ્તને મંજૂરી મળ્યા પછી નાની બેંકો પર દબાણ વધુ વધવાની શક્યતા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, મર્યાદિત સંસાધનો હોવા છતાં તેઓ અન્ય બેંકોના ATM પર વધુ નિર્ભર છે. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રાન્ઝેક્શન ચાર્જ વધે છે, ત્યારે ગ્રાહકો પર તેની અસર થશે.

About The Author

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.