હવે આટલા રૂપિયાના UPI વ્યવહાર પર વેપારી ફી વસૂલવામાં આવી શકે છે

જો તમે પણ તમારા મોટાભાગના શોપિંગ અને પરિવાર સંબંધિત ખર્ચ UPI દ્વારા કરો છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. હા, સરકાર UPI દ્વારા રૂ.3000થી વધુના વ્યવહારો પર વેપારી ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની યોજના બનાવી રહી છે. સરકાર દ્વારા આ પગલું બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓને તકનીકી અને સંચાલન ખર્ચમાં મદદ કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી રહ્યું છે.

UPI-Transaction1
hindi.ndtvprofit.com

બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ સતત કહી રહ્યા છે કે, મોટા ડિજિટલ વ્યવહારોનો ખર્ચ વધી રહ્યો છે. દેશમાં ડિજિટલ રિટેલ વ્યવહારોમાં UPIનો હિસ્સો 80 ટકા છે. 2020થી, UPIના વેપારી વ્યવહારોનું કદ વધીને રૂ. 60 લાખ કરોડ થઈ ગયું છે. પરંતુ જાન્યુઆરી 2020થી લાગુ કરાયેલ શૂન્ય MDR નીતિને કારણે, આ ક્ષેત્રમાં રોકાણનો અભાવ છે. મોટા વ્યવહારોમાં સેવા પ્રદાતાઓનો ખર્ચ પહેલાથી જ નોંધપાત્ર રીતે વધી ગયો છે.

એક સમાચારપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, નાના વ્યવહારો પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. પરંતુ 3,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર MDR ફી વસૂલવામાં આવી શકે છે. આ ફી વ્યવહાર પર આધારિત હશે, એટલે કે, તમે કેટલા પૈસાનો વ્યવહાર કર્યા છે તેના આધારે MDR વસૂલવામાં આવશે. તેનો વેપારીના વ્યવસાય સાથે કોઈ સંબંધ રહેશે નહીં. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)એ મોટા વેપારીઓ માટે 0.3 ટકા MDR સૂચવ્યું છે. હાલમાં, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 0.9 ટકાથી 2 ટકા MDR છે, પરંતુ RuPay કાર્ડ્સને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

UPI-Transaction
indiatv.in

ગયા અઠવાડિયે, PMO, નાણા બાબતોના વિભાગ અને નાણાકીય સેવાઓ સંબંધિત વિભાગે આ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. બેંકો, ફિનટેક કંપનીઓ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે ચર્ચા કર્યા પછી, એક થી બે મહિનામાં આ અંગે નિર્ણય લઈ શકાય છે. આ નીતિ દ્વારા, UPIને પ્રોત્સાહન આપવાને બદલે, લાંબા સમય સુધી ડિજિટલ ચુકવણી સિસ્ટમ ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બેંકો અને સેવા પ્રદાતાઓને તકનીકી સુધારાઓ માટે સંસાધનો પૂરા પાડશે. ગ્રાહકોને મોટા વ્યવહારો પર વધારાના શુલ્ક પણ ચૂકવવા પડી શકે છે.

About The Author

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.