મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ શરૂ કરી છે. પરિવાર હવે એક ફિલ્મના માધ્યમથી ન્યાયની લડાઈ લડવા જઈ રહ્યો છે. રાજા રઘુવંશીની રહસ્યમય હત્યાએ દેશભરમાં સનસની મચાવી દીધી હતી. હવે પરિવારે આ મામલે એક મોટું પગલું ઉઠાવ્યું છે. રાજાના જીવન અને તેના મોત સાથે જોડાયેલા સત્યને પડદા પર લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આજે પણ રાજા રઘુવંશીની હત્યાને લઈને ઘણા સવાલ વણઉકેલાયેલા છે. પરિવારનું માનવું છે કે આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર હતું, જેને 'હનીમૂન' નામ આપવામાં આવ્યું હતું. આ કારણોસર ફિલ્મનું નામ પણ રાખવામાં આવ્યું છે- હનીમૂન ઇન શિલોંગ.

ફિલ્મના નિર્માણને લઈને હવે બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજાના ભાઈ વિપિન રઘુવંશી અને ફિલ્મ ડિરેક્ટર વચ્ચે કહાનીને લઈને અંતિમ વાતચીત થઈ ગઈ છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે, જેમાં રાજાની જિંદગી, તેનું વ્યક્તિત્વ, તેના લગ્ન અને પછી હનીમૂન દરમિયાન થયેલા રહસ્યમય મોતને પૂરી ઈમાનદારીથી બતાવવામાં આવશે. ડિરેક્ટર અને પ્રોડક્શન ટીમ ઇન્દોરમાં રાજાના ઘરે પહોંચી ગઈ છે અને રઘુવંશી પરિવારના ઘર પર ઉપસ્થિત છે. રાજા સાથે જોડાયેલી બધી માહિતી, તસવીરો, દસ્તાવેજો અને કૌટુંબિક અનુભવો એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જેથી ફિલ્મને વાસ્તવિક ઘટનાઓની ખૂબ નજીક રાખી શકાય.

sonam
timesofindia.indiatimes.com

પરિવારનું કહેવું છે કે, આ ફિલ્મ માત્ર એક કહાની નથી, પરંતુ રાજા માટે ન્યાયની લડાઈ છે. તેઓ ઇચ્છે છે કે જે સત્ય અત્યાર સુધી સામે આવ્યું નથી તે આ ફિલ્મ દ્વારા જનતા અને કાયદાની સામે આવે. રાજા રઘુવંશીની કહાની હવે માત્ર ઇન્દોર સુધી સીમિત નહીં રહે. તે રાષ્ટ્રીય બહેસ બનશે અને કદાચ ન્યાયના માર્ગ પર એક મજબૂત કડી પણ. પરિવારને આશા છે કે આ પહેલથી રાજાને ન્યાય મળશે અને સમાજમાં નવી જાગૃતિ લાવશે.

About The Author

Related Posts

Top News

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

એશિયામાં પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાને કોઈ અસુવિધા ન થાય તે માટે કેટલાક ખાસ ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે. એવામાં...
Business 
એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...
Opinion 
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.